May 25th 2017
...
. .પાવન શક્તિ
તાઃ ૨૫/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબશક્તિ છે પવિત્ર ભક્તિમાં,જે જીવને પાવનરાહ આપી જાય
મળેલદેહને ના સ્પર્શે કળીયુગ સતયુગ,જ્યાં પ્રભુની કૃપા મળી જાય
......એ જ પાવન રાહ દીધી જલાસાંઇએ,જે નિર્મળ જીવન કરી જાય.
અવનીપરના ધાર્મિક સ્થળો,જે માનવીનો સમય પસાર કરી જાય
દર્શન કરીને હાથજોડી પગે લાગી,માગણી કરી અપેક્ષાઓ રખાય
આજે બચાવજો ને કાલે સુખ દઈ દેજો,એવી કૃપા માગી જવાય
દેખાવની કેડી એ કળીયુગ છે,જ્યાં સાધુબાવાઓ લાભ લઈ જાય
......પરમાત્માને ના પારખે કોઇ અવનીએ,જ્યાં દેખાવમાં ફસાઈ જાય.
નિર્મળ ભક્તિએ અંતરને સ્પર્શે,જ્યાં પરમાત્મા પણ રાજી થઇ જાય
મળે માનવ દેહને અનંત શાંંન્તિ જીવનમાં,એ પાવનશક્તિ કહેવાય
શ્રધ્ધા રાખી અર્ચના કરતા જીવ પર,સુર્યદેવની પરમકૃપા થઈ જાય
આંગણે આવી કૃપા મળે જીવને,જે જીવનમાં અનુભવથી સમજાય
......એ જ પાવન રાહ દીધી જલાસાંઇએ,જે નિર્મળ જીવન કરી જાય.
======================================================
No comments yet.