May 25th 2017
.
. .જય સાંઇબાબા
તાઃ૨૫/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંઈ સાંઈના સતત સ્મરણથી,માનવજીવન ઉજવળ થઈ જાય
પાવનરાહ દેહની મળે જીવને,જે પાવન મનુષ્ય જીવન કહેવાય
....ના અધર્મની કોઇ સાંકળ અડે,જે મળેલ દેહને મોહ આપી જાય.
શ્રધ્ધારાખીને જીવન જીવતા,જીવનમાં સૌનો સાથપણ મળી જાય
ના અભિમાનની ચાદર અડે કોઇ,જે ધર્મમાં દેખાવ સમાવી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં સાંઇબાબાની કૃપા થાય
શ્રધ્ધા સબુરી એજ છે ભક્તિ માર્ગ,જે મળેલ ધર્મનેય સ્પર્શી જાય
....ના અધર્મની કોઇ સાંકળ અડે,જે મળેલ દેહને મોહ આપી જાય.
શેરડીગામની જ્યોત પ્રગટાવી ધર્મમાં,અનેક જીવો દર્શન કરી જાય
પુંજા પ્રેમથીકરે જ્યાં સાંઇબાબાની,એજ સાચી માનવતા દઈ જાય
મળેલ જીવન સાર્થક કરે એજ ભક્તિ,ના કોઇ આફત સ્પર્શી જાય
જન્મમરણના બંધનછુટે જીવના,જ્યાં સાંઇબાબાને પ્રેમે વંદન થાય
....ના અધર્મની કોઇ સાંકળ અડે,જે મળેલ દેહને મોહ આપી જાય.
===================================================
No comments yet.