May 22nd 2017

નિખાલસ સ્નેહ

.            .નિખાલસ સ્નેહ   

તાઃ૨૨/૫/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળ જીવનની શીતળકેડી,એ જ જીવની પાવનરાહ કહેવાય
કર્મનીકેડી એ બંધનછે જીવના,પરમાત્માની કૃપાએ અનુભવાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
કુદરતની આ અજબ છે લીલા,જે જગતના બંધનથી સમજાય
કરેલકર્મ અવનીએ જીવનમાં,સરળ જીવનની રાહ આપી જાય
નિર્મળ જીવનની કેડી મળે,જ્યાં શ્રધ્ધાએ માબાપને વંદન થાય
અવનીપરના આગમનનુ બંધન માબાપ છે,જે કર્મથીજ બંધાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
ભક્તિપ્રેમ એ રાહછે જીવની,જે થકી જીવનમાં શ્રધ્ધાએ પુંજાય
મનથી કરેલ નિર્મળકર્મ જીવનમાં,પરમાત્માની કૃપા આપી જાય
સંત જલાસાંઇની મળે કૃપા,જે મળેલ માનવદેહ પાવનકરી જાય
ના અપેક્ષાની કોઇ રાહ અડે,કે ના માગણી કોઇ મનથી થાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
=======================================================

	
May 19th 2017

પ્રેમાળરાહ

.Image result for મળતો પ્રેમ.
.            .પ્રેમાળરાહ
તાઃ૧૯/૫/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ જીવનની મહેંક પ્રસરે અવનીએ,જ્યાં પ્રેમાળ રાહનો સંગ મેળવાય
કુદરતની આ અજબછે લીલા,જે દેહ મળેલ જીવને અનુભવ આપી જાય
......માનવદેહ એ કૃપા પરમાત્માની,જે પવિત્રકર્મની રાહે ભક્તિમાર્ગ દઈ જાય.
અવનીપર જન્મમરણ એ છે કર્મના બંધન,જે જીવને દેહ મળતા દેખાય
અનેક દેહ અવનીપર પ્રસરે,જે પશુ પક્ષી પ્રાણી અને માનવદેહ કહેવાય
કર્મબંધન એ સ્પર્શે માનવીને,જે થકી જીવનુ દેહથી આગમન થઈ જાય
મળે છે દેહને સંબંધ સંબંધીઓનો,જે કરેલ કર્મના બંધનની રાહ કહેવાય
......માનવદેહ એ કૃપા પરમાત્માની,જે પવિત્રકર્મની રાહે ભક્તિમાર્ગ દઈ જાય.
શીતળરાહની કેડી પકડવા અવનીએ,નિર્મળ ભક્તિ અને પાવનપુંજા થાય
અપેક્ષાના વાદળને છોડવા જીવનમાં,શ્રધ્ધાનો સંગ રાખી ભક્તિ પ્રેમે થાય
માનવજીવન એ સંસારનો સંબંધ,જે દેખાવની ભક્તિએ સંતો બતાઈ જાય
નિર્મળરાહ મળે માનવીને ભક્તિએ,જે પ્રેમાળ રાહનો સંગ પણ આપી જાય
......માનવદેહ એ કૃપા પરમાત્માની,જે પવિત્રકર્મની રાહે ભક્તિમાર્ગ દઈ જાય.
==========================================================

	
May 18th 2017

કૃપાનો સંગ

.            .કૃપાનો સંગ 

તાઃ૧૮/૫/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પરમાત્માની કૃપા છે પાવન,જીવનમાં નિર્મળતાનો સંગાથ મળી જાય
સમયને પકડતા પાવનરાહ મળે જીવને,જીવને અનંત શાંંતિ દઈ જાય
.....અવનીપરનુ આગમનએ બંધન છે જીવના,સરળ જીવન જીવતા સમજાય.
મોહને મનથી દુર રાખીને જીવતા,ના અપેક્ષા કોઇ જીવનમાં અથડાય
નિર્મળ જીવનનીરાહ મળતા દેહને,પરમ કર્મનાબંધનનો સાથ મળીજાય
માનવજીવન એજ છે જીવનીકેડી,જે થકી જન્મમરણના બંધન છોડાય
ભક્તિમાર્ગ એ પવિત્રરાહ છે,જે પરમાત્માની કૃપાએ જીવનમાં મેળવાય
.....અવનીપરનુ આગમનએ બંધન છે જીવના,સરળ જીવન જીવતા સમજાય.
અનેક દેહનાબંધન છે જીવને,જે અવનીએ આગમન થતાજ અનુભવાય
કુદરતની આ અસીમ લીલા છે જગત પર,જે જીવને અનેક રૂપે દેખાય
શ્રધ્ધા રાખીને જલાસાંઇની પુંજા કરતા,જીવનમાં સુખ શાંંન્તિ મળી જાય
ના માગણી કોઇ પરમાત્માથી રહે,જે પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
.....અવનીપરનુ આગમનએ બંધન છે જીવના,સરળ જીવન જીવતા સમજાય.
==========================================================

	
May 17th 2017

મા જાનબાઈ

Image result for ખોડિયાર માતા
.             .મા જાનબાઈ      

તાઃ૧૭/૫/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરનુ આગમન એ જન્મ જીવનો,જે દેહ થકીજ ઓળખાઇ જાય
કૃપા શ્રી ભોલેનાથની થતા,જાનબાઈને પવિત્રનામ ખોડિયાર મળી જાય
.....મા ખોડિયારને વંદન કરતા જીવને,ભક્તિથી માતાની કૃપા મળી જાય.
માડી તમારા દર્શન કરતા જ,કૃપાએ જીવપર આનંદની વર્ષા થઈ જાય
ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,જ્યાં મા ખોડિયારની પુંજા પ્રેમથી થાય
અનંત પ્રેમ મળતા માનવદેહને,મળેલદેહ જીવનો જન્મ સફળ કરી જાય
કૃપાની પવિત્રકેડી મળતા જીવને,ભક્તિપ્રેમની પવિત્રરાહ પણમળી જાય
.....મા ખોડિયારને વંદન કરતા જીવને,ભક્તિથી માતાની કૃપા મળી જાય.
ઉજ્વળ જીવનનીરાહ પકડી મા જાનબાઇએ,જે કુટુંબ પાવન કરી જાય
અસીમકૃપા મળે પરમાત્માની દેહને,ત્યાં પવિત્ર નામ અવનીએ મેળવાય
ૐ ખં ખોડિયારાય નમઃ નુ સ્મરણ કરતાં,માડી તારી કૃપાની વર્ષા થાય
પ્રદીપ પર માખોડિયારની કૃપા થતાં,ઉજ્વળ જીવનનીજ્યોત પ્રગટી જાય
.....મા ખોડિયારને વંદન કરતા જીવને,ભક્તિથી માતાની કૃપા મળી જાય.
========================================================
May 17th 2017

પવિત્ર કલમકેડી

Mahesh_Raval_1

 ડૉક્ટર મહેશભાઇ અને શ્રીમતી હર્ષાબેન

.                       .પવિત્ર કલમકેડી

તાઃ૧૭/૫/૨૦૧૭                              પ્રદીપ બ્રહ્મભટ્ટ         

ગુજરાતીઓનીજ ગાથા છે ઉજ્વળ,ના જગતમાં કોઇથીય અંબાય
પાવનરાહે જીવન જીવતા દુનીયામાં,પવિત્રકર્મે નામના મેળવી જાય
....એવા ડૉક્ટર મહેશભાઈ રાવલ,હ્યુસ્ટનના કલમપ્રેમીઓને પ્રેમ દેવા આવી જાય.
કલમની ઉજ્વળકેડી લઈ ચાલતા,ગઝલ શેર માતાની કૃપાએ લખાય
નામાગણી નાઅપેક્ષાએ જીવતા જ,કલમથી જગતમાં ઓળખાઈ જાય
આનંદની વર્ષા વરસતા કલમપ્રેમીઓ,મહેશભાઈનુ સન્માન કરી જાય
મા સરસ્વતીની અસીમકૃપા છે,જે ગુજરાતીઓના વર્તનથી જ દેખાય
....એવા ડૉક્ટર મહેશભાઈ રાવલ,હ્યુસ્ટનના કલમપ્રેમીઓને પ્રેમ દેવા આવી જાય.
પ્રેમ લઈનેજ આવ્યા હ્યુસ્ટન,જે પકડેલ કલમથી આંગણી ચીંધીં જાય
નિર્મળરાહે જીવન જીવતા,કુટુંબ સહિત કલમપ્રેમીઓ પણ મળી જાય
પ્રદીપને હૈયે આનંદ અનેરો મળીગયો,જ્યાં મહેશભાઈનુ આગમન થાય
મળેલ જીવનનીજ્યોત પ્રગટી,જે ગુજરાતીઓને દુનીયામાં પ્રસરાવી જાય
....એવા ડૉક્ટર મહેશભાઈ રાવલ,હ્યુસ્ટનના કલમપ્રેમીઓને પ્રેમ દેવા આવી જાય.
============================================================
     ગુજરાતના કલમપ્રેમીઓનુ ગૌરવ એવા શ્રી મહેશભાઇ રાવલ હ્યુસ્ટનના
કલમપ્રેમીઓના પ્રેમને સ્વીકારી અહીં પધાર્યા છે જે અમારે માટે ગૌરવ છે.
હ્યુસ્ટનના કલમપ્રેમીઓ તરફથી યાદ રૂપે આ લખાણ સપ્રેમ ભેંટ.

લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત કલમપ્રેમીઓની યાદ.    તાઃ૨૦/૫/૨૦૧૭.
May 16th 2017

ગૌરીનંદન

Image result for ગૌરીનંદન
.             .ગૌરીનંદન   

તાઃ૧૬/૫/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગૌરીનંદનની અજબ છે શક્તિ,પિતા ભોલેનાથથી મેળવાય
માતા પાર્વતીની અસીમકૃપાએ,જગતમાં ગણપતિય કહેવાય
......કલમની પવિત્ર કેડી સંગે,જીવને મળેલ દેહનુ ભાગ્ય લખી જાય.
અવનીપર નો આધાર છે કેટલો,એ ગૌરીનંદન જ કહી જાય
પવિત્રરાહની આંગળી ચીંધે,જે પરમાત્માને વંદન કરાવી જાય
ના આગમનકે વિદાયનો સંબંધસ્પર્શે,જ્યાં દંતેશ્વરની કૃપાથાય
જીવના બંધન અવનીએ જકડાય,જ્યાં મોહમાયા સ્પર્શી જાય
......કલમની પવિત્ર કેડી સંગે,જીવને મળેલ દેહનુ ભાગ્ય લખી જાય.
નિર્મળ પ્રેમની ગંગા વહેતા,પિતાનો અમૃત પ્રેમ પણ મેળવાય
રિધ્ધી સીધ્ધીનાએ જીવનસંગી,ભક્તિએ પાવનપ્રેમ આપી જાય
પુંજન વંદન પ્રેમથી કરતા,સિધ્ધી વિનાયકની કૃપા વર્ષી જાય
જીવને મળેલ અનંત શાંંન્તિ અવનીએ,જ્યાં દેહથી વંદન થાય
......કલમની પવિત્ર કેડી સંગે,જીવને મળેલ દેહનુ ભાગ્ય લખી જાય.
=====================================================
May 15th 2017

જીવની અભિલાષા

.         .જીવની અભિલાષા
તાઃ૧૫/૫/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી પ્રેમની પાવન કેડી,જીવનની જ્યોત પ્રગટાવી જાય
અંતરમાં આનંદની વર્ષા થતા,મળેલ જન્મસાર્થક થઈ જાય
....એ કૃપા અવિનાશીની,જીવને ના અભિલાષા કોઇ અડી જાય.
જીવને પકડેછે કરેલ કર્મ,જે મળેલ દેહથી અનુભવ થાય
અવની પરનુ આગમન એ બંધન,જે જન્મ મળતા દેખાય
પરમકૃપાળુ પરમાત્માછે,જીવને નિર્મળ ભક્તિ આપી જાય
મળે કૃપા ભગવાનની જીવને,જે દેહના વર્તનથી સમજાય
....એ કૃપા અવિનાશીની,જીવને ના અભિલાષા કોઇ અડી જાય.
ઉજ્વળ જીવનની રાહ પકડે,મળેલજન્મ સાર્થક કરી જાય
પાવન કર્મ સ્પર્શે દેહને,જે સંત જલાસાંઈની કૃપાએ થાય
ના અપેક્ષાના કોઇ વાદળ વર્ષે,કે ના કોઇ મોહ મેળવાય
એજ જીવનની જ્યોત પ્રગટાવે,જે દેહના વર્તનથી દેખાય
....એ કૃપા અવિનાશીની,જીવને ના અભિલાષા કોઇ અડી જાય.
================================================
May 14th 2017

જ્યોત જીવનની

..Image result for જ્યોત જીવનની..
.           .જ્યોત જીવનની
તાઃ૧૪/૫/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની પાવનકેડી મળે દેહને,જે જીવને પવિત્રરાહ આપી જાય
જન્મ મળેછે જીવને અવનીએ,જ્યાં માબાપના પ્રેમની વર્ષા થાય
......કર્મની નિર્મળ કેડી મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમે થાય.
અંધકાર ભરેલ માર્ગને ના ઓળખતા,આ કર્મનીકેડી બગડી જાય
માનવજીવનમાં સમજનો સંગાથ લેતા,જીવનની જ્યોત પ્રગટીજાય
થયેલ કર્મ એ જીવનને સ્પર્શે,ના કોઇથી જગતમાં છટકી શકાય
પરમાત્માની કૃપામળે જીવને,જયાં સમયને સમજીને જીવન જીવાય
......કર્મની નિર્મળ કેડી મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમે થાય.
ના અપેક્ષાનીકેડી સ્પર્શે દેહને,જ્યાં શ્રધ્ધા વિશ્વાસથી પુંજન થાય
મળે અંતરથી આશિર્વાદ જીવનમાં,જ્યાં વડીલને પ્રેમથીવંદન થાય
કુદરતની અજબલીલા અવનીએ,જીવને આવન જાવનથી સમજાય
કળીયુગ સતયુગએ અવિનાશીની લીલા,ભક્તિપ્રેમથી બચાવી જાય
......કર્મની નિર્મળ કેડી મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમે થાય.
=====================================================
May 12th 2017

પ્રભુ સ્વરૂપ

..Image result for પરમાત્માના સ્વરૂપ..
.           .પ્રભુ સ્વરૂપ
 
તાઃ૧૨/૫/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પાવનકૃપા અવનીપર,અનેક સ્વરૂપે દર્શન દઇ જાય
મળે જીવને શાંન્તિ જીવનમાં,જે સાચી શ્રધ્ધાભક્તિથી મળી જાય
.....દેહ લીધો અવનીપર,જે શ્રીરામ,શ્રીકૃષ્ણ,શ્રીહનુમાનથી ઓળખાય.
કર્મના બંધન જકડે જીવને,જે આવન જાવનથી જ દેખાઈ જાય
મળે દેહને સંબંધ અવનીએ,જન્મમરણના બંધનથી જીવ જકડાય
પ્રભુ સ્વરૂપ એ કૃપા પરમાત્માની,જે જીવને સદમાર્ગે દોરી જાય
મળે જીવને માયાનાબંધન દેહ લેતા,નાકોઇથીય દુર પણ રહેવાય
.....દેહ લીધો અવનીપર,જે શ્રીરામ,શ્રીકૃષ્ણ,શ્રીહનુમાનથી ઓળખાય.
અંતરમાં આનંદમળે કૃપાએ,નામાગણી કે કોઇઅપેક્ષા અડી જાય
સરળતાનો સંગાથ પ્રભુના સ્વરૂપે,શ્રધ્ધાભક્તિ પુંજનથી મળીજાય
અનેક સ્વરૂપે અવનીપર આવી,દર્શને પવિત્ર જીવન આપી જાય
માનવજીવનની મહેંક પ્રસરે જીવનમાં,એ જ પરમકૃપા જ કહેવાય
.....દેહ લીધો અવનીપર,જે શ્રીરામ,શ્રીકૃષ્ણ,શ્રીહનુમાનથી ઓળખાય.
======================================================
May 12th 2017

શ્રી રામનામ

Image result for શ્રી સીતારામ
.            .શ્રી રામનામ
તાઃ૧૨/૫/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં શ્રી રામનામનુ સ્મરણ થાય
પાવનકૃપા મળે સંગે સીતાજીની,ત્યાં શ્રી હનુમાનજીનો પ્રેમ લેવાય
....ત્યાંજ પવિત્ર જીવન બને અવનીએ,જ્યાં પરમકૃપાળુ શ્રીરામને વંદન થાય.
અવનીપર એ પવિત્ર દેહ પરમાત્માનો,જે રાવણનુ દહન કરી જાય
સીતામાતા નિમિત બન્યા અવનીએ,જ્યાં બજરંગબલી આવી જાય
અજબશક્તિ રાવણની ભોલેનાથકૃપાએ,દેહને અભિમાન મળી જાય
દેહ લીધો પરમાત્માએ અવનીએ,જે શ્રી રામના નામથી યાદ કરાય
....ત્યાંજ પવિત્ર જીવન બને અવનીએ,જ્યાં પરમકૃપાળુ શ્રીરામને વંદન થાય.
ભક્તિમાર્ગની રાહ લેવા જીવનમાં,હિંદું ધર્મમાં શ્રીરામની માળા થાય
અંતરથી કરેલ માળા મળેલ જીવન ઉજ્વળ કરે નાઅપેક્ષા અથડાય
તનમનથી શાંંન્તિ મળે દેહને,જે મળેલ જન્મ સાર્થક પણ કરી જાય
ઉજ્વળ જીવન નિમિત બને,જે અનેક જીવોને સદમાર્ગે દોરી જાય
....ત્યાંજ પવિત્ર જીવન બને અવનીએ,જ્યાં પરમકૃપાળુ શ્રીરામને વંદન થાય.
=========================================================


« Previous PageNext Page »