May 19th 2017

પ્રેમાળરાહ

.Image result for મળતો પ્રેમ.
.            .પ્રેમાળરાહ
તાઃ૧૯/૫/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ જીવનની મહેંક પ્રસરે અવનીએ,જ્યાં પ્રેમાળ રાહનો સંગ મેળવાય
કુદરતની આ અજબછે લીલા,જે દેહ મળેલ જીવને અનુભવ આપી જાય
......માનવદેહ એ કૃપા પરમાત્માની,જે પવિત્રકર્મની રાહે ભક્તિમાર્ગ દઈ જાય.
અવનીપર જન્મમરણ એ છે કર્મના બંધન,જે જીવને દેહ મળતા દેખાય
અનેક દેહ અવનીપર પ્રસરે,જે પશુ પક્ષી પ્રાણી અને માનવદેહ કહેવાય
કર્મબંધન એ સ્પર્શે માનવીને,જે થકી જીવનુ દેહથી આગમન થઈ જાય
મળે છે દેહને સંબંધ સંબંધીઓનો,જે કરેલ કર્મના બંધનની રાહ કહેવાય
......માનવદેહ એ કૃપા પરમાત્માની,જે પવિત્રકર્મની રાહે ભક્તિમાર્ગ દઈ જાય.
શીતળરાહની કેડી પકડવા અવનીએ,નિર્મળ ભક્તિ અને પાવનપુંજા થાય
અપેક્ષાના વાદળને છોડવા જીવનમાં,શ્રધ્ધાનો સંગ રાખી ભક્તિ પ્રેમે થાય
માનવજીવન એ સંસારનો સંબંધ,જે દેખાવની ભક્તિએ સંતો બતાઈ જાય
નિર્મળરાહ મળે માનવીને ભક્તિએ,જે પ્રેમાળ રાહનો સંગ પણ આપી જાય
......માનવદેહ એ કૃપા પરમાત્માની,જે પવિત્રકર્મની રાહે ભક્તિમાર્ગ દઈ જાય.
==========================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment