May 17th 2017
. .મા જાનબાઈ
તાઃ૧૭/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન એ જન્મ જીવનો,જે દેહ થકીજ ઓળખાઇ જાય
કૃપા શ્રી ભોલેનાથની થતા,જાનબાઈને પવિત્રનામ ખોડિયાર મળી જાય
.....મા ખોડિયારને વંદન કરતા જીવને,ભક્તિથી માતાની કૃપા મળી જાય.
માડી તમારા દર્શન કરતા જ,કૃપાએ જીવપર આનંદની વર્ષા થઈ જાય
ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,જ્યાં મા ખોડિયારની પુંજા પ્રેમથી થાય
અનંત પ્રેમ મળતા માનવદેહને,મળેલદેહ જીવનો જન્મ સફળ કરી જાય
કૃપાની પવિત્રકેડી મળતા જીવને,ભક્તિપ્રેમની પવિત્રરાહ પણમળી જાય
.....મા ખોડિયારને વંદન કરતા જીવને,ભક્તિથી માતાની કૃપા મળી જાય.
ઉજ્વળ જીવનનીરાહ પકડી મા જાનબાઇએ,જે કુટુંબ પાવન કરી જાય
અસીમકૃપા મળે પરમાત્માની દેહને,ત્યાં પવિત્ર નામ અવનીએ મેળવાય
ૐ ખં ખોડિયારાય નમઃ નુ સ્મરણ કરતાં,માડી તારી કૃપાની વર્ષા થાય
પ્રદીપ પર માખોડિયારની કૃપા થતાં,ઉજ્વળ જીવનનીજ્યોત પ્રગટી જાય
.....મા ખોડિયારને વંદન કરતા જીવને,ભક્તિથી માતાની કૃપા મળી જાય.
========================================================
No comments yet.