May 12th 2017
. .શ્રી રામનામ
તાઃ૧૨/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં શ્રી રામનામનુ સ્મરણ થાય
પાવનકૃપા મળે સંગે સીતાજીની,ત્યાં શ્રી હનુમાનજીનો પ્રેમ લેવાય
....ત્યાંજ પવિત્ર જીવન બને અવનીએ,જ્યાં પરમકૃપાળુ શ્રીરામને વંદન થાય.
અવનીપર એ પવિત્ર દેહ પરમાત્માનો,જે રાવણનુ દહન કરી જાય
સીતામાતા નિમિત બન્યા અવનીએ,જ્યાં બજરંગબલી આવી જાય
અજબશક્તિ રાવણની ભોલેનાથકૃપાએ,દેહને અભિમાન મળી જાય
દેહ લીધો પરમાત્માએ અવનીએ,જે શ્રી રામના નામથી યાદ કરાય
....ત્યાંજ પવિત્ર જીવન બને અવનીએ,જ્યાં પરમકૃપાળુ શ્રીરામને વંદન થાય.
ભક્તિમાર્ગની રાહ લેવા જીવનમાં,હિંદું ધર્મમાં શ્રીરામની માળા થાય
અંતરથી કરેલ માળા મળેલ જીવન ઉજ્વળ કરે નાઅપેક્ષા અથડાય
તનમનથી શાંંન્તિ મળે દેહને,જે મળેલ જન્મ સાર્થક પણ કરી જાય
ઉજ્વળ જીવન નિમિત બને,જે અનેક જીવોને સદમાર્ગે દોરી જાય
....ત્યાંજ પવિત્ર જીવન બને અવનીએ,જ્યાં પરમકૃપાળુ શ્રીરામને વંદન થાય.
=========================================================
No comments yet.