May 29th 2017
. .શ્રી ભોલેનાથજી
તાઃ૨૯/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે જ્યાં પિતાનો સંતાનને,પાવનજીવનની રાહ મળી જાય
તન,મન,ધનથી શાંન્તિ મળતા,નાકોઇ અપેક્ષા જીવનમાં રખાય
.....મળે જ્યાં આશિર્વાદ માતાના,ત્યાં સંસ્કારની કેડી સચવાઈ જાય.
પિતા ભોલેનાથની ભક્તિ શ્રધ્ધાએ કરતા,કૃપાની વર્ષાય થઈ જાય
માતા પાર્વતીને વંદન કરતા,જીવનો મળેલ જન્મ સફળ પણ થાય
કૃપા મળે જ્યાં ગણપતિની,મળેલ દેહની રાહ પણ ઉજવળ થાય
ૐ નમઃ શિવાયના જાપથી,માનવજન્મને પવિત્ર જીવન મળીજાય
.....મળે જ્યાં આશિર્વાદ માતાના,ત્યાં સંસ્કારની કેડી સચવાઈ જાય.
અજબ શક્તિશાળી પિતા છે જગતમાં,સાચી ભક્તિએ અનુભવાય
વંદન કરીને દર્શન કરતા,માતાપિતા સંગે પુત્ર ગણપતિય હરખાય
ઉજવળ જીવનની રાહ મળતા જીવને,મળેલ દેહ પાવન થઈ જાય
કૃપા મળે શ્રીભોલેનાથની,અવનીપર જન્મમરણના બંધન છુટી જાય
.....મળે જ્યાં આશિર્વાદ માતાના,ત્યાં સંસ્કારની કેડી સચવાઈ જાય.
=======================================================
No comments yet.