મળેલી માયા
. મળેલી માયા
તાઃ૨/૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માયા એ કાયાને જકડે,ઉજ્વળ જીવન વેડફાઇ જાય
સરળપ્રેમની સમજ નારહેતા,લઘરવઘર જીવન થઈ જાય
. ………………..મળેલ માયા એ કાયાને જકડે.
માનવજીવન સમજી લેતાં,જીવને ઉજ્વળ રાહ મળી જાય
પરમકૃપાળુ જલાસાંઇને ભજતા,મળેલજીવન સાર્થકથાય
આધીવ્યાધીને આંબી લેવાજગે,સાચી ભક્તિ પ્રેમથી થાય
આવનજાવન છે કર્મની કેડી,જે મુક્તિમાર્ગથીજ છુટી જાય
. …………………મળેલ માયા એ કાયાને જકડે.
અવનીપરના આગમનથી,જીવને અનેક દોર મળી જાય
કઇદોરથી ક્યાંજવાય જીવથી,એ સાચીભક્તિએ સમજાય
મળતી કળીયુગી માયાને છોડવા,જલાસાંઇની પુંજા થાય
ભક્તિમાર્ગની અજબછે કેડી,જીવને અનુભવે જ સમજાય
. …………………મળેલ માયા એ કાયાને જકડે.
+++++++++++++++++++++++++++++++++++