મા ખોડીયાર
. .મા ખોડીયાર
તાઃ૧૮/૩/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા ચરણે આવતાં,આ જીવન ઉજ્વળ થાય
ભક્તિ તારી પ્રેમથી કરતાં,આજન્મ સફળ થઈ જાય
માડી ખોડીયાર તારા ચરણે લાગે છે,પ્રદીપ વારંવાર
. ………………..મા ખોડીયાર તારા ચરણે.
ઉજ્વળતાની કેડી મળતાં,મારા જીવનમાં શાંન્તિ થાય
આર્શીવાદની કૃપા મળતાં,મારું આ જીવન મહેંકી જાય
પ્રેમથી લાગતાં પાયે માડી,મારા હૈયે પણ આનંદથાય
ખોડીયાર ખોડીયાર સ્મરણ કરતાં,જીવન ઉજ્વળ થાય
. …………………મા ખોડીયાર તારા ચરણે.
સિધ્ધીના સોપાન લેતા,મા તારો સાચો પ્રેમ મળી જાય
ચરણરજની મહેંક મળતાં,સંતાન રવિ,દીપલ હરખાય
ઉજ્વળ જીવન દેજે માડી,એજ ભાવના સદા રહી જાય
રમા સંગે માને વંદનકરતાં,ઘરનું આંગણુંપાવન થાય
. …………………મા ખોડીયાર તારા ચરણે.
+++++++++++++++++++++++++++++++