મળેલ માયા
. .મળેલ માયા
તાઃ૧૮/૩/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જીવને માયા જગતમાં,જ્યાં નિર્મળતા સહેવાય
માનવતાની મહેંક ના પ્રસરે,આ જીવનવેડફાઇ જાય
. .. ……………મળે જીવને માયા જગતમાં.
જન્મમરણ કાયાના બંધન,જીવે આંધીઓ આપી જાય
અધોગતીની એક જ કેડી,મળતી ઝંઝટથી જ ઝપટાય
કળીયુગની અદભુત છે લીલા,નાકોઇ જીવથી છટકાય
મળે જ્યાં માયામોહ જીવને,ત્યાં જીંદગી વેડફાઇ જાય
. …………………મળે જીવને માયા જગતમાં.
ભક્તિભાવની અદભુતલીલા,જીવનેરાહ સાચી દઈજાય
મનથી કરતાં ભક્તિ જલાની,માનવજીવન સરળ થાય
આંધી વ્યાધીને આંબે છે ભક્તિ,અજબ એમાં છે શક્તિ
સાંઇબાબાની શ્રધ્ધાસાચી,જીવને મુકિતમાર્ગ દઈ જાય
. …………………મળે જીવને માયા જગતમાં.
===================================