March 18th 2013

મળેલ માયા

.                     .મળેલ માયા 

તાઃ૧૮/૩/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવને માયા જગતમાં,જ્યાં નિર્મળતા સહેવાય
માનવતાની મહેંક ના પ્રસરે,આ જીવનવેડફાઇ જાય
.                  .. ……………મળે જીવને માયા જગતમાં.
જન્મમરણ કાયાના બંધન,જીવે આંધીઓ આપી જાય
અધોગતીની એક જ કેડી,મળતી ઝંઝટથી જ ઝપટાય
કળીયુગની અદભુત છે લીલા,નાકોઇ જીવથી છટકાય
મળે જ્યાં માયામોહ જીવને,ત્યાં જીંદગી વેડફાઇ જાય
.               …………………મળે જીવને માયા જગતમાં.
ભક્તિભાવની અદભુતલીલા,જીવનેરાહ સાચી દઈજાય
મનથી કરતાં ભક્તિ જલાની,માનવજીવન સરળ થાય
આંધી વ્યાધીને આંબે છે ભક્તિ,અજબ  એમાં છે શક્તિ
સાંઇબાબાની શ્રધ્ધાસાચી,જીવને મુકિતમાર્ગ દઈ જાય
.               …………………મળે જીવને માયા જગતમાં.

===================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment