March 13th 2013

કેડી ભક્તિની

.                   .કેડી ભક્તિની

તાઃ૧૩/૩/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળતાની સાચી રાહે જીવનમાં,માનવતા મહેંકી જાય
ઉજ્વળ જીવન જીવીલેવા,જીવે કેડી ભક્તિની મેળવાય
.              ………………સરળતાની સાચી રાહે જીવનમાં.
અંતરમાં ના ઉભરો આનંદનો,કે ના દેખાવ  મળી જાય
શાંન્તિના વાદળ સહેવાતા,ના કળીયુગથી પકડાવાય
નિર્મળતાની સરળ કેડીએ,લાગણીઓ પણ ભાગી જાય
સરળ જીવનમાં શાંન્તિ મેળવતા,કર્મપાવન થઈ જાય
.             ……………….સરળતાની સાચી રાહે જીવનમાં.
સંત જલાસાંઇની ભક્તિ ન્યારી,કર્મબંધન છુટતા થાય
જીવને મળેલ કેડી ભક્તિની,અંતે મુક્તિ માર્ગ દઈ જાય
આવી આંગણે પ્રભુ રહે,એજ જીવની સાચી કેડી કહેવાય
મળી જાય મુક્તિ જીવને,અવનીએ કર્મબંધન છુટી જાય
.             ……………….સરળતાની સાચી રાહે જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++

No Comments

No comments yet.

RSS feed for comments on this post.

Sorry, the comment form is closed at this time.