March 14th 2013

જલારામ જ્યોત

.                            .જલારામ જ્યોત

તાઃ૧૪/૩/૨૦૧૩                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામની જ્યોત નિરાળી,જીવને રાહ સાચી દઇ જાય
ભક્તિ પ્રેમથી એ મેળવતાં,જીવના કર્મબંધન છુટી જાય
.                  ………………….જલારામની જ્યોત નિરાળી.
નિર્મળ પ્રેમની એ જ કેડી છે,જીવ કળીયુગથી બચી જાય
માનવતાની ત્યાં મહેંક પ્રસરે,જ્યાં અન્નદાન પ્રેમથી થાય
મનથી કરેલ ભક્તિ જલારામની,જીવને શાંન્તિ મળીજાય
આંગણે આવી પ્રેમ મળે પ્રભુનો,જીવન ઉજ્વળ થઈ જાય
.                  ………………….જલારામની જ્યોત નિરાળી.
શ્રધ્ધાસાચી રાખી જીવતાં,જીવથી મોહમાયા ભાગી જાય
સુખ શાંન્તિના જ્યાં વાદળ વરસે,ના દુઃખ ઉમરે  દેખાય
જલારામની છે જ્યોત ઉજ્વળ,માનવજીવન મહેંકી જાય
પ્રભુકૃપાની એક જ કિરણે,જીવના જન્મ મરણ છુટી જાય
.                   …………………જલારામની જ્યોત નિરાળી.

==================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment