February 10th 2011

વાણીવેગ

                              વાણીવેગ

તાઃ૬/૨/૨૦૧૧      (આણંદ)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

વેગ મળતાં વાણીને,જીભથી શબ્દના સચવાય
તેજ નીકળતાં શબ્દથી,વ્યાધીઓ વળગી જાય
                            ………વેગ મળતાં વાણીને.
નિર્મળ વહેતી ધારામાં,જ્યાં પવન પ્રસરીજાય
વેગ મળતાં પાણીનો,ઘણુ બઘુય ડુબી જ જાય
એક રાહ હતી જીવનની,જેથી રાહજ મળી જાય
વધી જાય વણમાગી,ત્યાં કોમલતા ભાગી જાય
                         …………વેગ મળતાં વાણીને.
કુદરતની છે આ માયા,જે અનેક ઘણી જ દેખાય
દ્રષ્ટિ એક માનવની,વધુએ નિર્મળતાને ખોવાય
કદીક કદીક અણસાર મળે,જે સમજુથી સમજાય
અણસાર મળે છે એકને,ના કોઇથી એ મેળવાય
                         ………….વેગ મળતાં વાણીને.

—————————————————–