વાણીવેગ
વાણીવેગ
તાઃ૬/૨/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
વેગ મળતાં વાણીને,જીભથી શબ્દના સચવાય
તેજ નીકળતાં શબ્દથી,વ્યાધીઓ વળગી જાય
………વેગ મળતાં વાણીને.
નિર્મળ વહેતી ધારામાં,જ્યાં પવન પ્રસરીજાય
વેગ મળતાં પાણીનો,ઘણુ બઘુય ડુબી જ જાય
એક રાહ હતી જીવનની,જેથી રાહજ મળી જાય
વધી જાય વણમાગી,ત્યાં કોમલતા ભાગી જાય
…………વેગ મળતાં વાણીને.
કુદરતની છે આ માયા,જે અનેક ઘણી જ દેખાય
દ્રષ્ટિ એક માનવની,વધુએ નિર્મળતાને ખોવાય
કદીક કદીક અણસાર મળે,જે સમજુથી સમજાય
અણસાર મળે છે એકને,ના કોઇથી એ મેળવાય
………….વેગ મળતાં વાણીને.
—————————————————–