કર્મનાબંધન
. .કર્મનાબંધન
તાઃ૨૦/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળતાનો સહવાસ મળે જીવને,જ્યાં નિર્મળ જીવન જીવાય
અપેક્ષાને આંબીલે જીવનમાં,જ્યાંપ્રેમની જ્યોત પ્રગટી જાય
……….એ અજબકૃપા સુર્યદેવની જગે,તેમના ઉદયઅસ્તથી અનુભવાય.
અનેક દેહ મળે જીવને અવનીએ,જે જન્મ મળતા જ દેખાય
કર્મના બંધન એ પગથી છે જીવની,જીવને સમયે સમજાય
નિરાધારની કેડી છે અવનીપર,જે પશુપક્ષીથી જગે દેખાય
માનવદેહની પ્રગટે જ્યોત,ત્યાં જીવ અવનીપર આવી જાય
……….એ અજબકૃપા સુર્યદેવની જગે,તેમના ઉદયઅસ્તથી અનુભવાય.
અભિમાનની રાહ મળે માનવીને,ત્યાં કર્મ બંધનથી જકડાય
મારૂતારૂની એકજ ઝલકમળે,જીવ આવન જાવનથી બંધાય
ભક્તિભાવ મનથી રાખતાં,જીવપર જલાસાંઈની કૃપા થાય
વિદાય વેળાએ દેહને છોડતા,પરમાત્મા જીવને દોરી જાય
……….એ અજબકૃપા સુર્યદેવની જગે,તેમના ઉદયઅસ્તથી અનુભવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++