January 14th 2021

શેરડીના સાંઈ

 ## જાણો શેરડી ના સાંઈ બાબા નો આ રોચક ઇતિહાસ, એક વાર જરૂર વાંચજો - We Gujjus##
.            .શેરડીના સાંઈ  
તાઃ૧૪/૧/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અનંત પ્રેમાળ વ્હાલા મારા સાંઇબાબા,તમે શેરડીથી આવી જાવ
મળેલ માનવદેહને આપની કૃપા મળતા,જીવને શાંંતિજ મળી જાય
....ૐ શ્રી સાંઇનાથાય નમઃ નુ સ્મરણ કરતા પાવનકૃપા આપની મળી જાય.
શ્રધ્ધા ભાવથી જીવનમાં,આપની ચીંધેલ આંગળીએ ભક્તિજ થઈ જાય 
પાવનરાહ મળે દેહને બાબાનીકૃપાએ,જે પરિવાર સહિત સુખ દઈજાય
બાબાએ માનવદેહનો સંકેતકર્યો,એ મળેલદેહની માનવતા મહૅંકાઇ જાય
આવો પ્રેમથી હ્યુસ્ટનમાં સાંઇબાબા,તમારા પ્રેમનીકૃપા અમને મળીજાય
....ૐ શ્રી સાંઇનાથાય નમઃ નુ સ્મરણ કરતા પાવનકૃપા આપની મળી જાય.
નિર્મળભાવથી પ્રાર્થના કરી મારા વ્હાલા બાબાને,તમે પ્રેમથી આવીજાવ
મળેલદેહને આંગળી ચીંધી દેહની,ના નાતજાતની કોઇજ કેડી અડી જાય
ક્રુપા સાંઇબાબા પ્રેમથી મળી જગતમાં,જે શેરડીથી જગતમાં પ્રસરી જાય
એજ પ્રેમ મળ્યો શ્રધ્ધાળુઓના દેહને,જે દેહના જીવને પ્રેરણા આપી જાય
....ૐ શ્રી સાંઇનાથાય નમઃ નુ સ્મરણ કરતા પાવનકૃપા આપની મળી જાય.
પાતડી ગામથી શેરડી આવ્યા જીવનમાં,જ્યાં દ્વારકામાઈનો સાથ મેળવાય
પાવનપ્રેમની કૃપાકરી શેરડીથી,જે દુનીયામાં હિંદુમુસ્લીમને પ્રેમ આપીજાય
ના અહંકાર કે ના અભીમાન કે માનવતા સ્પર્શે,જ્યાં બાબાની કૃપા થઈ
પરમશાંન્તિ મળી મળેલદેહને કૃપાએ,ત્યાં વ્હાલા સાંઈબાબાને વંદન થાય
....ૐ શ્રી સાંઇનાથાય નમઃ નુ સ્મરણ કરતા પાવનકૃપા આપની મળી જાય.
############################################################

	
January 25th 2016

જીવનની જીવંત વાત

.                         જીવનની જીવંત વાત   

તાઃ૨૫/૧/૨૦૧૬                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

.          સવિતાબા તમારી તબીયત કેવી છે? બધુ બરાબર છે ને.આજે દસ વષે મારી દીકરીને ત્યાં મહિનો રહેવા આવી છુ.તો તમારી સાથે વાત કરીને થોડો સમય પસાર કરુ.મારા જમાઈ ઓફીસે ગયા છે.ને મારી દીકરી તેની બે વર્ષની દીકરીને સાચવે છે. તમારે બધુ કે મનુ  છે,બધુ બરાબર છે ને?  સવિતાબા આવેલ બેનની સામે જોઇ વિચારવા લાગ્યા ત્યાં કંઈ બોલે તે પહેલા જ આવેલ કુંતાબેન કહે કેમ મને ના ઓળખી હુ મારી દીકરીના લગ્ન પછી જમાઇને એક વર્ષ બાદ સારી નોકરી મળતા અહીં રહેવા આવ્યા હતા ત્યારે હુ અહીં થોડુ રહી ગઈ હતી ત્યારે તમારા દીકરાએ મદદ કરી હતી એ મને  યાદ છે.
.         સવિતાબા સામે થોડુ જોઇ પછી બોલ્યા તમારો અવાજ પહેલા સાંભળેલ છે એટલે થોડુ યાદ આવે છે અહીં ત્રીજા ધરમાં રહે છે એ જાગૃતીના તમે મમ્મી છો ને. હવે થોડુ યાદ આવે છે કારણ જીવનને કોઇ આંબી શક્તુ નથી.આજે મારી ઉંમર સીત્તેર વર્ષની થઈ એટલે યાદ શક્તિ થોડી ઓછી થઈ ગઈ છે.અને મારા વરને હજુ દુકાનમાં નોકરી કરવી પડે છે.
.          એટલામાં એક નાનો છોકરો ઘરમાંથી દોડીને આવ્યો અને બાને કહે બા હુ નિશાળ જઉ છુ.સારુ બેટા તુ ભણવા જા.અને રસોડામાં તારુ ખાવાનુ થેલીમાં મુક્યુ છે તે લઈ જ જે.હા બા હું લઈ જઈશ.એમ કહી રસોડામાં જઈ બેગ લઈ અને દફ્તર લઈ નિશાળ જવા નીકળી ગયો. કુંતાબેન એ બાળક સામે જોઇ વિચારતા હોય તેમ દેખાવા લાગ્યા. તેઓ બેઠેલ ખુરશી સવિતાબાની નજીક લાવી અને તેમને પુછવા લાગ્યા.સવિતાબા આ નાનો છોકરો કોણ છે?   આંગળી ચીંધી સવિતાબા બોલ્યા આ મારા દીકરા યોગેશનો છોકરો જય છે. તે અહીં મારી સાથે જ રહી મોટો થઈ રહ્યો છે.કુંતાબેન વિચારતા હોય તેમ થોડુ અટકી ને પછી બોલ્યા તમારો એક જ દીકરો હતો અને એજ યોગેશ હતો ને. સવિતાબા કહે હા એ મારો એક જ દીકરો હતો અને દીકરી મીના પરણ્યા પછી એના સાસરે રાજકોટમાં રહે છે.તો યોગેશ ક્યાં ગયો? અને તેની વહુ ક્યાં ગઈ. માથે હાથ મુકી સવિતા બાચુપ થઈ ગયા એટલે કુંતાબેન ચમકી ગયા. કહે બા આવુ કેમ થયું મને કાંઇ સમજાતુ નથી. કેમ કંઇ ખોટુ થયુ છે કે શું? થોડીવાર સવિતાબા મૌન રહ્યા કંઈ બોલ્યા નહીં એટલે કુંતાબેન કહે બા કંઇ ખરાબ  થયુ છે કે  શુ?  કે પછી યોગેશ તમારી સાથે નથી રહેતો કે પછી તેને અને તેની વહુ નીતાને બહાર નોકરી મળી છે કે જેથી તમારે માથે આ જવાબદારી આવી ગઈ છે. સવિતાબા કંઇ જ બોલ્યા નહીં અને ખુરશી માંથી ઉઠ્યા અને બોલ્યા કુંતાબેન  અત્યારે મારે હજુ ભગવાનની સેવા કરવાની છે એટલે ફરી આપણે વાત કરીશુ અત્યારે તમે જાવ એમ કહી ઘરમાં જવા ગયા એટલે કુંતાબેન કહે હું ફરી તમારા સમયે આવીશ. અત્યારે જાઉ છુ.
.     બીજા દીવસે સવારમાં તેમની દીકરી જાગૃતી ચા બનાવી મમ્મી સેવા કરી રસોડામાં આવી  એટલે તેમને ચા આપી કહે મમ્મી શુ ખાવુ છે? ભજીયા કે રોટલી. અને પપ્પા ઉઠી ગયા છે કે હજુ  ઉપર સેવા કરે છે. કુંતાબેન કહે ના બેટા એ તો ક્યારના ઉઠી ગયા છે અને મંદીરે જઈને પાછા આવી થોડુ એમનુ કામ કરે છે હમણાં થોડીવારમાં નીચે આવી જશે એટલે હું તેમને ચા નાસ્તો આપી દઈશ  તુ તારૂ કામ પતાવીને જમાઈને મદદ કરવા ઓફીસે જા.ચીંતા ના કરતી.ને હમણાં અમે અહીંયા છીએ તો તુ તારા પતિની ઓફીસે જઈ મદદ કર તો તેને પણ કામમાં શાંન્તિ મળે. અમારી ચિંતા ના કરતી અને કિશનને પણ અમે સાચવીશુ એને સ્કુલમાં મુકી આવીશ અને તેને લઈ પણ આવીશ.આમ દીકરીને મદદ થાય અને સમય પણ પસાર થાય.
. બેત્રણ દીવસ થયા પણ સવિતાબાએ કુંતાબેનને જોયા નહીં એટલે તેમને મનમાં જુદા જુદા વિચારો આવવા લાગ્યા એટલે રવિવારે તે તેમને મળવા સામે ચાલીને ઘેર આવ્યા.બારણુ ખખડાવ્યુ અને કુતાબેનની દીકરીએ બારણુ ખોલ્યુ સવિતાબાને જોયા એટલે તરત કહે બા આવો મમ્મી ઘરમાં જ છે.એટલે સવિતાબા કહે આ તો ત્રણચાર દીવસ થયા અને મને મળવા ના આવ્યા એટલે મને એમ થયુ કે જતા રહ્યા કે તબીયતનો કોઇ પ્રશ્ન થયો એટલે આવ્યા નહી.જાગૃતી કહે મમ્મી બાજુવાળા સવિતાબા તમને મળવા આવ્યા છે. કુંતાબેન કહે બેટા હું નાસ્તો કરુ છુ તો તેમને કહે હું થોડીવારમાં તેમને મળવા જઊ છુ.સવિતા બા કહે સારુ બેટા હું જાઊ છુ.અને પછી પાછા ઘેર ગયા.
. કુંતાબેન સવિતાબાને ઘેર આવ્યા એટલે સવિતા બા તરત બોલ્યા મારી માનસિક તકલીફને કારણે તમને કંઇ કહી શકી નહીં તો મને માફ કરશો. શાંન્તીથી અહીં બેસો અને જે માનસિક તકલીફ મને મળી છે તે વાત હવે દુઃખી દીલે કહુ છુ તે સાંભળજો અને પરમાત્માને પ્રાર્થના કરજો કે મને મનની શાંન્તિ મળે તેવુ કરે. કુંતાબેન કહે સવિતાબા આપણે તો નિમિત બનીએ છીએ બાકી જીવને કર્મનુ બંધન જ  ખેંચી રાખે છે. જુઓ તમે કે આજે આપણે અહીં ભેગા થયા છીએ ગયા જન્મની કે આવતા જન્મની આપણને કોઇ જ ખબર નથી પણ પરમાત્માને બધો જ ખ્યાલ છે.આપણે અંતરથી પ્રાર્થના કરીએ તો એ બધુ જ સંભાળી લે છે.
.      કુંતાબેન આજે માથે પથરો મુકીને સાચી વાત કહુ છુ જે મારા જીવનમાં થયુ છે.મારા જીવનમાં મારા લગ્ન પતિ રઘુ સાથે થયા.જીવનમાં પરમાત્માએ બે સંતાન આપ્યા મારો મોટો દીકરો યોગેશ અને દીકરી મીના.મારા છોકરાના લગ્ન નીતા સાથે થયા.એ જ્યાં ભણતો હતો ત્યાં જ મીના ભણતી હતી અને તેના પિતા સાહેબ હતા અને નસીબમાં બંધન હતા તો અમારે તેને વહુ તરીકે સ્વીકારવી પડી.બંન્ને શાંન્તિથી જીવન જીવતા હતા.મારો દીકરો એક વકીલની ઓફીસમાં કામ કરતો હતો.અને મીનાને પણ સરકારી કચેરીમાં નોકરી મળી ગઈ.એટલે બંન્ને કમાતા હતા અને અમને પણ રાહત થઈ.લગ્ન પછી ત્રીજા વર્ષે જય નો જન્મ થયો.છોકરો સંસ્કારી જીવ હતો તે તેના વર્તનથી દેખાયુ.જ્યારે એ ચાર વર્ષનો થયો એ સમયે તેના પપ્પા નોકરીથી મોડા આવવાનુ શરૂ થયુ.એટલે એક વખત તેના પપ્પાએ તેને પુછ્યુ યોગેશ હવે તું મોડો કેમ ઘેર આવે છે? ઓફીસમાં હવે કામ વધી ગયુ કે શુ? યોગેશ કંઇજ બોલ્યો નહીં તેની પાસે કોઇ જવાબ ન હતો.તેની રૂમમાં જતો રહ્યો. મીના થોડી વહેલી સુઈ જતી હતી કારણ હમણાં તેને સવારે વહેલુ નોકરી પર જવાનું થયુ એટલે સવારે તે તેના સમયે નોકરી પર પહોંચી જતી કારણ સરકારી નોકરી હતી એટલે સમયે પહોંચવુ પડે.
. જીવનની જ્યોત ક્યારે પ્રગટે અને ક્યારે હોલવાય તે કોઇ જ સમજી શકતુ નથી.યોગેશના જીવનમાં બન્યુ એવુ કે જેનાથી તેને પરદેશનો મોહ લાગ્યો અહારથી આવેલ એક છોકરીનો સમ્બંધ થતા તેને મોહ લાગ્યો.તે જે વકીલની ઓફીસમાં કામ કરતો હતો તેના સાળાની છોકરી પ્રેમલગ્ન કરી લંડન ગઈ હતી.ત્યાં ગયા પછી થોડા સમય પછી તેને ખબર પડી કે તે જેને પરણી છે તેણે તો પહેલા બે લગ્ન કરી છુટાછેડા લીધેલ છે અને આ તેના ત્રીજા લગ્ન થયા.હવે કોઇ રસ્તો નહીં.શું કરવુ તેનો ખ્યાલ પણ ના આવે.એટલે આ વકીલે તેને કહ્યુ કે આ છોકરો પરણેલો છે પણ મહેનતુ છે અને તને લંડનમાં વાંધો નહીં આવે.એમ કરી તેની સોડમાં દાખલ કરી ગેર કાયદેસર કાગળો કરી લંડનનો મોહ લગાડ્યો એટલે યોગેશ તેની પાછળ ફરવા લાગ્યો.અને તેથી ઘેર મોડો આવવા લાગ્યો.અને ઘેર કહે મારા કામથી હુ મોડો આવુ છુ.અને બરાબર ત્રીજા મહીને નીતા જોડે ઝગડો કરી જતો રહ્યો.વકીલને ત્યાં તપાસ કરી તો ખબર પડી કે તે કોઇ લંડનથી આવેલી છોકરીને પરણી જતો રહ્યો.થોડા સમય પછી નીતા એ જાણ્યુ એટલે તે મને કહે કે મારો પતિ મારો ના રહ્યો તો હવે મારે અહીં રહેવાની ક્યાં જરૂર છે એમ કહીને જયને અહી મુકીને ત્રણ વર્ષથી જતી રહી છે હવે મારો છોકરો મારો નથી તો તેની વહુ પણ મારી ના રહીં અત્યારે અમારૂ કુળ અમારી પાસે છે એટલે અમારી જવાબદારી કે તેને મોટો થવામાં મદદ કરવી.
. આટલુ બોલી સવિતાબા ધ્રૂશ કે ધ્રુશકે રડી પડ્યા ત્યાં કુંતાબેને તેમને બાથમાં દબાવી લીધા. આ જીવનની જીવંત વાત.
. અને બરાબર પાંચ વર્ષ પછી એક રાતે યોગેશે આવી બારણુ ખખડાવ્યુ અને ઘરડા સવિતાબા પરાણે ઉઠીને આવી બારણુ ખોલ્યુ ત્યાં તેમનો ખોવાયેલ યોગેશ દેખાયો તે જ સમયે તે માના પગમાં પડી રડીને કહે છે કે મા મારૂ જીવન બગડી રહ્યુ છે મને કૃપા કરી બચાવો.મારી કુબુધ્ધીથી હુ બહાર ભાગી ગયો હવે પસ્તાયો છુ એટલે મા મને માફ કર .
==================================================================================================================

December 6th 2015

મારી માવલડી

.                     .                   .Mari Mavaladi  .                 .                    .

Mari Mammi               Saraswati Maa

 

 .

.

.

.              .                                                મારી માવલડી 

તાઃ૧/૧૨/૨૦૧૫                                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપર કોઇપણ જીવનુ આગમન એ માતાથી જ મેળવાય છે. કર્મબંધન એ જીવનો સંબંધ છે. પિતા એ જીવને દેહ મળતા મળેલ જન્મને સાર્થક કરવાની રાહ બતાવે છે. ભણતરની રાહ બતાવી ઉજ્વળતાનો સંગ આપે છે. માતા એ સંતાનને સંસ્કાર આપી પરમાત્માની કૃપાને મેળવવાની રાહ ચીંધે છે. મારા જીવનમાં મારા પિતાજીએ મળે ભણતરની રાહ બતાવી જે મેળવી વકીલનુ ભણીને વકીલાત શરૂ કરી. વકીલ તરીકે કાર્ય કરી બુધ્ધિનો વિકાસ કરી નિખાલસ જીવન જીવવાની રાહ મેળવી જે મને જીવનમાં પ્રેમ,માન અને સંબંધ આપી રહી છે.મારી માતાએ મને ભક્તિની રાહે ચલાવી સંસ્કાર અને સાચી ભક્તિથી પરમાત્માની કૃપા આપી છે. બ્રાહ્મણ કુળમાં જન્મ મળતા માતા સરસ્વતીની સેવાથી કૃપા મળતા બુધ્ધિનો ઉપયોગ કરી કલમની કેડી મને મળી એ જ માતાના સંસ્કાર અને કૃપા કહેવાય.

હુ જ્યારે નાનો હતો ત્યારે મારા મમ્મી સવારમાં સુર્યદેવને પાણીની અર્ચના કરતા હુ જોતો ત્યારે વિચાર કરતો હતો કે આ રીતે ભક્તિ કરવાથી સુર્યદેવ રાજી થાય તો આપણુ જીવન પણ ઉજ્વળ બને એટલે ઘણી વખત હુ તેમની સાથે ઉભો રહી સુર્ય ભગવાનને પગે લાગતો હતો. બાળપણથી મને મારા પિતાજીએ ભણવાની જવાબદારી સમજાવી હતી એટલે હું સ્કુલમાં જતો અને દર વર્ષે હું પરીક્ષામાં પાસ થઈ આગળ વધતો હતો.બારમા ધોરણમાં એટલે કે એસ.એસ.સી. ની પરીક્ષા આપી પણ તેના પરિણામમાં ગણિતમાં થોડા ઓછા માર્કસ આવતા હુ નપાસ થયો.આ પરિણામ માર્ચમાં આવેલ એટલે હવે મારે ઑક્ટોબરમાં ફરી પરીક્ષા આપવી પડશે.એક દીવસ હું જ્યારે ઘરમાં ભગવાનના મંદીર આગળ બેસી માળા કરતો  હતો તે વખતે મારા મમ્મી મને કહે બેટા તારે ફરી પરીક્ષા આપવાની છે એટલે તારી પાસે  થોડો સમય છે તો તુ તારા પપ્પા વર્ષમા એકવાર નડીયાદમાં શેઢી નદીને કાંઠે આવેલ સંત પુજ્ય મોટાના આશ્રમમાં જાય છે અને પુજ્ય મોટાના દર્શન કરે છે.તુ એક કામ કર તારી પાસે સમય છે તો તું એ આશ્રમની મૌનરૂમમાં જઈ એક અઠવાડિયુ ત્યાં રહી આવ, આ કરવાથી તને ભક્તિની તક મળશે અને માતા સરસ્વતીની કૃપા પણ થશે જેથી ભણતરમાં પણ તને માતાની કૃપા મળતા તુ સારુ ભણી શકીશ. મારા પિતાજીને પણ આ વાત ગમી. મેં જવાની હા પાડી. એટલે મને ત્યાં આશ્રમમાં મૌન રૂમમાં મુકી આવ્યા.ત્યાં નંદુકાકા હતા જે બધી રીતે સૌ હરીભક્તોને મદદ કરતા હતા. મને ત્યાં રહ્યાને ત્રીજા દીવસે એટલે કે શનિવારે  માતા સરસ્વતીની પ્રેરણાથી ‘પુ.મોટાને વંદન’એ શિર્ષકથી એક કાવ્ય લખ્યુ. મને કોઇ ખ્યાલ જ નહોતો કે એ દીવસે પુજ્ય મોટા કૌભાકર્ણ આશ્રમથી ચાર દીવસ માટે આ આશ્રમમાં આવ્યા હતા.એટલે પુજ્ય નંદુકાકા રવિવારે સવારે મારી રૂમના બારણે ટકોર મારી કહે ’પુજ્ય મોટા આવ્યા છે,તારે દર્શન કરવા હોય તો તુ બહાર આવ’. મને આશ્ચર્ય થયુ. હું મેં લખેલ કાવ્ય લઈ બહાર આવી પુજ્ય મોટા બેઠા હતા ત્યાં બેઠેલા સત્સંગીઓની સાથે બેઠો. ધાર્મિક વાતો પત્યા બાદ મેં લખેલ કાવ્ય વાંચવા વિનંતી કરી.મેં ગઈકાલે લખેલ કાવ્ય “પું.મોટાને વંદન” ઉભા થઈ તેમની સામે વાંચ્યુ.પુજ્ય મોટાએ મને તેમની પાસે બોલાવી ખભો થાબડી મને કહે ’તું જીવનમાં આવુ લખતો રહેજે તારા પર માતા સરસ્વતીની કૃપા થશે’. એ તારીખ ૧૧મી મે ૧૯૭૧ હતી જે દીવસથી મેં મારા જીવનમાં મારી માવલડી સરસ્વતીની કૃપા મેળવી જે અત્યારે મને અનુભવાય છે. મારા મગજનો યોગ્ય રીતે ઉપયોગ થતા હ્યુસ્ટનના કલમપ્રેમીઓનો સાથ પણ મળ્યો જે જીવનનો અનુભવ છે. ભણતરની સાચી કેડી પકડતા બી.કૉમની ડીગ્રી મેળવી. બી.કૉમના છેલ્લા વર્ષે કૉલેજના નાટકમાં પિતાજીનુ પાત્ર મેં ભજ્વ્યુ એ નાટકમાં મને ’બેસ્ટ ઍક્ટર ઓફ ધી કૉલેજ’ નો ઍવોર્ડ મળ્યો. ભણતર અને સાહિત્યનુ ચણતર સાથે રહેતા તારીખ ૯-૯-૧૯૭૪ના રોજ આણંદમાં ‘ગોપાલજીત એન્ડ હીઝ ઑરક્રેસ્ટા’ની સ્થાપના કરી. ફીલ્મી ગીતોના આ કાર્યક્રમને હું સંભાળતો અને ત્રણ ગાયકના અવાજમાં ગાયનો પણ ગાતો હતો. એક વખત ગીત હરીફાઈ હતી તો મેં “અરૂણોદય”કાવ્ય લખ્યુ જેને આણંદના સંગીત શિક્ષકે કમ્પોઝ કર્યુ. તે ગીત અમારા ગ્રુપ દ્વારા હરિફાઈમાં રજુ  કરાયુ. આણંદમાં ગીત હરિફાઈમાં પ્રથમ નંબર આવ્યો. ત્યાર બાદ ખેડા જીલ્લાની હરિફાઈમાં પણ પ્રથમ નંબર આવ્યો. અને પછી ગુજરાત રાજ્યની હરીફાઈમાં અમારા ગ્રુપને સરકારના ખર્ચે ભુજ લઈ જવાયા. ત્યાં રાજ્ય હરીફાઈમાં અમારા ગ્રુપનો બીજો નંબર આવતાં રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર મળ્યુ અને તે ગીત બીજે દીવસે ભુજ રેડીયો સ્ટેશન પર વગાડ્યુ હતુ. આ બધુ મારી માવલડી સરસ્વતી અને કમળાબાની કૃપાએ શક્ય બન્યુ.

મારી માવલડીના પ્રેમનો અનુભવ મને ત્યારે થયો જ્યારે આ અનુભવેલ પ્રસંગથી જીંદગીમાં યાદ અને રાહ મળી. એમાં થયુ એવુ કે અમારા ગ્રુપને કૉલેજોમાં કાર્યક્રમોમાં મદદ કરવાની તક મળતી શરૂ થઈ. આણંદ અને વિધ્યાનગરમાં વર્ષના અંતે કૉલેજમાં કાર્યક્રમોમાં સંગીત વગાડવાની અને કાર્યક્રમને રજુ કરવાની તક મળી. સામાન્ય રીતે વિધ્યાર્થીઓને પ્રેકટીસ કરાવી   હુ સાંજે નવ વાગે ઘેર આવી જઉ. એક વખત હુ બીજે દીવસે કાર્યક્રમ હતો એટલે તે કામમાં થોડો વધારે સમય જતા રાત્રે અગીયાર વાગે ઘેર પહોંચ્યો તો ઘર બંધ કરી ઘરમાં બધાજ સુઈ ગયા હતા. મેં બારણુ ખખડાવ્યુ તો મારા પપ્પાએ ના ખોલ્યુ. મારે બહાર બારણા આગળ સુઈ જવુ પડ્યુ. બીજે દીવસે મારા પપ્પા મને કહે આવુ રાત્રે મોડા સુધી ભટકવાની જરૂર ક્યાં છે. સમયસર ભણવાનુ અને ઓફીસમાં મારી સાથે કામ કરવાનુ. આજ પછી આવુ મોડુ આવવાની કોઇ જરૂર નથી. જો આવુ કરીશ તો તને અહીં નહીં રહેવા દઉ. મારા પિતાજી વકીલ હતા વેચાણવેરા અને ઇન્કમટેક્ષનુ કામ કરતા હતા. હું કૉલેજથી આવી અને મદદ કરતો હતો.એટલે જીવન જીવવાનુ માર્ગદર્શન મને આપતા હતા.

સમય આવતા માતાની કૃપા થાય જે અનુભવાય. વડોદરાની ફિલ્મ સ્ટુડીયોના માલિક અમારા આણંદના હતા. મને પ્રેરણા થઈ કે આણંદના ટાઊનહૉલમાં આણંદના કલાકારો કાર્યક્રમ કરે તો બધાને તક મળે પોતાની લાયકાત બતાવી શકે.પણ એક વસ્તુ છે કે સ્થાનીક કલાકારોના કાર્યક્રમમાં કોઇ પૈસા ખર્ચી ટીકીટ ના લે કારણ તે વ્યક્તિને ઓળખતા હોય. પણ  માતાની કૃપાએ મને પ્રેરણા મળી કે આ કાર્યક્રમાં હુ ફીલ્મી કલાકારને લાવુ તો તેને જોવા માટે પણ ટીકીટ લઈ લોકો આવે.તે ધ્યાનમાં રાખી ૨૬મી જાન્યુઆરી ૧૯૭૬ના રોજ સીને સર્કલ, આણંદની સ્થાપના કરી જેના મુખ્ય સલાહકાર લક્ષ્મી સ્ટુડીયોના માલિક પુનમભાઈ સી.પટેલ, સાથે નગરપાલિકાના પ્રમુખ અને લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી નવનીતભાઈ શાહ પણ મદદ કરતા હતા અને કાર્યક્રમ નિયામક હુ હતો પ્રથમ કાર્યક્રમમાં ફીલ્મી ગીતો અને હાસ્ય પ્રસંગ નક્કી કર્યો. ફીલ્મી કલાકારો ને લાવવાની જવાબદારી મારી એટલે હુ તેમને લેવા વડોદરા જવાનો હતો. મે મારા મમ્મી,પપ્પા અને મારા ભાઈને કાર્યક્રમના પાસ આપ્યા અને કાર્યક્રમ જોવા આવવા કહ્યુ.  મારા મમ્મીને માતાએ પ્રેરણા કરી અને કાર્યક્રમમાં આવવાની હા કહી. હું તો ઘેરથી વહેલો નીકળી ગયો હતો.મારે વડોદરા કલાકાર લેવા જવાનુ હતું. કાર્યક્રમ સાડા છ વાગે શરૂ થઈ ગયો હુ સાડા પાંચે આણંદથી કાર લઈ નીકળી ગયો. હું કલાકાર લઈ સાડા સાત વાગે ટાઊનહૉલ પર આવ્યો. હૉલમાં લાઈટો ચાલુ કરી દીધીને કાર્યક્રમ અટકાવ્યો. પ્રથમ હુ પ્રવેશ્યો મારી પાછળ ગુજરાતી કલાકાર ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, સ્નેહલતા પ્રવેશ્યા. પ્રેક્ષકો ઉભા થઈ તાલી પાડી આવકારવા લાગ્યા. હુ સીધો સ્ટેજ પર ગયો. કલાકારો પ્રથમ સીટો પર બેસી ગયા અને કાર્યક્રમ શરૂ થતા મારુ ગાવાનુ શરૂ થયુ. ગીત પુર્ણ થતા ઉપેન્દ્રભાઈ ઉભા થઈ તાલી પાડી મને એ ગીત ફરી ગાવાની ઓફર કરી તે ગીત તેમને ગમ્યુ હતુ. તેથી મારે એ ગીત ફરી ગાવુ પડ્યુ.

આ કાર્યક્રમ પુરો થયા બાદ હુ બાર વાગે ઘેર ગયો બારણુ ખખડાવતા મારા પિતાજીએ આવીને બારણુ ખોલી મને બાથમાં લઈ લીધો અને બચી કરી કહે બેટા મારી ભુલ હતી હવે  કદી તને બહાર નહી સુવા દઉ. માતાની કૃપા જ તને કલાની કેડી ઉપર લઈ જાય છે.તારા જીવનમાં માવલડીની કૃપા થઈ છે જે તારી લાયકાતે મને દેખાઈ.
***************************************************************

June 16th 2015

પિતાની રાહ ફાધર ડૅ

 .                          પિતાની રાહ         ફાધર ડૅ                           

તાઃ૧૬/૬/૨૦૧૫                                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

.           .ચંદુભાઈ આજે મંદીરથી પાછા આવતા હતા.ત્યારે તેમના હાથમાં લાકડી છતાંય અપંગતા લાગતી હતી. મગજમાં વિચાર ચાલતો હતો કે હવે પત્નિ સવિતાનો સંગાથ નથી એટલે તેના અવસાન બાદ તેમને ઘણી વખત તે યાદ આવતી.આજે તેમને એવુ સંભળાયુ કે હવે તમે એકલા શા માટે જીવી રહ્યા છો. પરમાત્માને પ્રાર્થના કરો કે જીવને હવે દેહથી મુક્તિ આપે.એવુ સવિતાબેન બોલી રહ્યા છે.આ વાક્ય સાંભળ્યા બાદ મનમાં ભુતકાળ યાદ આવ્યો.

.            .આજથી ચાલીશ વર્ષ પહેલા તેમના નાના ભાઈએ તેમના માટે એપ્લાય કરેલ એટલે તે તથા તેમના પત્નિ સવિતાબેન પુત્ર કિંજલ અને દીકરી દિશા સાથે અમેરીકા આવ્યા.અમેરીકા આવ્યા બાદ તેઓ હ્યુસ્ટન આવ્યા કારણ અહીંનુ વાતાવરણ ભારતના જેવું એટલે કે બહુ ગરમી કે ઠંડી પડે નહીં. ચંદુભાઈએ નોકરી માટે ઘણા પ્રયત્ન કર્યા પણ ભારતીય હોવાથી કોઇ સફળતા ના મળી કારણ તેમને ખબર પડી કે એક ભારતીય સાચી મહેનતથી કામ કરે તેને ટાય કે કોટની જરૂર નથી તે પાંચ અમેરીકનનુ કામ એકલો શ્રધ્ધાથી કરી શકે.અંતે  એક મોટા ગ્રોસરી સ્ટોરમાં કસ્ટમરને મદદ કરવાની નોકરી મળી.સમય તો કોઇથી પકડાયતો નથી. પાંચ વર્ષ થઈ ગયા બંન્ને બાળકો ભણતરને મહત્વ આપી મહેનત કરી ભણી રહ્યા હતા.દીકરો અને દીકરી સારા માર્ક્સે આગળ વધી રહ્યા હતા.સવિતાબેનને ખાવા કરવાની નોકરી એક ભારતીય હૉટલમાં મળી હતી તેઓ પણ મહેનત કરી પતિને સાથ આપતા હતા.

.            .સમયની સીડી તો સૌએ ધીમે ધીમે જ ચડવી પડે ઉતાવળ કરીએ તો પડી જવાય અને આફતના વાદળ વરસતા જીવને ભટકાવાનુ શરૂ થાય અમેરીકામાં તો સમય પ્રમાણે પ્રસંગો આવે અને તે પ્રમાણે સૌ સાથે ચાલે.મને તો અહીંના પ્રસંગોમાં બહુ સમજ ના પડે કારણ આપણા હિંન્દુ ધર્મમાં તો તહેવાર પ્રમાણે આપણે ઉજવણી કરીયે અને તે પણ કુટુંબમાં સાથે રહીને.એક વખત એવુ થયુ કે મેં એક નવુ મકાન રાખ્યુ તો તેની જાણ એક ઘરડા અમેરીકન માજી કે જેમના પતિનુ અવસાન થયેલ એટલે ઘરડાઘરમાં ત્રીજે માળે રહેતા હતા અને તે જ્યારે સ્ટોરમાં આવે ત્યારે તેમને હું ઘણી મદદ કરુ અને કોઇક વખત તેમના રહેઠાણે મુકી આવું.તેમને મારા નવા મકાનની જાણ થઈ.તો તે તેમની ચર્ચમાંથી મારા માટે પવિત્ર ફોટો લાવ્યા હતા તો તે મારે ઘેર આવી મને ભેંટ આપવાની ઇચ્છા હતી તો એક દિવસ સ્ટોરમાં આવી તેમને મદદકરી તેમનો માલ તેમની ગાડીમાં મુકવા ગયો ત્યારે કહે.આવતી કાલે ફાધર ડે છે તો તુ મને ઘરડા ઘરથી લઈ જઈ તારુ નવું ઘર બતાવીશ. મેં કહ્યુ હું કાલે સવારે આવી તમને ઘેર લાવીશ.

.            .બીજે દીવસે સવારે સાડા આઠ વાગે તેમને લેવા ગયો.તે ત્રીજા માળેથી નીચે આવી ગયા હતા. અને સામે બોકડા પર એક ઘરડા ભારતીય પતિ પત્નિ બેઠા હતા તેઓ કોઇકની રાહ જોતા હતા. હું જેને લેવા આવ્યો હતો તેમને લઈ મારા ઘેર આવ્યો.તેઓ મારા ઘરમાં પ્રવેશતા અંગ્રેજીમાં જીસસને પ્રાર્થના કરતા ઘરમાં પ્રવેશ્યા ને ત્યારબાદ ખુરશીમાં બેસતા પહેલા મને મારી પત્નિને તેઓ લાવેલ પવિત્ર ફોટો હાથમાં ભેંટ આપ્યો.ત્યાર બાદ ચા નાસ્તો લીધા બાદ.તેઓને પાછા મુકવા માટે અગીયાર વાગે હું ઘરડાઘરે ગયો તો પેલા માબાપ હજુ તેમના દીકરાની રાહ જોતા બેઠા હતા.મે તેમને પુછ્યુ તમે તો સાડા આઠથી રાહ જુઓ છો.તો પેલા પિતા કહે મારો દીકરો ડૉકટર છે એટલે તે થોડા કામમાં હશે આજે ફાધર ડે છે એટલે તેનો ફોન આવ્યો હતો કે હું તમને લેવા આવીશ અને આપણે કૅક કાપીશુ તો તમે તૈયાર રહેજો એટલે અમે રાહ જોઇએ છીએ.

.            .ત્યારે મને મનમાં ઘણોજ ઉંડો વિચાર આવ્યો કે આ દેશમાં માબાપ ને પ્રેમ આપવાનો એએકજ દીવસ છે જે ફાધર ડે અને મધર ડે કહેવાય બાકી માબાપ કેવી રીતે જીવી રહ્યા છે તેની સંતાનને કોઇ ચિંતા નથી.આજ અમેરીકન હવા અને માબાપને સલામ.

=========================================================

July 30th 2011

જન્મદીનની યાદ

.    પુજ્ય સાહેબને ૯૦મા.                           .(૨જી ઑગસ્ટ ૧૯૨૧)

.                            જન્મદીને યાદ.

.                                                  કૌટુમ્બીક વૃક્ષ રૂપે.
.તાઃ૩૦//૨૦૧૧______________ લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્કુલના મારા સાહેબ હતા,ને નામ છે અંબાલાલ
.      ખડોલ ગામથી આણંદ આવ્યા લઈ કાશીબાને સાથ
.            જન્મદીનનો આનંદ અનેરો,ભોજનમાં ઉજવાય છે આજ

દીકરા મોટા વિનુભાઇ ને સંગે  સ્મીતાભાભીનો સહવાસ
.              સંસ્કાર દીધા દીકરા જીગરને ને દીકરી ઉર્વીમાંય દેખાય

દીકરી બીજી હતી વ્હાલી જેનુ નામ મધુબેન પ્રેમે બોલાય
.             જમાઇ સતીષકુમાર છે જેનો સહવાસ બધાથી મેળવાય.
સંતાનમાં દીકરો મીતેશ છે,ને દીકરીને સોનલ કહેવાય
.                સંસ્કાર સિંચન મળ્યા સાહેબથી,ના બાળકોથી ભુલાય.

ત્રીજા સંતાન દીકરા વસંતભાઇ જેમને સહવાસ વિણાબેનનો
.                મોટી દીકરી તો શીતલ, અને વચેટ દીકરી છે ચાંદની
દીકરો એક છે નામ તેનું આકાશ,ત્રણેય સંતાનમાં છે સાથ
.             અમને મળેલ પ્રેમ અનોખો,અમારાથી ના કદીય ભુલાય

સૌથી નાના દીકરા રાજુભાઇ છે,ને સાથે અમીબેનનો સાથ
.             સંતાનમાં છે બે વ્હાલી દીકરીઓ,નીકી રુહીથી ઓળખાય
પ્રેમ હ્ર્દયથી દેતા અમને,ના કદી રમા,રવિ,દીપલથી ભુલાય
.            અમને મળેલ આઉજ્વળ પ્રેમે,અમારા જીવન મહેંકી જાય

++++++++++++++++++++++++++++++++++++++++++
.            આણંદના મારા હાઇસ્કુલના શિક્ષક પુજ્ય અંબાલાલ સાહેબના ૯૦મા જન્મદીનની યાદ
રૂપે તેમના કુટુંબના પ્રેમને કદી ના ભુલાય તે ભાવનાથી આ કૌટુમ્બીક વૃક્ષ તેમની સેવામાં અર્પણ
કરુ છુ. કોઇપણ ભુલ હોય તો દીકરો સમજી માફ કરશોજી,
લી.આપનો સ્કુલી સંતાન
.          પ્રદીપ બ્રહ્મભટ્ટ્ના વંદન સહિત જય જલારામ.             તાઃ૩૦ મી જુલાઇ ૨૦૧૧. હ્યુસ્ટન.

==================================================

February 5th 2010

પુ.સાહેબ અને બાને

      પુજ્ય સાહેબ અને બાને પ્રેમથી અર્પણ.

તાઃ૫/૧/૨૦૧૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પિતાનો પ્રેમ અમને મળ્યો, મારા પુજ્ય સાહેબથી
અને માતાનોપ્રેમપણ,મળી ગયો પુજ્ય કાશીબાથી

ઉજ્વળ જીવન જીવવાને,આનંદ જીવનમાં આપ્યા
પ્રેમ મેળવવા ભાઇઓનો, હ્યુસ્ટનમાં અમને  લાવ્યા

ભણતરની સીડીએ મળ્યા,પુજ્ય અંબાલાલ સાહેબ
એકડો બગડો શીખવાડી,જગે ઉજ્વળ સોપાન દીધા

આશીર્વાદની વર્ષા એ,સફળતા મેં ભણતરે મેળવી
પ્રેમ પામી સાહેબનો પ્રદીપે,જીવતરની કેડી લીધી

બાનો પ્રેમ રમાને મળતાં,સંસ્કારસિંચન મળી ગયા
ઉજ્વળ જીવનની કેડીમળી,આશિર્વાદ બંન્નેનામળ્યા

વિનુભાઇનાઆશીર્વાદમળ્યા ને સ્મિતાભાભીનોપ્રેમ
મોટાભાઇની લાગણીદઇને,દીધા અમને હૈયાનાહેત

વસંતભાઇનો પ્રેમ,વિણાબેનની લાગણી અમનેમળી
શીતલ આકાશ ચાંદનીનો પ્રેમ,રવિ દીપલને મળ્યો

રાજુભાઇનો પણ પ્રેમ મળ્યો,જાણે ભાઇ ભાઇના પ્રેમ
અમીબેનના લાગણી સ્નેહ,અમે હૈયેથી મેળવી લીધા

રવિદીપલના ઉજ્વળજીવનમાં,આશીર્વાદ મળી ગયા
બાદાદાને અને કાકાકાકીને,વંદનકરતાં કૃપામળી ગઇ

ઉજ્વળજીવનનીકેડી જોતાં,જીવનમાં શાંન્તિઆવીગઇ
સાર્થકજીવનની રાહમળી,ને સાચુસગપણ મળ્યુ અહીં

*****************************************
          આણંદથી અમેરીકાની સફરમાં અમને તેમના સંતાન ગણી
મારા પુજ્ય શ્રી અંબાલાલ સાહેબ પુજ્ય કાશીબા તથા તેમના ત્રણેય
દીકરાઓએ મને ભાઇનો પ્રેમ આપી સંપુર્ણ સહકાર આપ્યો.આ દેશમાં
ઘરમાં સ્થાન આપી મને,રમાને,રવિને તથા દિપલને ભાવી ઉજ્વળ
કરવામાં તનમનથી સાથ આપી ઉભા કર્યા છે તે આભાર વ્યક્તકરવા
આ લખાણ તેઓને પ્રેમ સહિત યાદગીરી તરીકે અર્પણ.
લી.પ્રદીપ,રમા,રવિ તથા દીપલના જય શ્રી કૃષ્ણ.

April 21st 2009

ગુજરાતી સાહિત્ય સરીતા

            ગુજરાતી
                              સાહિત્ય
                                               સરિતા

તાઃ૨૦/૪/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુ     ગુજરાતીઓ આખા જગતમાં પ્રસરેલા છે.
     જગતની શાનમાં ગુજરાતીઓના નામ છે.
રા     રાખે શ્રધ્ધા અને કરે મહેનત તે ગુજરાતી.
તી    તીર્થસ્થાનને પવિત્ર રાખવુ તે ગુજરાતીઓમાં સંસ્કાર છે.

સા    સાહસ કરવુ એ ગુજરાતીઓની ગળથુથીમાં છે.
હિ     હીંમત રાખી જીવન જીવે તે ગુજરાતી.
ત્ય    ત્યજેલ માર્ગને ભુલી જવું તે ગુજરાતીઓની શાન છે.

     સમયને પારખી સફળતા મેળવે તે સાચો ગુજરાતી.
રી     રીતરિવાજમાં ગુજરાતીઓ જગતમાં મોખરે છે.
તા    તારણહાર ફક્ત પરમાત્મા જ છે તે સાચી સમજ ગુજરાતીઓમાં જ છે. 

       હ્યુસ્ટનના મારા ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રભાવશાળી અને ઉચ્ચકક્ષાના
લેખકોની કદર રુપે ઉપરોક્ત લખાણ પ્રેમ સહિત અર્પણ. પ્રદીપ બ્રહ્મભટ્ટ.

January 17th 2009

૧૭ મી જાન્યુઆરી

                                ૧૭મી જાન્યુઆરી

તાઃ૧૭/૧/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખો ખુલી જ્યાં અવનીપર ત્યાં માતાપિતા હરખાય
દિકરીના દેહને નિરખી સગાવ્હાલાના હૈયે આનંદથાય

૧૭મી જાન્યુઆરીનાદિને અવનીપર આગમન થયેલ
વ્હાલા મારા મોટી બહેનનો ૬૪મો જન્મદિન ઉજવાય

જલાબાપાને પ્રાર્થના કરુ ને સાથે સાંઇબાબાને વિનંતિ
દેજો ઉજ્વળ જીવન રહે ભક્તિસંગે નારહે કોઇ વ્યાધી

પ્રેમ મળ્યો છે સાચો અમને ના દીઠો કોઇ સ્વાર્થ કંઇ
ભક્તિપ્રેમથી કરતાં વ્હાલી દીકરીઓ રેખાસપના સંગ

પ્રેમાળ અમારા લાલજી સંગે સથવાર બની સદા રહે
આંટીઘુટીની વ્યાધીમાં સાંઇભક્તિમા પ્રેમે વળગી રહે

સાચીભાવના ને સાચોપ્રેમ બેનનો અમોને મળી જતો
પ્રભુ પ્રાર્થના મનથી કરીએ સર્વસુખ જગના મળી રહે

જલાબાપાનેસાંઇબાબાની સાચી ભાવનાએ પુંજાકરીએ
ઉજ્વળ જન્મ થાય અમારો એવુ સંતથી સદા માગીએ

+++++++++++++++++++++++++++++++++++++++++++++++
              મારા પુજ્ય મોટીબહેન શકુબેનનો આજે જન્મદિન છે તો તે પ્રસંગે સંત
શ્રી જલારામ બાપા તથા શ્રી સાંઇબાબાને અંતરથી પ્રાર્થના કરીએ કે સારાઆરોગ્ય
સહિત લાંબુ આયુષ્ય અને તેમની સર્વ મનોકામના પુર્ણ કરે.

September 22nd 2008

મા ની છાયા

 ………………………. મા ની છાયા

તાઃ૨૧/૯/૨૦૦૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી નથી મને હું શોધુ તારી મમતા,
નથી રહી હવે તારાવગર મારી ક્ષમતા.

મા તને નીરખી મને જશોદાની યાદઆવે,
માખણ ના ચોરું તોય ટપલાં મને તુ મારે.

પગલી ભરુ ત્યાં તું આંગળી જ પકડતી,
પડી જઉ ત્યાં તું લાડકોડ પણ કરતી.

જીવને જગતમાં પરમાત્માએ મોકલ્યો,
તારા થકી મા જીવે અવનીએ દેહ લીધો.

તારી નજરમાં ના કોઇ ભેદભાવ મેં જોયા,
સદા નિરંતર અમો પર પ્રેમના વાદળ તેં ઢોળ્યા.

મા નો પ્રેમ મેઘ જેવો છે,જે હંમેશા વરસે જ છે અને સંતાનોને ટાઠક આપે છે.

June 8th 2008

મારા પિતાજી

pappa-dipal.jpgpitaji.jpg                              

 

                        મારા પિતાજી     ( My વ્હાલા Dad)

૨૮/૫/૨૦૦૮                                                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

          અચાનક એક પત્થર આવી કપાળે અથડાયો તેમના શરીરનું બેલેન્સ ના રહ્યું અને તે જમીન પર ઉંધા પડી ગયા, કપાળમાં વાગ્યું હોવાને કારણે લોહી નીકળતું હતું. મે મારી આંખોથી આ જોયુ પણ હું કાંઇ જ ના કરી શકુ તેમ હતું.  ગામના  સાર્વજનીક મેદાન પર અમે રમતા હતા તે દરમ્યાન સામેની ટીમના એક   મારવાડીના છોકરાને ખોટી રીતે નાની બાબતમાં ઉશ્કેરાઇ જઇ ઝગડો કરતા અમે ચારપાંચ ભાઇબંધોએ ગડદાપાટુ અને સોટીઓથી ખુબ માર્યો જે છટકીને તેના ઘેર નાસી ગયો. રવિવારની સવારમાં દસના આરસામાં અમે બધા રમતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.અમેતેને મારીને ઘેર દોડી આવ્યા. આની  જાણ ઘરમાં કોઇને કરી ન હતી. હું ઘરમાં કાંઇજ કહ્યા વગર સીધો ચુપ હતો. ત્યાં અચાનક બુમ બરાડાને અવાજ સંભળાતા ધીમે રહી બહાર ડોકાતા પેલા મારવાડી છોકરાએ મારી તરફ આંગળી ચીધી કહે પેલો રહ્યો અને હું સંતાવા ઘરમાં દોડ્યો ત્યાં મારા પિતાજી બહાર જોવા આવતા કંઇ બોલે તે પહેલાં એક નાનો  પત્થર સીધો કપાળે વાગ્યો. મારા પિતાને મેં પડતા જોયા પણ ……
           મારા સ્કુલના દિવસો મને આજે પણ યાદ આવે છે. હાઇસ્કુલના દિવસોમાં ભણવાનું થોડું અને રમવાનું વધારે હતું.  ભણવામાં ભલે હું થોડો પાછળ હતો પણ ભાઇબંધોમાં વધારે ગુંથાઇ રહેવુ, ખાવાના સમયે ના ખાવું અને પછી મોડા આવી દાદાગીરી કરવી આ મારો રોજીંદો કાર્યક્રમ બની ગયો હતો.ઘણી વાર મારા માતા મને કહેતા બેટા રમવામાં સમય બગાડ્યા કરતાં તું કાંઇક શીખીશ તો તું આગળ આવીશ અને તારા પિતાજીને પણ આનંદ થશે કે મારો પ્રદીપ હોશિયાર થાય છે અને ડાહ્યો પણ.  સ્કુલમાં હું લેશન ના લઇ ગયો  હોઉ ત્યારે સાહેબ મને સહીં કરાવા કાગળ આપે તે હું તેમને ના બતાવું અને મારી  મમ્મીને સહી કરવા કહું અને તે મારા પિતાજી વતી સહી કરી અને લખે પ્રદીપના પિતાજી બહાર ગામ ગયા છે તેથી હુ સહી કરું છું.થોડા ઘરના કામને કારણે તે લેશન કરી શક્યો નથી તો તેને માફ કરશોજી.
              મારા પિતાજી અમદાવાદમાં જ્યારે ભણતા હતા ત્યારે ગુજરાત કૉલેજમાં હૉકી ટીમના કેપ્ટન હતા.તેઓ જ્યારે મહારાષ્ટમાં રમવાગયેલા ત્યારે ગુજરાતની ટીમ તે મેંચ જીતીને આવી હતી. એટલે મારા પિતાજી શરીરે ખડતલ હતા.  રમતગમતમાં અને ભણવામાં આગળ હતા.આને કારણે અમે બધા જ ભાઇઓ શરીરે ખડતલ. હું પણ ગુજરાત રાજ્યમાં દોડ, ઉંચો કુદકો અને ક્રીકેટમાં ઓલ રાઉન્ડર હતો. આમ મારા પિતાજી એ અમારા જીવનમાં સર્વસ્વ છે. મારા શોખને કારાણે હું કૉલેજમાં કે જાહેરમાં કાર્યક્રમ કરુ તે તેમને ગમતુ નહીં.કારણ ભણવામાં ઓછુ ધ્યાન અપાય તેથી તે ધણી વખત પ્રેક્ટીસમાંથી મોડો ઘેર આવું તો મને વઢે.  મારી બા ત્યારે ઉપરાણું પણ લે. એક  વખત ટાઉનહોલ માં  જાહેર કાર્યક્રમ હતો તેમાં આખા ભરાયેલ હૉલમાં ફીલ્મી કલાકારોને લઇને કાર્યક્રમ નિયામક તરીકે બધાની ઓળખાણ આપી અને બધાની સાથે મારું પણ સન્માન થયું જે વખતે મારા માતાપિતા અને ભાઇ પ્રેક્ષક તરીકે મે વિનંતી કરી હતી તેથી હોલમાં બેઠા હતા. આ પ્રસંગ પછી મારા પિતાએ મને જાહેર પ્રોગ્રામો માટે કદી રોક્યો નથી કારણ તેમણે જોયુ કે હું મારામાં રહેલી કલાનો વિકાસ કરુ છું.
                 મારા પિતા એ મારે માટે સર્વસ્વ છે કારણ તેમણે મને સંસ્કાર, સ્નેહ, ભક્તિ અને પ્રેમ આપ્યા છે જે મારા જીવનના પાયામાં છે. જે મારા ઉન્નતજીવનની છત્રછાયા છે. હું મારા પિતાને હંમેશા વંદન કર છુ અને આજે પણ જ્યારે ફોન કરુ ત્યારે સૌથી પ્રથમ જય જલારામ કહુ છું.કારણ મારા માતાપિતાના સંસ્કારથી મને ભક્તિ મળી અને પું જલારામ બાપા જેવા સંસારી સંતની કૃપા અને સહવાસથી મારું જીવન ભક્તિ અને માનવતાથી મહેંકી રહ્યુ છે તેમ લાગે છે.

Next Page »