December 6th 2015

મારી માવલડી

.                     .                   .Mari Mavaladi  .                 .                    .

Mari Mammi               Saraswati Maa

 

 .

.

.

.              .                                                મારી માવલડી 

તાઃ૧/૧૨/૨૦૧૫                                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપર કોઇપણ જીવનુ આગમન એ માતાથી જ મેળવાય છે. કર્મબંધન એ જીવનો સંબંધ છે. પિતા એ જીવને દેહ મળતા મળેલ જન્મને સાર્થક કરવાની રાહ બતાવે છે. ભણતરની રાહ બતાવી ઉજ્વળતાનો સંગ આપે છે. માતા એ સંતાનને સંસ્કાર આપી પરમાત્માની કૃપાને મેળવવાની રાહ ચીંધે છે. મારા જીવનમાં મારા પિતાજીએ મળે ભણતરની રાહ બતાવી જે મેળવી વકીલનુ ભણીને વકીલાત શરૂ કરી. વકીલ તરીકે કાર્ય કરી બુધ્ધિનો વિકાસ કરી નિખાલસ જીવન જીવવાની રાહ મેળવી જે મને જીવનમાં પ્રેમ,માન અને સંબંધ આપી રહી છે.મારી માતાએ મને ભક્તિની રાહે ચલાવી સંસ્કાર અને સાચી ભક્તિથી પરમાત્માની કૃપા આપી છે. બ્રાહ્મણ કુળમાં જન્મ મળતા માતા સરસ્વતીની સેવાથી કૃપા મળતા બુધ્ધિનો ઉપયોગ કરી કલમની કેડી મને મળી એ જ માતાના સંસ્કાર અને કૃપા કહેવાય.

હુ જ્યારે નાનો હતો ત્યારે મારા મમ્મી સવારમાં સુર્યદેવને પાણીની અર્ચના કરતા હુ જોતો ત્યારે વિચાર કરતો હતો કે આ રીતે ભક્તિ કરવાથી સુર્યદેવ રાજી થાય તો આપણુ જીવન પણ ઉજ્વળ બને એટલે ઘણી વખત હુ તેમની સાથે ઉભો રહી સુર્ય ભગવાનને પગે લાગતો હતો. બાળપણથી મને મારા પિતાજીએ ભણવાની જવાબદારી સમજાવી હતી એટલે હું સ્કુલમાં જતો અને દર વર્ષે હું પરીક્ષામાં પાસ થઈ આગળ વધતો હતો.બારમા ધોરણમાં એટલે કે એસ.એસ.સી. ની પરીક્ષા આપી પણ તેના પરિણામમાં ગણિતમાં થોડા ઓછા માર્કસ આવતા હુ નપાસ થયો.આ પરિણામ માર્ચમાં આવેલ એટલે હવે મારે ઑક્ટોબરમાં ફરી પરીક્ષા આપવી પડશે.એક દીવસ હું જ્યારે ઘરમાં ભગવાનના મંદીર આગળ બેસી માળા કરતો  હતો તે વખતે મારા મમ્મી મને કહે બેટા તારે ફરી પરીક્ષા આપવાની છે એટલે તારી પાસે  થોડો સમય છે તો તુ તારા પપ્પા વર્ષમા એકવાર નડીયાદમાં શેઢી નદીને કાંઠે આવેલ સંત પુજ્ય મોટાના આશ્રમમાં જાય છે અને પુજ્ય મોટાના દર્શન કરે છે.તુ એક કામ કર તારી પાસે સમય છે તો તું એ આશ્રમની મૌનરૂમમાં જઈ એક અઠવાડિયુ ત્યાં રહી આવ, આ કરવાથી તને ભક્તિની તક મળશે અને માતા સરસ્વતીની કૃપા પણ થશે જેથી ભણતરમાં પણ તને માતાની કૃપા મળતા તુ સારુ ભણી શકીશ. મારા પિતાજીને પણ આ વાત ગમી. મેં જવાની હા પાડી. એટલે મને ત્યાં આશ્રમમાં મૌન રૂમમાં મુકી આવ્યા.ત્યાં નંદુકાકા હતા જે બધી રીતે સૌ હરીભક્તોને મદદ કરતા હતા. મને ત્યાં રહ્યાને ત્રીજા દીવસે એટલે કે શનિવારે  માતા સરસ્વતીની પ્રેરણાથી ‘પુ.મોટાને વંદન’એ શિર્ષકથી એક કાવ્ય લખ્યુ. મને કોઇ ખ્યાલ જ નહોતો કે એ દીવસે પુજ્ય મોટા કૌભાકર્ણ આશ્રમથી ચાર દીવસ માટે આ આશ્રમમાં આવ્યા હતા.એટલે પુજ્ય નંદુકાકા રવિવારે સવારે મારી રૂમના બારણે ટકોર મારી કહે ’પુજ્ય મોટા આવ્યા છે,તારે દર્શન કરવા હોય તો તુ બહાર આવ’. મને આશ્ચર્ય થયુ. હું મેં લખેલ કાવ્ય લઈ બહાર આવી પુજ્ય મોટા બેઠા હતા ત્યાં બેઠેલા સત્સંગીઓની સાથે બેઠો. ધાર્મિક વાતો પત્યા બાદ મેં લખેલ કાવ્ય વાંચવા વિનંતી કરી.મેં ગઈકાલે લખેલ કાવ્ય “પું.મોટાને વંદન” ઉભા થઈ તેમની સામે વાંચ્યુ.પુજ્ય મોટાએ મને તેમની પાસે બોલાવી ખભો થાબડી મને કહે ’તું જીવનમાં આવુ લખતો રહેજે તારા પર માતા સરસ્વતીની કૃપા થશે’. એ તારીખ ૧૧મી મે ૧૯૭૧ હતી જે દીવસથી મેં મારા જીવનમાં મારી માવલડી સરસ્વતીની કૃપા મેળવી જે અત્યારે મને અનુભવાય છે. મારા મગજનો યોગ્ય રીતે ઉપયોગ થતા હ્યુસ્ટનના કલમપ્રેમીઓનો સાથ પણ મળ્યો જે જીવનનો અનુભવ છે. ભણતરની સાચી કેડી પકડતા બી.કૉમની ડીગ્રી મેળવી. બી.કૉમના છેલ્લા વર્ષે કૉલેજના નાટકમાં પિતાજીનુ પાત્ર મેં ભજ્વ્યુ એ નાટકમાં મને ’બેસ્ટ ઍક્ટર ઓફ ધી કૉલેજ’ નો ઍવોર્ડ મળ્યો. ભણતર અને સાહિત્યનુ ચણતર સાથે રહેતા તારીખ ૯-૯-૧૯૭૪ના રોજ આણંદમાં ‘ગોપાલજીત એન્ડ હીઝ ઑરક્રેસ્ટા’ની સ્થાપના કરી. ફીલ્મી ગીતોના આ કાર્યક્રમને હું સંભાળતો અને ત્રણ ગાયકના અવાજમાં ગાયનો પણ ગાતો હતો. એક વખત ગીત હરીફાઈ હતી તો મેં “અરૂણોદય”કાવ્ય લખ્યુ જેને આણંદના સંગીત શિક્ષકે કમ્પોઝ કર્યુ. તે ગીત અમારા ગ્રુપ દ્વારા હરિફાઈમાં રજુ  કરાયુ. આણંદમાં ગીત હરિફાઈમાં પ્રથમ નંબર આવ્યો. ત્યાર બાદ ખેડા જીલ્લાની હરિફાઈમાં પણ પ્રથમ નંબર આવ્યો. અને પછી ગુજરાત રાજ્યની હરીફાઈમાં અમારા ગ્રુપને સરકારના ખર્ચે ભુજ લઈ જવાયા. ત્યાં રાજ્ય હરીફાઈમાં અમારા ગ્રુપનો બીજો નંબર આવતાં રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર મળ્યુ અને તે ગીત બીજે દીવસે ભુજ રેડીયો સ્ટેશન પર વગાડ્યુ હતુ. આ બધુ મારી માવલડી સરસ્વતી અને કમળાબાની કૃપાએ શક્ય બન્યુ.

મારી માવલડીના પ્રેમનો અનુભવ મને ત્યારે થયો જ્યારે આ અનુભવેલ પ્રસંગથી જીંદગીમાં યાદ અને રાહ મળી. એમાં થયુ એવુ કે અમારા ગ્રુપને કૉલેજોમાં કાર્યક્રમોમાં મદદ કરવાની તક મળતી શરૂ થઈ. આણંદ અને વિધ્યાનગરમાં વર્ષના અંતે કૉલેજમાં કાર્યક્રમોમાં સંગીત વગાડવાની અને કાર્યક્રમને રજુ કરવાની તક મળી. સામાન્ય રીતે વિધ્યાર્થીઓને પ્રેકટીસ કરાવી   હુ સાંજે નવ વાગે ઘેર આવી જઉ. એક વખત હુ બીજે દીવસે કાર્યક્રમ હતો એટલે તે કામમાં થોડો વધારે સમય જતા રાત્રે અગીયાર વાગે ઘેર પહોંચ્યો તો ઘર બંધ કરી ઘરમાં બધાજ સુઈ ગયા હતા. મેં બારણુ ખખડાવ્યુ તો મારા પપ્પાએ ના ખોલ્યુ. મારે બહાર બારણા આગળ સુઈ જવુ પડ્યુ. બીજે દીવસે મારા પપ્પા મને કહે આવુ રાત્રે મોડા સુધી ભટકવાની જરૂર ક્યાં છે. સમયસર ભણવાનુ અને ઓફીસમાં મારી સાથે કામ કરવાનુ. આજ પછી આવુ મોડુ આવવાની કોઇ જરૂર નથી. જો આવુ કરીશ તો તને અહીં નહીં રહેવા દઉ. મારા પિતાજી વકીલ હતા વેચાણવેરા અને ઇન્કમટેક્ષનુ કામ કરતા હતા. હું કૉલેજથી આવી અને મદદ કરતો હતો.એટલે જીવન જીવવાનુ માર્ગદર્શન મને આપતા હતા.

સમય આવતા માતાની કૃપા થાય જે અનુભવાય. વડોદરાની ફિલ્મ સ્ટુડીયોના માલિક અમારા આણંદના હતા. મને પ્રેરણા થઈ કે આણંદના ટાઊનહૉલમાં આણંદના કલાકારો કાર્યક્રમ કરે તો બધાને તક મળે પોતાની લાયકાત બતાવી શકે.પણ એક વસ્તુ છે કે સ્થાનીક કલાકારોના કાર્યક્રમમાં કોઇ પૈસા ખર્ચી ટીકીટ ના લે કારણ તે વ્યક્તિને ઓળખતા હોય. પણ  માતાની કૃપાએ મને પ્રેરણા મળી કે આ કાર્યક્રમાં હુ ફીલ્મી કલાકારને લાવુ તો તેને જોવા માટે પણ ટીકીટ લઈ લોકો આવે.તે ધ્યાનમાં રાખી ૨૬મી જાન્યુઆરી ૧૯૭૬ના રોજ સીને સર્કલ, આણંદની સ્થાપના કરી જેના મુખ્ય સલાહકાર લક્ષ્મી સ્ટુડીયોના માલિક પુનમભાઈ સી.પટેલ, સાથે નગરપાલિકાના પ્રમુખ અને લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી નવનીતભાઈ શાહ પણ મદદ કરતા હતા અને કાર્યક્રમ નિયામક હુ હતો પ્રથમ કાર્યક્રમમાં ફીલ્મી ગીતો અને હાસ્ય પ્રસંગ નક્કી કર્યો. ફીલ્મી કલાકારો ને લાવવાની જવાબદારી મારી એટલે હુ તેમને લેવા વડોદરા જવાનો હતો. મે મારા મમ્મી,પપ્પા અને મારા ભાઈને કાર્યક્રમના પાસ આપ્યા અને કાર્યક્રમ જોવા આવવા કહ્યુ.  મારા મમ્મીને માતાએ પ્રેરણા કરી અને કાર્યક્રમમાં આવવાની હા કહી. હું તો ઘેરથી વહેલો નીકળી ગયો હતો.મારે વડોદરા કલાકાર લેવા જવાનુ હતું. કાર્યક્રમ સાડા છ વાગે શરૂ થઈ ગયો હુ સાડા પાંચે આણંદથી કાર લઈ નીકળી ગયો. હું કલાકાર લઈ સાડા સાત વાગે ટાઊનહૉલ પર આવ્યો. હૉલમાં લાઈટો ચાલુ કરી દીધીને કાર્યક્રમ અટકાવ્યો. પ્રથમ હુ પ્રવેશ્યો મારી પાછળ ગુજરાતી કલાકાર ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, સ્નેહલતા પ્રવેશ્યા. પ્રેક્ષકો ઉભા થઈ તાલી પાડી આવકારવા લાગ્યા. હુ સીધો સ્ટેજ પર ગયો. કલાકારો પ્રથમ સીટો પર બેસી ગયા અને કાર્યક્રમ શરૂ થતા મારુ ગાવાનુ શરૂ થયુ. ગીત પુર્ણ થતા ઉપેન્દ્રભાઈ ઉભા થઈ તાલી પાડી મને એ ગીત ફરી ગાવાની ઓફર કરી તે ગીત તેમને ગમ્યુ હતુ. તેથી મારે એ ગીત ફરી ગાવુ પડ્યુ.

આ કાર્યક્રમ પુરો થયા બાદ હુ બાર વાગે ઘેર ગયો બારણુ ખખડાવતા મારા પિતાજીએ આવીને બારણુ ખોલી મને બાથમાં લઈ લીધો અને બચી કરી કહે બેટા મારી ભુલ હતી હવે  કદી તને બહાર નહી સુવા દઉ. માતાની કૃપા જ તને કલાની કેડી ઉપર લઈ જાય છે.તારા જીવનમાં માવલડીની કૃપા થઈ છે જે તારી લાયકાતે મને દેખાઈ.
***************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment