જ્યોત પ્રગટે
. .જ્યોત પ્રગટે
તાઃ૭/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યોત પ્રગટે જ્યાં જીવનમાં,ત્યાંજ એ પ્રકાશ પાથરી જાય
માનવજીવનની મહેંકપ્રસરે,ત્યાં જીવન પાવનએ કરીજાય
…………સુખદુઃખ નાસ્પર્શે દેહને,એ સાચી જલાસાંઇની ભક્તિ કહેવાય.
કરેલ કર્મ એછે બંધન જીવના,ના કોઇથી જગતમાં છટકાય
મળેલબંધન જીવને જગતમાં,જે અવનીપર દેહ આપી જાય
કામક્રોધ કે મોહ ના છુટે દેહને,જે જીવને જન્મ મળતા દેખાય
ભક્તિભાવની સાચી કેડીએ જીવતા,પરમાત્માની કૃપા થાય
………..સુખદુઃખ નાસ્પર્શે દેહને,એ સાચી જલાસાંઇની ભક્તિ કહેવાય.
દેહ મળતા અવનીએ જીવને,કર્મની કેડીથી બંધન થઈ જાય
કરેલ કર્મએજ કેડી જીવની,જીવને જન્મમરણથી જકડી જાય
ભક્તિરાહને પકડી ચાલતા,જીવથી કર્મનીકેડી સચવાઈજાય
મુક્તિમાર્ગનીકેડી મળે જીવને,અવનીપર આગમન છુટી જાય
………..સુખદુઃખ નાસ્પર્શે દેહને,એ સાચી જલાસાંઇની ભક્તિ કહેવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++