October 18th 2018
. .જય માતાજી
તાઃ૧૮/૧૦/૨૦૧૮ (આસો વદ-૯) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદીવસ નવરાત્રીના જીવનમાં,જ્યાં માતાને રાજી કરવા ગરબા ગવાય
નવદીવસ નિર્મળભાવથી પુંજનકરતા,ગુજરાતીઓને પવિત્રજીવન મળીજાય
.....એજ માતાની શ્રધ્ધાભાવથી પુંજન થાય,જ્યાં નિખાલસપ્રેમથી ગરવારાસ રમાય.
પાવનકર્મની રાહમળે જીવનમાં શ્રધ્ધાએ,કુળદેવીમાતાની કૃપામળે માનવીને
પવિત્ર ભાવથી ગરબે ઘુમતા આપણે,દરવાજા ખુલતા માતાના દર્શન થાય
પાવન રાહ મળે કૃપાએ કુળને જીવનમાં,જે કુટુંબને પવિત્રરાહેજ લઈ જાય
મનથીકરેલ પુંજા માતાની નવરાત્રીમાં,અજબશક્તિની કૃપાપણ આપી જાય
.....એજ માતાની શ્રધ્ધાભાવથી પુંજન થાય,જ્યાં નિખાલસપ્રેમથી ગરવારાસ રમાય.
જગતમાં ઘુમતા ગુજરાતીઓને કૃપામળે,જ્યાં નવરાત્રીએ માતાનીભક્તિ થાય
અનેક સ્વરુપ માતાજીના છે ભારતમાં,જે જગતમાં પવિત્રભુમીપણ કરી જાય
મળેલદેહને કર્મનો સંબંધ છે અવનીપર,શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા કૃપા થાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં જગતપર નવરાત્રીએ માતાનુપુંજનથાય
.....એજ માતાની શ્રધ્ધાભાવથી પુંજન થાય,જ્યાં નિખાલસપ્રેમથી ગરવારાસ રમાય.
==============================================================
No comments yet.