પ્રભુથી પ્રીત.
પ્રભુથી પ્રીત
તાઃ૧૨/૬/૨૦૦૮ …………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગમાં સાચી પ્રેમની રીત, ભક્તિમાં જેને છે પ્રીત
રામરામ જે રટ્યા કરે, ઉજ્વળ જીવન તે જીવ્યાકરે
………………જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
સંત સમાગમ પ્રેરે પ્રીત,મુક્તિ મેળવવા કરેજે જીદ
નામ સ્મરણ છે સાચી રીત,પ્રભુ પ્રેમમળશે હરદીન
. ……………..જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
માયાના બંધન છે અનેક,જે છુટશે જ્યારેમળશે હેત
દર્શન કરતાં રહેશે રંગ,જગની લીલા ના રહેશે સંગ
……………….જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
કાયામાયાની જો જાશે દુર,છે ભક્તિમાંજીવનચકચુર
જલારામની ભક્તિ અદભુત, જાણે તે છે પ્રભુના દુત
………………જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
મનથીરટણ નેમાળા થાય,તેનું જીવન ઉજ્વળદેખાય
સાંઇબાબાનો છેઅણસાર,પ્રભુનીભક્તિ જગમાંઅપાર
……………..જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
…શ્રીરામ શ્રીકૃષ્ણ જયજય રામ જયજય કૃષ્ણ હરેરામ હરેકૃષ્ણ…