June 12th 2008

રાઘવને રામ.

                          રાઘવને રામ
તાઃ૧૨/૬/૨૦૦૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

રાઘવને રામ કહું, કાન્હા ને કૃષ્ણ  કહું
મનથી હું પ્રભુ ભજુ, બીજુના જાણું કશું
                                          ……રાઘવને રામ કહું
અંતરમાં લાગે હેત, મળે જ્યાં પ્રભુ પ્રેમ
લાગે છે જીવન નેક, જલા છે સાથે છેક
                                          ……રાઘવને રામ કહું
મળી છે ભક્તિ મને,માબાપે દીધી પ્રેમે 
ઉજ્વલછે જીવનદીસે,મળીજે પ્રભુ પ્રીતે 
                                        ……..રાઘવને રામ કહું
સાંભળુ ભક્તિ ગીત, પ્રભુથી લાગે પ્રીત
વંદનહુંમનથીકરતો,ના હુંજીવનથી ડરતો
……………………………………………….રાઘવને રામ કહું
માગું હું મનથી પ્રભુ, શરણે હુ કાયમ રહુ
લાગે ના માયા મોહ, જીવ ને છુટતાં દેહ
                                      ……….રાઘવને રામ કહું
મનમાં ના વ્યાધી મને,સાંઇના નામથી
અમર ભક્તોની કૃપા,ભક્તિથી મળી મને
………………………………………………રાઘવને રામ કહું

********************************************

June 12th 2008

પ્રભુથી પ્રીત.

                                 hanukaka.jpg                     

                                   પ્રભુથી પ્રીત 
તાઃ૧૨/૬/૨૦૦૮ …………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગમાં સાચી પ્રેમની રીત, ભક્તિમાં જેને છે પ્રીત
રામરામ જે રટ્યા કરે, ઉજ્વળ જીવન તે જીવ્યાકરે
  ………………જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

સંત સમાગમ પ્રેરે પ્રીત,મુક્તિ મેળવવા કરેજે જીદ
નામ સ્મરણ છે સાચી રીત,પ્રભુ પ્રેમમળશે હરદીન
 . ……………..જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

માયાના બંધન છે અનેક,જે છુટશે જ્યારેમળશે હેત
દર્શન કરતાં રહેશે રંગ,જગની લીલા ના રહેશે સંગ
 ……………….જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

કાયામાયાની જો જાશે દુર,છે ભક્તિમાંજીવનચકચુર
જલારામની ભક્તિ અદભુત, જાણે તે છે પ્રભુના દુત
  ………………જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

મનથીરટણ નેમાળા થાય,તેનું જીવન ઉજ્વળદેખાય
સાંઇબાબાનો છેઅણસાર,પ્રભુનીભક્તિ જગમાંઅપાર
 ……………..જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

શ્રીરામ શ્રીકૃષ્ણ જયજય રામ જયજય કૃષ્ણ હરેરામ હરેકૃષ્ણ…