જરુર નથી.
જરુર નથી
તાઃ૧૧/૬/૨૦૦૮ …………………………………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
- ભક્તિ સાચા દિલથી કરશો તો દેખાવ કરવાની કોઇ જરુર નથી.
- માબાપની સેવા મનથી કરશો તો આશિર્વાદ માગવાની જરુર નથી.
- બાળકોને સંસ્કાર આપશો તો હડધુત થવાની જરુર નથી
- ભણતરનો પાયો જેનો મજબુત છે તેને નોકરી માટે ભટકવાની જરુર નથી
- લગ્ન કરી અહીં આવેલાના માબાપને અહીં આવવાની જરુર નથી.
- ઘરડા માબાપને બોલાવી બેબી સીટીંગ કરાવવાની કોઇ જરુર નથી.
- દીકરાની વહુનો છણકો સાંભળવાની કોઇ જરુર નથી.
- સાચી ભગવાનની સેવા ઘરમાં થાય છે બહારજવાની કોઇ જરુર નથી.
- દેશમાં એક ધર્મના જુદા જુદા ફાંટા કરવાની કોઇ જરુર નથી.
- જ્યાં ઘરમાં જ ભક્તિ થતી હોય ત્યાં મંદીરો પાછળ ખર્ચાઓની કોઇ જરુર નથી.
- એકજ ગામમાં એકજ સંપ્રદાયના જુદાજુદા મંદીરો કરવાની કોઇ જરુર નથી.
- ભગવું ધારણ કરેલ સાધુને સેલફોનની કોઇ જરુર નથી.
- સત્ય સ્વીકારી જીવનારને ભટકવાની કોઇ જરુર નથી.
- જન્મ મળેલ છે તેણે મૃત્યુથી ડરવાની કોઇ જરુર નથી.
- સંતાનોનો સાચોપ્રેમ તેમનાલગ્ન બાદમાબાપને જોવા મલે છે જે કહેવાની કોઇ જરુરનથી.
- માની આંખ ખુબ આનંદ થાય ત્યારે અને સંતાન તરછોડે ત્યારે ભીની થાય જે કહેવાની જરુર નથી.
<<><<<<<><<<<<<<<<<<><<<><><<><><><<<<><><><><<<<><><<<<><><<