December 7th 2012

અણસાર મળે

.                .અણસાર મળે

તાઃ૭/૧૨/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

અદભુત છે અણસાર પ્રભુનો,સમજદારને સમજાય
મળી જાય જ્યોત જીવને,ત્યાં પાવનરાહ મેળવાય
.                  ………………અદભુત છે અણસાર પ્રભુનો.
લાગણી મોહની કાતર છે કાળી,જીવન વેડફી જાય
મનની માગણીઓ વધતી,ત્યાંએ કાતર ફરી જાય
સમજણ નો ના સહવાસ રહે,કેના સદમાર્ગ દેખાય
એકવ્યાધીથી પરાણે છુટતાં,બીજી ત્યાંઆવી જાય
.                    ……………….અદભુત છે અણસાર પ્રભુનો.
આવી મળે પ્રેમ અવનીએ,એજ અદભુત અણસાર
મનને શાંન્તિ સરળ મળે,જે પ્રભુકૃપાએજ મેળવાય
સાગર જેવા સ્નેહથી જગે,મન આકુળ વ્યાકુળ થાય
જલાસાંઈની એક જ કેડી,આ જન્મ સફળ કરી જાય
.                 …………………અદભુત છે અણસાર પ્રભુનો.

================================