December 14th 2012

કાયાની માયા

.                         કાયાની માયા

તાઃ૧૪/૧૨/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જગતના બંધન વળગે,ના કોઇ તેનાથી અળગે
આવી અવનીએ દેહ મેળવતા,કર્મની કેડી એને અડતા
.               …………………જીવને જગતના બંધન વળગે.
કળીયુગની છે આ અજબકેડી,ના કોઇ જીવથી છટકાય
કર્મબંધન લાવે ખેંખી જીવને,જન્મ મરણથી એ બંધાય
માયામળતા જીવને અવનીએ,નાસમજણથી સમજાય
કાયાની માયા લાગતા જીવને,અવનીના બંધન થાય
.               …………………જીવને જગતના બંધન વળગે.
રાહ સાચી મળે જીવનમાં,જ્યાં ભક્તિની કેડીને પકડાય
મનવિચાર નેવાણીસુધરતાં,જીવનેમુક્તિમાર્ગ સમજાય
અનોખોપ્રેમ પ્રભુનોમળતાં,જગતમાં શાંન્તિ મળતીજાય
અંતે દેહથી વિદાય લેતા,જીવને સ્વર્ગીયરાહ મળી જાય
.                …………………જીવને જગતના બંધન વળગે.

+++++++++++++++++++++++++++++++++++++