આજ અને કાલ
આજ અને કાલ
તાઃ૯/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજકાલ એ દેહના બંધન,
મળતા જીવને જગના સગપણ
જન્મ ધરે જ્યાં જીવ જગતપર,
મળીજાય આજકાલની એ અંદર
……… આજકાલ એ દેહના બંધન.
પરમાત્માની કૃપા અને,જીવના જગતના બંધન
જીવને એવો જ દેહમળે,એ માનવી પશુ કે બંદર
લેણદેણ છે હિસાબ પ્રભુનો,નામાનવી સમજે કોઇ
ભક્તિભાવમાં જે જીવ ચાલે,એણે પ્રભુકૃપાને જોઇ
………આજકાલ એ દેહના બંધન.
આજને પકડી જે ચાલે જગમાં,ના તેને ચિંતા કોઇ
મળીજાય મહેનતથી આજે,તેણે કાલ ઉજ્વળ જોઇ
કાલ કરવાની તેવડમાં જ,જે આજને ભુલીજ જાય
આવે વ્યાધી આંગણે આજે,નાકાલ માટે એ રોકાય
……….આજકાલ એ દેહના બંધન.
આ સમયને પકડી ચાલતાં,સઘળુજ સચવાઇ જાય
રાહની કોઇ ના જરુરપડે,કે ના સમય વેડફાઇ જાય
આજ કાલનો ના વિચાર કરતાં,વ્યાધીઓ દુર થાય
મળીજાય જ્યાં કૃપા પ્રભુની,ત્યાં હિંમતથીજ જીવાય
………આજકાલ એ દેહના બંધન.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;