જન્મ મરણ
જન્મ મરણ
તાઃ૯/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મરણ એ દેહના બંધન,
જ્યાં જીવ અવની પર આવે
રામ,કૃષ્ણ એ નારાયણ રૂપ,
તોય તેમના દેહને ના છોડે.
……….જન્મ મરણ એ દેહના.
દેહ જગત પર આવતાં,માતાનો જગે પ્રેમ મળે
લાગણી માયાને સ્નેહથી,માતાની કુખ છે ઉજળે
પામી પ્રેમમાતાનો દીલથી,દેહને શાંન્તિ જ મળે
જન્મસફળ કરવામાં તેનો,પ્રેમ માનો પાયો બને
………જન્મ મરણ એ દેહના.
વાણી,વર્તનને મહેનતને,પિતાના પ્રેમે રાહ મળે
સાચી કેડી પકડી લેતા,ઉજ્વળ જીવન મળે તેને
દેહનાસંબંધ અવનીના,સાર્થક સાચી કેડીએ બને
હૈયેથી મળતા હેતથી જ,જન્મ ઉજ્વળ બની રહે
……….જન્મ મરણ એ દેહના.
મૃત્યુ જન્મનો સંબંધી,જ્યાંજન્મ મળે ત્યાંએ મળે
ના જગમાં કોઇ છોડી શકે,ના અળગુએ કદીબને
જન્મની જ્યાં તારીખ મળે,ત્યાં મૃત્યુનીય લખાય
જન્મમરણના બંધન સાચા,ના રહે કદીએ આઘા
………જન્મ મરણ એ દેહના.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦