સરળ સૃષ્ટિ
સરળ સૃષ્ટિ
તાઃ૮/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોલેનાથની ભક્તિ કરતાં,જન્મ સફળ થઇ જાય
પ્રભુપ્રેમની પ્રીતમળતાં,હૈયુ પણ આનંદે હરખાય
………ભોલેનાથની ભક્તિ કરતાં.
જન્મ મળતાં જગે જીવને,લેખ વિધાતાથી લખાય
ગણપતિની કલમ ચાલતાં,જીવન ઉજ્વળથઇ જાય
સંતાન ભોલેનાથનાએ,જે સૌ પહેલા જગે છે પુંજાય
ભોલેનાથની ભક્તિએ,કૃપા વિધાતાનીય મળી જાય
………ભોલેનાથની ભક્તિ કરતાં.
માનો અમુલ્ય પ્રેમ મળે જ્યાં,મા પાર્વતીજી પુંજાય
આશીર્વાદ મળેજ્યાં માના,ત્યાં જીવનઉજ્વળ થાય
દેહનો સંબંધ આજીવથી,જે માની કૃપાએ સચવાય
શાંન્તિ મળે જીવનજીવતાં,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
………. ભોલેનાથની ભક્તિ કરતાં.
ભોલેનાથ તો ભોળાછે,જ્યાં ભક્તિ શ્રધ્ધાએજ થાય
જીવને આપે શાંન્તિ ને પ્રેમ,જ્યાં દુધ અર્ચન થાય
પ્રેમઅનંત મળીજાયજીવને,ઉજ્વળજીવનથઇ જાય
દુનીયા આખી વિખરાઇજાય,જ્યાં તાંડવ જગે થાય
………ભોલેનાથની ભક્તિ કરતાં.
==============================