મો.ક.ગાંધી
મો.ક.ગાંધી
તા ૩૦/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતદેશની જનતા જે નામને આજે પણ ગૌરવ સહિત બોલે છે
તે નામ મહાત્મા ગાંધી.ગુજરાતના આ વીરે અહિંસાથી દેશનેઆઝાદીની
માળા પહેરાવી.ગુજરાતીઓ માટે આ અભિમાન અને ગૌરવ બન્યુ છે.
આજના આ પવિત્ર દીવસને મહાત્મા ગાંધી નિર્વાણદીન કહેવાય છે.
અને તે નામની ઓળખાણ મારી સમજ પ્રમાણે નીચે પ્રમાણે થઇ શકે……..
શ્રી મોહનલાલ કરમચંદ ગાંધી શબ્દે શબ્દની સમજ ………..
શ્રીમાન
મોહમાયાને ત્યાગી પવિત્ર જીવન જીવી ગયા.
હરેક પળને પારખીને જીવન સાર્થક કર્યું.
નથી જોયા સ્વાર્થ કે લોભ,ફક્ત દેશની આઝાદી એ લક્ષ હતું
લાલચ અને લોભને દુર રાખી દેશ માટે જીવન અર્પણ કર્યુ.
લક્ષ મેળવવા ભારતની જનતા તેમનો સાથ બની
કર્મ અને ધર્મ જનતાને બતાવતા સૌનો સાથ મળ્યો.
રહીમ અને રામને એક જોતાં કોમવાદ દુર રહ્યો.
મહેનત કરી માનવતાનો માર્ગ લીધો.
ચંચળ મન પર કાબુ રાખી શ્રધ્ધાને સબળ કરી.
દરેક જીવને માનવતાનો માર્ગ બતાવ્યો.
ગાંધી કુળને જગતમાં ભારતની શાન કરી.
ધીરજ રાખી સત્યનો માર્ગ મેળવી દેશને આઝાદ કર્યો.
શ્રી મહાત્મા ગાંધીએ જીવન ઉજ્વળ કરી ગુજરાતીઓને જગતમાં
શાન અપાવી છે.
તે પવિત્ર જીવને કોટી કોટી વંદન. પ્રદીપ બ્રહ્મભટ્ટ.તાઃ૩૦/૧/૨૦૧૦.
++++++++++++++++++++++++++++++++++++++++