યાદગીરી
યાદગીરી
તાઃ૩૦/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમયનુ કામ કરે,ના તેમાં કોઇ ભેદભાવ
પકડી લેતાં માનવી બને,જે યાદ રહે જગમાંય
……..સમય સમયનુ કામ કરે.
જગતપિતાની કૃપા થતાં,જીવને મળે માનવ જન્મ
થતાં અવનીએ કર્મના બંધન,જે કરેછે જીવને મુક્ત
મારા તારાની માયા બતાવે,મોહનાબંધન સદામળે
મુક્તિ પામશે આ પામર જીવ,ભક્તિમાં રાખેજો સંગ
………સમય સમયનુ કામ કરે.
જીવનના સોપાન ચઢતાં,પ્રથમ ભણતરનો લેસંગાથ
મહેનત મનથી કરતાં ત્યાં સફળતાનો મળે સહવાસ
સિધ્ધિ પામતા આ સોપાને,મળીજાય દેહને સન્માન
યાદ રહે એનામ,કામ,જેને જગમાં યાદગીરી કહેવાય
………સમય સમયનુ કામ કરે.
જુવાનીના જોશને પકડી,જ્યાં વિશ્વાસે મહેનત થાય
મળે સોપાન સોપાને સરળતા,જે ઘણુ બધુ દઇ જાય
સધ્ધર પાયે જીવન મળતાં,સંસાર શાંન્તિએ મહેંકાય
આંગળી ચીંધાય જ્યાં કર્મને,ત્યાં યાદગીરી રહીં જાય
……….સમય સમયનુ કામ કરે.
જન્મ સાર્થક કરવાને જ્યાં,પ્રેમથી પ્રભુની ભક્તિ થાય
નિર્મળ હૈયે પુંજન કરતાં જીવને,ભક્તિ પથ મળી જાય
ઉંમરના ઓવારે આવતાં,મુક્તિદેવા પરમાત્મા હરખાય
અવનીપરની વિદાયથી,સગાંસ્નેહીઓને રાહમળી જાય
………સમય સમયનુ કામ કરે.
==================================