કર્મની ઓળખાણ
કર્મની ઓળખાણ
તાઃ૨૮/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીંદગી તો જીવી જવાની,ના છે તેમાં કોઇ રમખાણ
સંસ્કાર સિંચનની કેડી જોતાં,થાય કર્મની ઓળખાણ
………જીંદગી તો જીવી જવાની.
મીઠી મધુર એક લહેર પવનની,સુગંધ પ્રસરાવી જાય
મળેમનને ત્યાં શાંન્તિ અપાર,ને દેહપણ પાવન થાય
કુદરતની આકલા નિરાળી,મનની પવિત્રતાએ લેવાય
સત્કર્મોથી પ્રભુ રીઝવતાં,મનુષ્ય જન્મસાર્થક થઇ જાય
………..જીંદગી તો જીવી જવાની.
મોહ અપેક્ષા કે લાગણી દેખાવની,ના અસર કોઇ થાય
સમય ના હાથમાં કોઇના,કે ના કોઇથી એ કદી રોકાય
સંતનુ શરણુ મેળવી લેતાં,જીવને સદ માર્ગે દોરી જાય
અલખની દોરી મેળવીલેતાં,કર્મે જીવન પણમહેંકી જાય
……….જીંદગી તો જીવી જવાની.
===================================