January 30th 2010

પ્રેમી પોકાર

                          પ્રેમી પોકાર

તાઃ૨૯/૧૦/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના અણસાર સહવાસનો,કે ના સ્વાર્થનો રણકાર
જગમાં સમયે આવી મળે,હ્ર્દયનોજ પ્રેમીપોકાર
                         …….. ના અણસાર સહવાસનો.
કુદરતની આ રીત ન્યારી,જે પ્રેમ શબ્દે મળી જાય
અંતરનો કે બહારનો છે,એતો સમયે સમજાઇ જાય
મોહ માયા ના દેખાય,જ્યાં માબાપનો આવી જાય
આશીર્વાદ જ્યાં દીલથી મળે,ત્યાં ના ઉભરો દેખાય
                         ……… ના અણસાર સહવાસનો.
માનવદેહની માયા જીવને,મુક્તિના બતાવે એ દ્વાર
ભક્તિનો પોકાર દીલથીકરતાં,મળે સંતોનો સહવાસ
સાચી ભક્તિ મનથીજ કરતાં,ના ભુમી ભટકવું થાય
મળીજાય કૃપાપ્રભુની,ના દિવો લઇ શોધવા જવાય
                     …………. ના અણસાર સહવાસનો.

************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment