October 23rd 2007

નારીના ફેર

……………………નારીના ફેર…………………
તાઃ૨૯/૩/૧૯૭૭……………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

નારી તારા અંગે અંગે છે ફેર.
……………….મનમાં ઉમંગોને મુખડા પર છે ફેર;
જ્યાંથી નીરખુ તને ત્યાંથી દીસે નહીં કેમ.
……………………………………………….નારી તારા.

કાજળ જેવી આંખમાં,શીતળતાથી પડે ફેર
કાંટા દીસતા તનડામાં,પણ સ્નેહકેરો છે ફેર
પ્રેમળતાની જ્યોત જલે,ત્યારેદીપ સળગેછે કેમ
……………………………………………….નારી તારા.

સોડમ તારા અંગની,સર્વાન્ગે વ્યાપી રહે
એક ચિનગારી હેતની,જીવન પર બિછાઇ રહે
સુંદરતાના મોહમાં,કુરુપતા દીસે છે કેમ.
……………………………………………….નારી તારા.

તરસતા આ નૈનોમાં શું પ્રેમ છુપાયો નથી?
વરસતા આ સ્નેહમાં ઉર્મીઓ જાગી છે જેમ
નીડરતાના છાંયડે, બેઠો ડરપોક થઇ કેમ
……………………………………………….નારી તારા.
—————-

October 23rd 2007

સ્નેહબંધન

                             સ્નેહબંધન

તાઃ૨૧/૧૧/૧૯૭૭                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહબંધન…(૨) જગમાં સાચું,
સ્નેહ ભરેલા જીવનમાંહી..(૨)
કર્મનુ બંધન નીસદીન વાચું………..સ્નેહબંધન

પ્રેમ મળે છે પ્રેમની સાથે…(૨)
હેત દીસેલા મનડાં માની
જ્યોત જલે છે સ્નેહને કાજે
વર્ષો વીતિ ગયા….(૨)……………સ્નેહબંધન

મેળ જગતમાં પ્રેમને કાજે..(૨)
માનો પ્રેમ મળે એ સાચો
ભાઇની જ્યોત જલે બેન કાજે
સૃષ્ટિના ભેદ અજાણ..(૨)…………સ્નેહબંધન

**********************************
પ્રસ્તુત ગીત ગુજરાતી ફિલ્મ સ્નેહબંધન માટે નિર્માતાના કહેવાથી
લખેલ જેને આણંદના શ્રી કિશોર પંડ્યાએ ચંન્દ્રકૌસ રાગમાં ગાયેલ.