સ્નેહબંધન
સ્નેહબંધન
તાઃ૨૧/૧૧/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્નેહબંધન…(૨) જગમાં સાચું,
સ્નેહ ભરેલા જીવનમાંહી..(૨)
કર્મનુ બંધન નીસદીન વાચું………..સ્નેહબંધન
પ્રેમ મળે છે પ્રેમની સાથે…(૨)
હેત દીસેલા મનડાં માની
જ્યોત જલે છે સ્નેહને કાજે
વર્ષો વીતિ ગયા….(૨)……………સ્નેહબંધન
મેળ જગતમાં પ્રેમને કાજે..(૨)
માનો પ્રેમ મળે એ સાચો
ભાઇની જ્યોત જલે બેન કાજે
સૃષ્ટિના ભેદ અજાણ..(૨)…………સ્નેહબંધન
**********************************
પ્રસ્તુત ગીત ગુજરાતી ફિલ્મ સ્નેહબંધન માટે નિર્માતાના કહેવાથી
લખેલ જેને આણંદના શ્રી કિશોર પંડ્યાએ ચંન્દ્રકૌસ રાગમાં ગાયેલ.