October 27th 2007

સુવિચાર

                        સુવિચાર 

તાઃ૩૦/૧૧/૨૦૦૭                              દીપલ બ્રહ્મભટ્ટ, હ્યુસ્ટન.

* સંસારરુપી ચક્ર મનુષ્યને વળગેલ છે,જન્મ થાય તેનું મૃત્યું ચોક્કસ છે.પણ
…તેનો જન્મ સાર્થક છે જે મનુષ્ય જીવનની દરેક પળને પારખીને જીવે છે.
* આવેલાનું આગમન જે સ્નેહથી સ્વીકારે તે મનુષ્ય.
* સમયની કિંમત તે જાણી શકે,જે તેને વ્યર્થ ન જવાદે.
* માનવી આખર માટીમાં મળવાનો કારણ તે માટીમાંથી જ બન્યૉ છે.
* હ્રદયની ભાવના એ કહેવા કરતાં આંખોમાં સ્પષ્ટ જોઇ શકાય છે.
* પરમાત્માને શોધવા માટે પોતાના આત્માને ઓળખવો જોઇએ.
* મનુષ્યનું જીવન અને સંગીતની સરગમ એ બંન્ને સરખા છે.
* સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા.
* બાહ્ય ચક્ષુ કુદરતને જુએ,અંતર ચક્ષુ પરમાત્માને જુએ.
* જીવનનું સાચું શિક્ષણ એ મળેલા સંસ્કાર છે.
* ગુરુ બે છે.એક આત્માનું કલ્યાણ કરે,બીજા જીવનનું.
* માગવું તે પામરતા છે,મળવું તે લાયકાત છે.
* મહેનત એ મનુષ્યનું કર્તવ્ય છે,ફળ તે તેની સાર્થકતા છે.
* તારું મારું એ અજ્ઞાનતા છે,અમારું તે સંસ્કાર છે અને તમારું એ સાચું જ્ઞાન છે.

નોંધઃ ઉપરોક્ત સુવિચાર મારી દીકરીના છે જેમાં હું પણ સહમત થઉ છું.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.

((((((((((((((()))))))))))))))))((((((((((((()))))))))))))((((((((((((((

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment