September 4th 2015

અંતરનું વ્હાલ

.                .અંતરનું વ્હાલ

તાઃ૪/૯/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

વ્હાલ વ્હાલ હુ કરુ અંતરથી,ના ઉભરો કોઇ અથડાય
સંતાન પારખે પ્રેમ માબાપનો,જે માનવતા કહેવાય
………..હૈયેથી વરસેલ હેત જીવનમાં,સંતાનનો સ્નેહ આપી જાય.
અજબ છે લીલા કુદરતની,નાલોહીના સંબંધે સહેવાય
ભાઈબહેનના સંબંધને સ્પર્શે,જ્યાં કળીયુગ અડી જાય
માબાપને છોડી દુર રહીને,સંગીની સંગે છે જ ભટકાય
એજ દેખાવનીદુનીયા,જેને કળીયુગની અસર કહેવાય.
……ના અંતરથી વ્હાલ મળે દેહને,કે ના જન્મમરણથીય છટકાય.
પરખ પ્રેમની જીવને મળે,જ્યાં નિર્મળતાએ જ જીવાય
મળે સફળતાના સોપાન જીવને,જે આશિર્વાદે મળીજાય
ના અપેક્ષાની કોઇ માયા રહે,એજ નિખાલસતા કહેવાય
પ્રેમની નિર્મળ કેડીએ ચાલતા,ના અપેક્ષા કોઇજ રખાય
………એ જ પવિત્ર રાહ દઈ દે જીવને,જે કર્મબંધનને છોડી જાય.

=============================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment