September 4th 2015

લાગણી કે લોટી

.               . લાગણી કે લોટી

તાઃ૨/૯/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મ કરેલા માનવદેહે જીવનમાં,એજ સંગાથ આપી જાય
આજકાલને ના આંબે કોઈ,જે માનવ જીવનથી સહેવાય
…………આવી અવનીપર જીવને,મળે લાગણી કે લોટી અથડાય.
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળ જીવન જીવાય
મળે પ્રેમ કલમપ્રેમીઓનો,જ્યાં માસરસ્વતીની કૃપાથાય
અપેક્ષાના વાદળ જ્યાં તુટે,ત્યાં પાવનકર્મજ પ્રેમથી થાય
ના અંતરમાં કોઇ અભિલાષા,જ્યાં લાગણી પ્રેમ મળી જાય
………..એજ સાચી રાહ જીવની,જે કળીયુગથી દુર રહીને જીવાય.
વાણીવર્તન સાચવી જીવતા,જીવને સુખશાંન્તિ મળી જાય
સરળ જીવનનીરાહે ચાલતાય,કદીક કદીક દુઃખ આપીજાય
પડે માથે લોટી તિરસ્કારની,ત્યાં ના કોઇ જીવથીય છટકાય
એજ કુદરતની અજબલીલા,જે સમયસમયને આંબી જાય
………..માગણીમોહને સમજી જીવતા,આવતી આફત અટકી જાય.

++++++++++++++++++++++++++++++++++++++

 

September 4th 2015

અંતરનું વ્હાલ

.                .અંતરનું વ્હાલ

તાઃ૪/૯/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

વ્હાલ વ્હાલ હુ કરુ અંતરથી,ના ઉભરો કોઇ અથડાય
સંતાન પારખે પ્રેમ માબાપનો,જે માનવતા કહેવાય
………..હૈયેથી વરસેલ હેત જીવનમાં,સંતાનનો સ્નેહ આપી જાય.
અજબ છે લીલા કુદરતની,નાલોહીના સંબંધે સહેવાય
ભાઈબહેનના સંબંધને સ્પર્શે,જ્યાં કળીયુગ અડી જાય
માબાપને છોડી દુર રહીને,સંગીની સંગે છે જ ભટકાય
એજ દેખાવનીદુનીયા,જેને કળીયુગની અસર કહેવાય.
……ના અંતરથી વ્હાલ મળે દેહને,કે ના જન્મમરણથીય છટકાય.
પરખ પ્રેમની જીવને મળે,જ્યાં નિર્મળતાએ જ જીવાય
મળે સફળતાના સોપાન જીવને,જે આશિર્વાદે મળીજાય
ના અપેક્ષાની કોઇ માયા રહે,એજ નિખાલસતા કહેવાય
પ્રેમની નિર્મળ કેડીએ ચાલતા,ના અપેક્ષા કોઇજ રખાય
………એ જ પવિત્ર રાહ દઈ દે જીવને,જે કર્મબંધનને છોડી જાય.

=============================================