September 8th 2015

ક્યારે મળશે?

.               .ક્યારે મળશે?

તાઃ૮/૯/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતમાં જીવન જળહળ થાતુ,જે માનવીથી જીવાય
અજબલીલા પરમાત્માની,એ તો અનુભવથી દેખાય …………કુદરત કરે કસોટી જીવની,જ્યાં અંધ શ્રધ્ધાએ જીવાય.
જીવનો સંબંધ છે દેહનીકેડી,જે માનવજીવન કહેવાય
કરેલ કર્મ એજ બંધન છે દેહના,સમય આવે સમજાય
અપેક્ષા જીવનમાંરાખતા,ક્યારેમળે નાકોઇથી કહેવાય
જલાસાંઇની એક જ દ્રષ્ટિએ,અનંત શાંન્તિ મળી જાય ……….એજ જીવનની સાચી કેડી,જે જીવને પવિત્રરાહ દઈ જાય.
કળીયુગનીકેડી લાગે નિરાળી,જ્યાં માનવીફસાઈ જાય
નિર્મળતાનો સંગ રાખીને જીવતા,કદીક મોહ અડી જાય
કર્મના બંધનથી છુટવા કાજે,નિર્મળ ભક્તિથીજ જીવાય અંત જીવનનો આવતા જીવને,ના અપેક્ષા કોઇ અથડાય
…………ત્યારે જીવનેમળે મુક્તિ દેહથી,જે જન્મમરણ છોડીજાય. =========================================