September 19th 2017

સમયની સમજ

.           .સમયની સમજ   

તાઃ૧૯/૯/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયને સમજીને ચાલતા જીવનમાં,પરમાત્માની કૃપાનોસાથ પણ મળી જાય
જીવનમાં મળતી અનેક તકલીફોને,મળેલ દેહથી ના કદીય કોઈથીય છટકાય
.......અદભુતલીલા જગતપિતાની અવનીપર,જીવને મળેલ કર્મના બંધનથી મેળવાય.
કરેલ કર્મ જીવનમાં દેહ મળતા જીવને,થઈ રહેલ કર્મથી અનુભવ થઈ જાય
સવાર સાંજ એ કૃપા સુર્ય દેવની જગતપર,ના કોઇજ દેહથી કદીય છટકાય
પ્રભાતે આગમન થાય સુર્યદેવનુ,દુનીયાપર સૌ જીવોને પાવનરાહ મળી જાય 
સંધ્યાની જ્યોત પગટે જગતપર કૃપાએ,જે માનવદેહને અંધકાર આપી જાય
.......અદભુતલીલા જગતપિતાની અવનીપર,જીવને મળેલ કર્મના બંધનથી મેળવાય.
મળેલદેહને સુર્યદેવના આગમને,કર્મની કેડી દીવસમાં થયેલ વર્તન થી દેખાય
સમય એ છે કુદરતની લીલા અવનીપર,નાકદી કોઇ જીવથી ક્યારેય છટકાય
આગમન વિદાય એ અદભુત લીલા,જગતપરના આવન જાવનથી મળી જાય
સમયની સંગે ચાલતો માનવી જીવનમાં,જલાસાંઇની પાવનરાહને મેળવી જાય
.......અદભુતલીલા જગતપિતાની અવનીપર,જીવને મળેલ કર્મના બંધનથી મેળવાય.
=================================================================