શ્રી ગણેશ
. .શ્રી ગણેશ
તાઃ૫/૭/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ ભોલેનાથના,પરમ શક્તિશાળી સંતાન
ભાગ્યવિધાતા ગજાનંદ છે,જે શ્રી ગણેશજીય કહેવાય ………..એવા વ્હાલા ગણપતિજી,ગૌરીનંદનથીય ઓળખાય.
માતાપાર્વતીના એવ્હાલા,ને પિતાનાય છેએ લાડીલા
જગતજીવોના ભાગ્યવિધાતા,સિધ્ધીવિનાયક કહેવાય
કર્મનાબંધન એ જીવનેસ્પર્શે,જે ગજાનંદનથી મેળવાય
મળે પ્રેમ કૃપા ભોલેનાથની,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય ………..એવા વ્હાલા ગણપતિજી,ગૌરીનંદનથીય ઓળખાય. હરહર ભોલેનાથની ભક્તિકરતાં,માતા પાર્વતી હરખાય શ્રી ગણેશાય નમઃના સ્મરણથી,મળેલ દેહ પાવન થાય
નિર્મળ ભક્તિ પ્રેમથી કરતા,કૃપાએ જીવન ઉજ્વળથાય મંગળવાર એ પવિત્રદીવસ,જે સાચીભક્તિએ મળીજાય ………..એવા વ્હાલા ગણપતિજી,ગૌરીનંદનથીય ઓળખાય.
====================================================