સુર્ય સ્નાન
. .સુર્ય સ્નાન
તાઃ૨૯/૧૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લખુ પ્રભુનુ નામ પ્રેમથી,જીવને ઉજ્વળ રાહે દોરી જાય
મળે પ્રેમ પરમાત્માનો જીવને,પળેપળએ સાચવી જાય
……..જ્યાં કુદરતની અસીમકૃપા,ત્યાંજ સાચી ભક્તિ મળી જાય
મનથી થતુ સ્મરણ પ્રભુનુ,ને હાથથી કલમ પકડાઇ જાય
દ્રષ્ટિપ્રેમથી લખાણ કરતા,જીવને અનંતશાંન્તિ મળીજાય
સુર્યદેવની અસીમ કૃપાએ,સર્વદેવીઓનો પ્રેમ મળી જાય
ભાવના પ્રેમના સુર્ય સ્નાનથી,દેહની વ્યાધીઓ ભાગી જાય
……..જ્યાં કુદરતની અસીમકૃપા,ત્યાંજ સાચી ભક્તિ મળી જાય
ૐ નમઃ શિવાય સોમવારે,ને મગળવારે શ્રી ગણેશાય નમઃ
બુધવારે ૐ બું બુધાયનમઃ,ને ગુરૂવારે જલાસાંઇ પ્રેમે લખાય
જય અંબે મા શુક્રવારે લખુ,ને શનિવારે જય હનુમાન લખાય
રવિવારે ૐ ક્રીંમ કાલિયે નમઃથી,કુળદેવીની કૃપા થઈ જાય
……..જ્યાં કુદરતની અસીમકૃપા,ત્યાંજ સાચી ભક્તિ મળી જાય
+++++++++++++++++++++++++++++++++++++