પાવનકેડી
. .પાવનકેડી
તાઃ૮/૩/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિભાવને પારખી ચાલતા,જીવપર પ્રભુકૃપા થઈ જાય
સરળ જીવનની રાહ મળતા જ,પાવનકર્મ જીવનમાં થાય
. ……………….એજ શ્રધ્ધાએ જીવતા મુક્તિમાર્ગ મળી જાય.
નિરાધારનો આધાર પ્રભુ છે,જ્યાં શ્રધ્ધાએ જીવન જીવાય
માગણીમોહને દુર ફેકતા,કળીયુગનીચાદર પણ છુટી જાય
પરમકૃપાળુ તો છે દયાળુ,એ જીવને અનુભવતી સમજાય
આજકાલને નાઆંબે કોઇ,જગતમાં સમય કોઇથીનાપકડાય
. …………………એજ શ્રધ્ધાએ જીવતા મુક્તિમાર્ગ મળી જાય.
જલાસાંઇની જ્યોત ભક્તિની,જીવોને ભક્તિમાર્ગ દઈ જાય
માનવતાનીમહેંક પ્રસરતા,ઝોળીઝંડો દઇને એ ભાગી જાય
વિરપુરમાં જલારામની સાચીભક્તિએ,પ્રભુપરિક્ષા કરીજાય
શેરડી ગામમાં સાંઇબાબાનોદેહ,જમીનમા વિલીન થઈજાય
. ……………….એજ શ્રધ્ધાએ જીવતા મુક્તિમાર્ગ મળી જાય.
==================================