July 5th 2019

સતત સ્મરણ

.               .સતત સ્મરણ       

તાઃ૫/૭/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરના જીવોને સવાર મળે,જ્યાં સુર્યદેવનુ પ્રત્યક્ષ આગમન થાય
સુર્યદેવને વંદન કરી અર્ચના કરતા,મળેલ દેહને પાવન કૃપા મળી જાય
......એ અજબ શક્તિશાળી દેવની કૃપા,જે જીવોને સવારસાંજ આપી જાય.
મનને મળેલ સમજને પારખી જીવતા,જીવનમાં પાવનરાહ  મળી જાય
આગમન જીવનુ અવનીપર છે,જે ગતજન્મે થયેલકર્મનો સંબંધ કહેવાય
અનેકદેહથી આગમનથાય જીવનુ,મળેલમાનવદેહ સમજણથી જીવીજાય
પવિત્રભુમી ભારતજ છે જ્યાં અનેક પવિત્રદેહ,ભગવાનથીજ ઓળખાય
......એ અજબ શક્તિશાળી દેવની કૃપા,જે જીવોને સવારસાંજ આપી જાય.
નાકોઇ ધાર્મિક સ્થળની જરૂરપડે માનવદેહને,એ સુર્યદેવનીકૃપા કહેવાય
અનંત શાંંતિનો સંગાથ મળે જીવને,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
માગણી મોહનો ના સ્પર્શ મળે જીવનમાં,એ અંતે જીવને મુક્તિદઈ જાય
સુર્યદેવની પાવનકૃપાએ જીવને,અવનીથી જન્મમરણનો સંબંધ છુટી જાય
......એ અજબ શક્તિશાળી દેવની કૃપા,જે જીવોને સવારસાંજ આપી જાય.
==============================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment