October 11th 2020
**
**
. .જય જય હનુમાન
તાઃ૧૦/૧૦/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ શક્તિશાળી છે શ્રી રામનાભક્ત,બજરંગબલી હનુમાનથી ઓળખાય
હનુમાનજીના વ્હાલા માતા અંજની,અને પિતા જગતમાં પવનદેવ કહેવાય
.....એવા શક્તિશાળી શ્રી હનુમાનજી,શ્રી રામના જીવનમાં મળેલશક્તિને વાપરી જાય.
પવનદેવની પ્રેમાળ કૃપાએ અવનીપર,અંજનીના એ સંતાનથી જ આવી જાય
પવિત્ર પ્રેમ મળે દેહને જીવનમાં,જે પવિત્ર જીવનેજ પાવન દેહથી લાવી જાય
અનેક નામનો સંબંધ હનુમાનજીને,બાહુબલી,બજરંગબલી, મહાવીર કહેવાય
શ્રી રામનાએ પ્રેમાળ ભકત થયા,જે ઉડીને લંકામાં રાજા રાવણને મારી જાય
.....એવા શક્તિશાળી શ્રી હનુમાનજી,શ્રી રામના જીવનમાં મળેલશક્તિને વાપરી જાય.
પાવનરાહે જીવન જીવતા પરમાત્માની કૃપાએ,પવિત્ર ભારત દેશમાં જન્મી જાય
મળેલદેહના પવિત્રકર્મથી સંસારી થવા,સુર્યદેવની દીકરી સુવર્ચલાજ પત્ની થાય
પાવનકર્મ અને પાવનરાહનો સંગાથ મળે,જ્યાં પવિત્ર ધરતીપર જન્મ લઈ જાય
અવનીપર માતા અંજનીનાએ પુત્ર,જે પરમ શક્તિશાળી રાવણનેએ બાળી જાય
.....એવા શક્તિશાળી શ્રી હનુમાનજી,શ્રી રામના જીવનમાં મળેલશક્તિને વાપરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
September 22nd 2020
***
***
.ગજાનંદ ગણેશજી
તાઃ૨૨/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સિધ્ધી વિનાયક વ્હાલા શ્રીગણેશ,જગતમાં પવિત્રરાહે ભાગ્યવિધાતા કહેવાય
માતા પાર્વતીના એવ્હાલા સંતાન,સંગે પિતા ભોલેનાથનાય લાડીલા થઈ જાય
.....એવા વ્હાલા ગણેશજીને માતાપિતાના પવિત્રપ્રેમથી,જગતપર ભાગ્યવિધાતા કહેવાય.
પાવનરાહે મળેલદેહને કર્મનીકેડી મળી,ધર્મકર્મને દુર રાખી કૃપા આપી જાય
વ્હાલા પિતા શંકરભગવાન સંગે,માતા પાર્વતીના લાડલા ગૌરીનંદન કહેવાય
મળે આશીર્વાદ દેહને પાવનકર્મથી,જ્યાં શ્રધ્ધાભાવથી શ્રી ગણેશાયને પુંજાય
પવિત્રકર્મની રાહ મળી વ્હાલા ગણેશજીને,જીવનમાં કાર્તીકભાઈ મળી જાય
.....એવા વ્હાલા ગણેશજીને માતાપિતાના પવિત્રપ્રેમથી,જગતપર ભાગ્યવિધાતા કહેવાય.
સંસારની પવિત્રકેડી મળી જીવનમાં,પત્નિ રિધ્ધીસિધ્ધીના ભરથાર થઈ જાય
જગતમાં મળેલમાનવદેહપર પત્ની રિધ્ધીનો પ્રેમમળે,જ્યાં ગણેશની કૃપા થાય
જીવનમાં કરેલ કર્મને સિધ્ધીના સોપાન મળૅ,જ્યાં પત્ની સિધ્ધીનો પ્રેમ મળે
અજબ કૃપાળુ પરિવાર ભોલેનાથના સંતાનનો,જેની જગતમાં પુંજાપણ કરાય
.....એવા વ્હાલા ગણેશજીને માતાપિતાના પવિત્રપ્રેમથી,જગતપર ભાગ્યવિધાતા કહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 21st 2020
=====
=====
. .કલમપ્રેમી નવીનભાઈ
તાઃ૨૧/૯/૨૦૨૦ (શ્રધ્ધાજલી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહને રાહ મળી પરમાત્માની,જે જીવને મુક્તિ માર્ગે લઈ જાય
પવિત્રકર્મનો સંગાથ રાખીને જીવનમાં,અનંતકર્મ સમાજના કરી જાય
.....એવા વ્હાલા કલમપ્રેમી નવીનભાઈના જીવને,પરમાત્મા મુક્તિમાર્ગે લઈ જાય.
શ્રધ્ધામાર્ગથી કર્મ કરતા હ્યુસ્ટનમાં,માતા સરસ્વતીનીકૃપા મેળવીજાય
આંગણે આવી કૃપામળે પરમાત્માની,સંત જલાસાંઇનોપ્રેમ મળી જાય
નિર્મળભાવના સંગે જીવનજીવતા,નાકોઇ આફત અભિમાન અડીજાય
મળેલ માનવદેહથી કલમપ્રેમીઓને,પ્રેમ આપી પવિત્રકર્મએ કરી જાય
.....એવા વ્હાલા કલમપ્રેમી નવીનભાઈના જીવને,પરમાત્મા મુક્તિમાર્ગે લઈ જાય.
નિખાલસપ્રેમ મળ્યો સમાજના કાર્યથી,જે મળતા સન્માનથીજ દેખાય
પ્રેમ મળે કલમપ્રેમીઓને,જે કલમની પવિત્રનિખાલસ ભાવના કહેવાય
મળેલ દેહની માનવતા પ્રસરી,એ કલમપ્રેમી નવીનભાઈથી ઓળખાય
સમયની સાંકળ પકડી ચાલતા,જગતમાં એ પવિત્ર કલમપ્રેમી કહેવાય
.....એવા વ્હાલા કલમપ્રેમી નવીનભાઈના જીવને,પરમાત્મા મુક્તિમાર્ગે લઈ જાય.
******************************************************************
હ્યુસ્ટનમાં સાહિત્ય સરીતાના કલમપ્રેમી શ્રી નવીનભાઈ બેંકરને તાઃ૨૦/૯/૨૦ નારોજ
પરમાત્માએ જીવને દેહથી મુક્તિ આપી તે નીમિત્તે તેમના સગાસંબંધી અને કલમપ્રેમીઓને
જીવનમાં શાંંતિ આપે તેની યાદ નીમિત્તે આ કાવ્ય લખાયેલ છે તે સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ સહિત પરમાત્માને પ્રાર્થના.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 24th 2020
@@@@@@@
@@@@@@@@
. .શુભેચ્છા જન્મદીવસની
તાઃ૨૫/૮/૨૦૨૦ (જન્મતારીખઃ૨૫/૮/૧૯૮૫) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા સંત જલાસાંઈની મેળવી,પાવનરાહે જીવનમાં સત્કર્મ કરી જાય
મળ્યો પ્રેમ પપ્પા મમ્મીનોજ રવિને,જે ઉજવળકર્મે જન્મદીવસ માણી જાય
......એવા વ્હાલા દીકરા રવિનો જન્મ દીવસ,આજે પ્રેમથી હ્યુસ્ટનમાં ઉજવાય.
સત્કર્મનો સંગાથ મળ્યો જીવનમાં,જ્યાં તનમનથી સમયસંગેએ ચાલી જાય
ભણતર એજ જીવનનુ ચણતર બન્યુ,જે મળેલ લાયકાતે જીવનમાં દેખાય
પાવનકૃપાએ સન્માન મળે રવિને,એજ વડીલોના આશિર્વાદ પણ કહેવાય
સમયસંગે શ્રધ્ધાએ જીવનમાં ચાલતા,બેન દીપલનો સ્નેહાળપ્રેમ મળી જાય
......એવા વ્હાલા દીકરા રવિનો જન્મ દીવસ,આજે પ્રેમથી હ્યુસ્ટનમાં ઉજવાય.
આવતીકાલ એરાહ પરમાત્માની,સમયે ચી.હિમા જીવનસંગીની મળી જાય
પાવનપ્રેમના સંગે જીવતા પ્રભુકૃપાએ,વ્હાલા વીર,વેદ સંતાનથી આવીજાય
પવિત્રજીવની ઓળખાણ થાય માબાપને,જે દીકરાના પાવનકર્મથી સમજાય
વ્હાલા અમારાલાડલા દીકરાના જન્મદીવસે,અંતરથી અમારીશુભેચ્છા અપાય
......એવા વ્હાલા દીકરા રવિનો જન્મ દીવસ,આજે પ્રેમથી હ્યુસ્ટનમાં ઉજવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
આજે અમારા વ્હાલા દીકરા રવિના જન્મદીવસ નિમિત્તે અમારા તરફથી ખુબજ
પ્રેમથી આશિર્વાદ સહિત જયજલારામ જય સાંઇબાબાની કૃપાથી ચીં હિમા,વીર,વેદના
જીવનમાં ખુબજ શાંંતિ અને સફળતા મળે અને બેન દીપલ સંગે નિશીતકુમારનો પ્રેમ
પણ મળી જાય તેવી પ્રાર્થના.
લી.પ્રદીપ,રમાના પ્રેમ સહિત દીકરા રવિને આશિર્વાદ અને જય જલાસાંઇ.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 5th 2020
. .જન્મદીન પવિત્ર
તાઃ૨૬/૨/૨૦૨૦ (વેદનો જન્મદીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માનો પ્રેમ મળ્યો પરિવારને,જે પાવન સંતાનના જન્મથી દેખાય
રવિહીમાના પાવનકર્મથી અમારા કુળને,અવનીપર આગળ એ લઈજાય
......પવિત્રજીવને દેહ મળ્યો કુળમાં,એ વેદના નામથી ઓળખાણ આપી જાય.
પવિત્રજીવને દેહ મળ્યો અવનીપર,બ્રહ્મભટ્ટ કુળને એઆગળ લઈ જાય
કુદરતની પાવનકૃપા કુટુંબપર,જે મારાપુત્રરવિનો કુળદીપક વેદ કહેવાય
મળેલદેહને માબાપનો પ્રેમમળે,એજ સરળજીવનની રાહે દેહને લઈજાય
તનમનધનની કૃપા મળે કુળદેવીની,જે સમય સંગે મળેલ દેહને સમજાય
......પવિત્રજીવને દેહ મળ્યો કુળમાં,એ વેદના નામથી ઓળખાણ આપી જાય.
વ્હાલ કરે મોટો ભાઈ વીર નાનાભાઈ વેદને,જે પાવનપ્રેમથી જ દેખાય
આંગળી પકડી પરમાત્માની કૃપાની,એ મળેલદેહને આનંદ આપી જાય
જન્મદીવસનો આનંદ મેળવવા દેહને,દાદાદાદી સંગે પપ્પામમ્મી હરખાય
જીવનમાં સંત જલાસાંઈની કૃપા મેળવાય,સંગે સુર્યદેવનો પ્રેમ મળી જાય
......પવિત્રજીવને દેહ મળ્યો કુળમાં,એ વેદના નામથી ઓળખાણ આપી જાય.
=============================================================
મારા પુત્ર ચી.રવિના બીજા પુત્રનો જન્મ તાઃ૨૬/૨/૨૦૧૬ના રોજ થયો.જે
જન્મદીવસની તારીખને યાદ કરી દાદાદાદીના આશિર્વાદ અને પ્રેમથી લખેલ કાવ્ય
સપ્રેમ અર્પણ.
લી.પ્ર્દીપ બ્રહ્મભટ્ટ
=============================================================
August 4th 2020
. . ગજાનંદજી
તાઃ૪/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પહેચાન જગતમાં પિતા ભોલેનાથ અને માતા પાર્વતીના સંતાનની
નિર્મળ ભાવનાથી જીવનજીવતા અવનીપર,રિધ્ધીસિધ્ધીના પતિય કહેવાય
.....શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,સુખશાંંતિના વાદળને એ વરસાવી જાય.
અજબ શક્તિશાળી દેવ ભોલેનાથ છે,એજ શંકર ભગવાનથીય ઓળખાય
એ પાર્વતીના પતિદેવ છે,જે અવનીપર પરમ નિખાલસપ્રેમ વરસાવી જાય
ભારતની ભુમીપર પવિત્રગંગાએ વહાવીજાય,એ ગણપતિના પિતા કહેવાય
એવા વ્હાલાભોલેનાથ અવનીપર,જેમના પ્રેમથીપુત્ર કાર્તિકપણ જન્મી જાય
.....શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,સુખશાંંતિના વાદળને એ વરસાવી જાય.
હિંદુ ધર્મમાંજ પાવનરાહ મળી પ્રભુકૃપાએ,જે ધર્મભક્તિની રાહ આપી જાય
શ્રધ્ધાભાવથી ભોલેનાથની ભક્તિ કરતા,વ્હાલા ગજાનંદગણેશની કૃપા થાય
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં રિધ્ધિ સિધ્ધીનો કૃપા મળી જાય
જન્મમરણનો સંબંધજીવને અવનીપર,ગણેશજીનીકૃપા જીવને મુક્તિઆપીજાય
.....શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,સુખશાંંતિના વાદળને એ વરસાવી જાય.
================================================================
July 24th 2020
. .જન્મદીવસ
તાઃ૨૪/૭/૨૦૨૦ (જુલાઈ ૨૪) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકર્મની રાહ પકડીને ચાલતા,અતુલકુમારનો જન્મ દીવસ ઉજવાય
માતાપિતાનો જીવનમાં પ્રેમ મળ્યો,જે પવિત્રકર્મનો સંગાથ આપી જાય
.....એજ જીવનમાં સુખશાંંતિનો સાથ આપી જાય,નાકોઈ આફત અડતી જાય.
જીવનસંગીની બની પ્રેમાળ દક્ષા,પાળજથી માબાપનીએ કૃપા થઈ ગઈ
સરળજીવનની રાહે જીવતા,સંસ્કાર સાચવીચાલતા પાવનરાહ મળી જાય
કુળને પવિત્ર રાહે લઈ જવા,પરમાત્માકૃપાએ કિશનને સંતાન કરી જાય
પવિત્રપ્રેમના સંગાથે જીવતા,કુટુંબમાં બંસરી,પ્રિયા દીકરીઓ જન્મીજાય
.....એજ જીવનમાં સુખશાંંતિનો સાથ આપી જાય,નાકોઇ આફત અડતી જાય.
સત્કર્મનો સંગાથ મળ્યો આશીર્વાદથી,જે અનેકરાહે સફળતાજ આપી જાય
ના મોહમાયાનો સાથ રહે,કે નાકોઇજ અપેક્ષા પણ જીવનમાં કદી રખાય
મળેલ માનવ જન્મને સફળ કર્યો,જ્યાં સતકર્મની રાહને જીવનમાં પકડાય
સંત જલારામને પ્રાર્થનાકરે પ્રદીપરમા,અતુલકુમારને દુર્ઘાયુ જીવન મળીજાય
.....એજ જીવનમાં સુખશાંંતિનો સાથ આપી જાય,નાકોઇ આફત અડતી જાય.
=============================================================
અમારા પવિત્ર સંબંધી શ્રી અતુલકુમારનો આજે જન્મદીવસ છે તે નીમિત્તે
પુજ્ય જલારામબાપાને પ્રાર્થના કરી પરમાત્મા તેમને તનમનધનથી શાંંતિ આપી
દીર્ઘાયુ જીવન આપે તે અમારી વંદન સહિત વિનંતી.
લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ સહિત પરિવારના જય જલારામ
=============================================================
July 4th 2020
. જન્મદીવસની જ્યોત
તાઃ૪/૭/૨૦૨૦ (જન્મદીવસ જુલાઈ ૩) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનસંગીની રમાનો જન્મદીવસ,સંતાનોની સંગે પ્રેમથી ઉજવાય
પવિત્રપ્રેમ જલાબાપાનો મળીગયો,જે રવિ,દીપલના વર્તને દેખાય
......હેપ્પી બર્થડેના ઉચ્ચારથી,જુલાઇ૩ના દીવસે કેક કાપી રમા ખુબ હરખાય.
મળેલ દેહને માબાપનો પવિત્રપ્રેમ મળ્યો,મારી પત્નીએ થઈ જાય
સમયની સંગે ચાલતી જીવનમાં,આજે સાંઇઠ વર્ષર્નીએ થઈ જાય
સંસ્કાર સાચવી જીવન જીવતા,ભારતથી અમેરીકા આવી જવાય
ભક્તિમાર્ગ પકડીને જીવતા,સંત જલસાંઇનો પ્રેમ પણ મળી જાય
......હેપ્પી બર્થડેના ઉચ્ચારથી,જુલાઇ૩ના દીવસે કેક કાપી રમા ખુબ હરખાય.
શ્રધ્ધાભાવથી ભણતરની કરતા,સંતાનને જીવનમાં રાહ મળી જાય
રવિ,હિમાના લાડલા દીકરા વીરવેદથી,કુળને એઆગળ લઈ જાય
દીપલ સંગે જમાઈ અમારા નીશીતકુમાર,પવિત્રજીવન જીવી જાય
પાવનરાહ સંગે જન્મદીવસની ઉજવણી કરી,સુખશાંંતિ મળતીજાય
......હેપ્પી બર્થડેના ઉચ્ચારથી,જુલાઇ૩ના દીવસે કેક કાપી રમા ખુબ હરખાય.
=============================================================
મારી પત્ની રમાના જન્મદીવસની યાદ રૂપે આ કાવ્ય લખી સપ્રેમ મારા
તરફથી સંગે દીકરી દીપલ,દીકરા રવિ સંગે સપ્રેમ ભેટ.
લી.પ્રદીપ સંગે પરિવાર. હ્યુસ્ટન.
April 10th 2020
. .વ્હાલાની બર્થડે
તાઃ૧૦/૪/૨૦ (ચીં.વીર) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમ મળ્યો કુળદેવીનો,જે દીકરા રવિને સંતાન આપી જાય
પવિત્ર કેડીએ જીવતી પત્નિ હિમા,ચી.વીરને જન્મ આપી જાય
.......એજ કૃપા માતા કાળકાની કુટુંબપર,જે કુળને આગળ લઈ જાય.
અનંતપ્રેમાળ વ્હાલો વીર છે,જે નિર્મળભાવનાએ પ્રેમઆપી જાય
કુળદેવીની કુપાએ અમારાકુળને,સંતાનના દેહથી આગળલઈ જાય
પાવનરાહે જીવતો લાડલો વીર,દેહના છવર્ષ આજેપુરા કરી જાય
જન્મદીવસને પકડી ચાલતા,જગતપર એપેઢીને આગળ લઈ જાય
.......એજ કૃપા માતા કાળકાની કુટુંબપર,જે કુળને આગળ લઈ જાય.
સરળ જીવનની રાહ મળતા વ્હાલો વીર,ભણતરની કેડીએ જાય
સુખશાંંતિના વાદળની કૃપા મળે અમને,જે અનંતશાંંતિએ દેખાય
ના કોઇજ અપેક્ષા રહે અમારા જીવનમાં,સંગે રવીનેય મળી જાય
સંત જલાસાંઇની કૃપા મળતાઅમને,માનવતાની મહેંક પ્રસરી જાય
.......એજ કૃપા માતા કાળકાની કુટુંબપર,જે કુળને આગળ લઈ જાય.
==========================================================
May 12th 2019
. .મધર ડે
તાઃ૧૨/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે પ્રેમ માતાનો સંતાનને,જે જીવને મળેલ દેહને પાવન કરી જાય
આશીર્વાદ એ પ્રેમમાતાનો,સંતાનના જીવનની જ્યોત પ્રગટાવી જાય
.....નિર્મળ પ્રેમથી વંદન કરે માતાને,જ્યાં સંતાન પર જલાસાંઇની કૃપા થાય.
ઉંમરસંગે ચાલતો માનવદેહ,જે સમયની સાથે અનેક કર્મથી ચાલી જાય
કુદરતની પાવન કૃપા મળે જીવને,જે દેહના પાવન વર્તનથી જ દેખાય
આંગણે આવી પ્રેમમળે સંતાનનો,એ માબાપને અનંતશાંંતિ આપી જાય
લાગણી એ સંસ્કાર સાચવે જીવનમાં,ના માગણી જીવનમાં કદીય રખાય
.....નિર્મળ પ્રેમથી વંદન કરે માતાને,જ્યાં સંતાન પર જલાસાંઇની કૃપા થાય.
ઉજવળ જીવન સંતાનનુ જોતા કુટુંબમાં,દાદા દાદીને અનંત શાંંતિ થાય
મળેલદેહ એ કર્મના સંબંધે સંતાન બને,જે દીકરો દીકરીથીજ ઓળખાય
અવનીપરનુ આગમન એ માતા નિમીત્ત બને,જે સંતાનની માતા કહેવાય
માતાપિતાના પાવન પ્રેમથી,ઉજવળજીવનની રાહ મળે સંતાન રાજી થાય
.....નિર્મળ પ્રેમથી વંદન કરે માતાને,જ્યાં સંતાન પર જલાસાંઇની કૃપા થાય.
=============================================================
અમેરીકમાં આવ્યા બાદ આપણે ઉંમર લાયક માબાપને ઘરડા ઘરમાં મુકી
અમેરીકન જીવન જીવી શાંન્તિ નો અનુભવ કરીએ છીએં માબાપને દુઃખ થાય પણ
મધરડે અને ફાધરડેની રાહ જુએ છે કારણ તેદીવસે સંતાન તેમને મળવા આવે છે.
=============================================================