May 3rd 2011

પ્રેમ જ્યોત

                       પ્રેમ જ્યોત

તાઃ૩/૫/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મિલનની રાહ જોતાં,જીવનમાં સ્નેહ પકડતાં
મળેછે મનને શાંન્તિ,પ્રેમની જ્યોત પ્રગટતાં
                      …………મિલનની રાહ જોતાં.
નિખાલસ પ્રેમ મળતાં,જીવનની રાહ નિરખતા
મળીજાય ઉજ્વળ જીવન,સદાયે સ્નેહ સમર્પણ
સંબંધની સુંદરસાંકળ,લાવીદે જીવેએ શાણપણ
મળી જાય છે કૃપાપ્રભુની,પધારે મુક્તિ આંગણ
                          ………..મિલનની રાહ જોતાં.
જીવનની જ્યોત નિરાળી,લાગે એ મનને શાણી
દીધી જ્યાં પ્રેમની વાણી,જગતમાં એ છે ન્યારી
મળે સુખશાંન્તિ જીવે,પ્રેમ જ્યોત બને છે પ્યારી
આંધીતુટે વ્યાધીભાગે,ત્યાંજ જીવન ઉજ્વળલાગે
                        ………….મિલનની રાહ જોતાં.

////////////////////////////////////////

April 30th 2011

ઝાકળ બિંદુ

                         ઝાકળ બીંદુ

તાઃ૩૦/૪/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અમૃતનો આભાર માની,જગે માનવી થઈને જીવાય
ઝેરનાસાગરમાં પડતાં,અમૃત ઝાકળ બિંદુજ કહેવાય
                                 ……….અમૃતનો આભાર માની.
અપારલીલા કુદરતનીન્યારી,ના કળીયુગમાં સમજાય
આડીઅવળીવાત મનાવી,જગમાં જેમતેમ જીવીજાય
સત્યનો સહારો નાલેતાં,જીભે અસત્ય જ ઉભરાઇ જાય
ટકોર મળતાં સત્યની દેહને,મળેલ જીવન સુધરી જાય
                              ………….અમૃતનો આભાર માની.
સત્યની આ અણસારી દુનીયા,નિર્મળતા વહાવી જાય
મળે માનવતા આ યુગમાં,ધારી સફળતાય મળી જાય
પ્રભાત પ્રેમની પામવાજગમાં,નિર્મળ પ્રેમ આપી જાય
સંધ્યાકાળે મળે સહારો,જે આ જન્મ પાવન કરીજ જાય
                                ………….અમૃતનો આભાર માની.
માણીલીધો જ્યાંમોહને,ત્યાં આમન આકુળ વ્યાકુળ થાય
નામળે સહારો શોધતાં જગમાં,એ નિર્બળતા આપી જાય
લઈને આવે ખુશાલી જીવનમાં,જે ઉજ્વળતા દઈને જાય
પ્રેમનુ એક ઝાકળ બિંદુમળે,જીવન આ ઉજ્વળ થઇ જાય
                                 ……….. અમૃતનો આભાર માની.

================================

April 12th 2011

મન લબડ્યુ

                        મન લબડ્યુ

 તાઃ૮/૪/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

આતો હવા કળીયુગની એવી,ના સમયની રાહ એજોતી
ક્યારે આવીને જકડે દેહને,ત્યારેજ મનને તકલીફ થાતી
અરે આ છે હવા પાણીના જેવી,ના કોઇને કદીયે છોડતી
                      ……….આતો હવા કળીયુગની એવી.
શીતળ સ્નેહે ચાલતી ગાડીને,જેમ પડે પવનની ઝાપટ
આગળ પાછળનો ના સંકેત,કે જ્યાં શ્રધ્ધાનો છે પાવર
જ્યાં મનને મળતી કાચી માયા,ત્યાં માનવદીલ દુભાય
ભોળાદીલને નાપારખ કોઇની,ત્યારેજ મન લબડી જાય
                      ……….આતો હવા કળીયુગની એવી.
સુંદરતા દેખાય આંખોને જ્યાં,ત્યાં સમજુ સાચવી જાય
લબડી પડતાં થોડું મતીથી,માનવજીવન વેડફાઇ જાય
ભક્તિનોસહવાસમનથી મળતાં,પાવનકર્મો દેહથી થાય
જન્મ મરણની સાંકળને તોડવા,મન ત્યાંજ અટકી જાય
                       ……….આતો હવા કળીયુગની એવી.

  ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

April 12th 2011

હૈયાનો ઉભરો

                  હૈયાનો ઉભરો

તાઃ૫/૪/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારે હૈયે આવ્યો ઉભરો,ને મનને શાંન્તિય મળી ગઈ
કૃપા આંગણે આવતી દીઠી,જ્યાં માબાપની દ્રષ્ટિ થઈ
લાગ્યુય મને આજથી,મારી આ જીંદગીજ સુધરી ગઈ
                           ………..મારે હૈયે આવ્યો ઉભરો.
ડગલાં નાના હું માંડતો,ત્યારે તો ટેકાને રાખતો સાથે
જ્યાં કદીક મળતી રાહત,ત્યારેતો આંખો મીંચી ઘુમતો
ટપલી મળતી પ્રેમની,ત્યારે હું માબાપને વંદન કરતો
માનો પ્રેમ નેરાહ પિતાની,ત્યાં મારુ હૈયુ ઉભરાઇ જાતુ
                            ………..મારે હૈયે આવ્યો ઉભરો.
મિત્રભાવની નાની કેડી,આ જીવનમાં પ્રેમે પકડી લીધી
ઉભરો આવતા સાચવી લેતા,મેંતો ઉજ્વળ રાહને માણી
હૈયાના સ્પંદનને પળથી પકડતાં,આવીછે આજ ઉજાણી
મળતીમનને શાંન્તિમાગી,જ્યાં ગંગા સ્નેહપ્રેમની વહેતી
                            …………મારે હૈયે આવ્યો ઉભરો.

==================================

April 12th 2011

ના આરો,ઓવારો

                  ના આરો,ઓવારો

તાઃ૩/૪/૨૦૧૧                              પ્રદીપ  બ્રહ્મભટ્ટ 

જન્મ જીવને એક સંબંધ,બંધનથી જે  જકડાઇ જાય
અવનીપરના આગમને,જન્મ મળતાજ દેખાઇ જાય
                          ………..જન્મ જીવને એક સંબંધ.
વિશાળ દીલને વાયુ લાગે,ત્યાં બુધ્ધિજ અટકી જાય
ક્યાંથી ક્યાંની શોધમાં તો,આ મન પણ મુંઝાઇ જાય
એક રસ્તાની રાહમળતાં,જાણેસઘળું માગ્યુ મળીજાય
ના સમજ માનવને,કે એક મળતાં ઘણુ બધુ વેડફાય
                           ………..જન્મ જીવને એક સંબંધ.
શ્રધ્ધાને સાચવી રાખતાં,ના માનવમન કદીય મુંઝાય
જકડાયેલજીવને જગતમાં,સરળતાએ આરો મળીજાય
ના મુંઝવણની હેલી આવે,કે ના ઓવારો કોઇ શોધાય
સમજી જીવન જીવતા જગે,પ્રભુનો સાથ સદા સહેવાય
                             ………..જન્મ જીવને એક સંબંધ.

**********************************

March 26th 2011

જ્ઞાનની ગંગા

                             જ્ઞાનની ગંગા

તાઃ૨૯/૧/૨૦૧૧       (આણંદ)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતના સહવાસમાં રહેતા,જીવનઉજ્વળ માણી લીધા
અવનીપરના એક અણસારે,જગના બંધન જાણી લીધા
                    ………….કુદરતના સહવાસમાં રહેતા.
મારું તારુંની મહેંકતી માયા,ઝાઝવાના નીર બની રહી
પૉશ એક ભરતા પાણીની,નદી આખી ક્યાંય વહીગઈ
મનથી મળેલ સમજ માનવીને,જ્ઞાનની કેડી મળી રહી
સમજ સમજને પકડી ચાલતા,દેહને શાંન્તિ મળી ગઈ
                    ………….કુદરતના સહવાસમાં રહેતા.
અનુભવની એકઅટારી જોતાં,મળતી વિપદા ટળીરહી
સિધ્ધીના સોપાન મળતાંતો,ન્યાયનીઘંટી રણકી ઉઠી
ગંગાજળ દે દેહનેમુક્તિ,ને જ્ઞાનની ગંગા દે અભિયાન
ઉજ્વળજીવન સાર્થક જન્મ,મળીજાય જીવને ભગવાન
                    ………….કુદરતના સહવાસમાં રહેતા.

===================================

March 23rd 2011

સુખની કેડી

                         સુખની કેડી

તાઃ૨૭/૨/૨૦૧૧     (આણંદ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

દુઃખો ભાગશે દુર,જ્યાં ભક્તિ છે ભરપુર
      રામનામની કેડીને લેતાં,કૃપા મળે અદભુત 
                                 ……….દુઃખ ભાગશે દુર. 
નિત્ય સવારે પુંજન,જ્યાં શ્રધ્ધાએજ થઈ જાય
જલાસાંઇની કૃપાએ,જીવને જન્મ સફળ દેખાય
ક્યાંક મળેલ આશિર્વાદ,જે સ્વર્ગ સુખ દઈ જાય
સાર્થક જીવન મળીજતાં,સુખની કેડી મળી જાય 
માયામોહ દુર ભાગતા,ઉજ્વળ આ જીવન થાય
                                  ……….દુઃખ ભાગશે દુર.
કરતાં કામ જીવનના, સફળ સરળ થઈજ જાય 
અણસાર મળે એદેહને,જે ભક્તિ એજ મેળવાય
મારાની માયા છે અતુટ,ને મમતા પણ દેખાય
ભક્તિ સાચી કરી લેતા તો,કુદરત પણ હરખાય
બંધન જગના છુટતાં જીવને,અતુટ શાંન્તિ થાય
                                    ……….દુઃખ ભાગશે દુર.

===============================

February 25th 2011

મારુ કોણ?

                        મારૂ કોણ?

તાઃ૨/૨/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખદુઃખ સંગે ચાલે દેહને,ના કોઇથીય એ છોડાય
મારુતારુ દેહને મળતાં,જીવને જન્મ મરણ બંધાય
                    ………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
જીવને બંધન કર્મના છે,ને દેહને મળી જાય સંબંધ
સાચવીલેતા બંધનને,જીવનો જન્મ સફળપણથાય
                     ………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
બાળપણની શીતળતા જોવા,માતાની માયા થાય
પારણે ઝુલતા સંતાને,માતાના હૈયા પણ ઉભરાય
                     ………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
સમય સંગે ચાલતા દેહે,મન બુધ્ધિથી જ સચવાય
સાચવી ચાલતા જીવનમાં,સફળતાને ય સહવાય
                      ………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
કેડી જીવનની નિર્મળ છે,જ્યાં ભક્તિનો સંગ થાય
આજકાલની ચિંતા છુટતાં,જીવનમાં જ્યોત થાય
                      ………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
પ્રદીપ કહે આ મારું છે,ને ઘડીકમાં કહે આ તારું
મારુંતારુંની માયા છુટે,જ્યાં મોહમાયા છુટીજાય
                      ………….સુખદુઃખ સંગે ચાલે દેહને.

++++++++++++++++++++++++++++++

February 2nd 2011

માયાનો સંગાથ

                માયાનો સંગાથ

તાઃ૨/૨/૨૦૧૧          આણંદ               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી માયા પ્રેમથી જગમાં,કળીયુગ વળગી જાય
અતિનો આનંદ થાયમનને,ને જીંદગી વેડફાઇ જાય
                      ………….મળતી માયા પ્રેમથી જગમાં.
શીતળતાનો સહવાસ દેહને,ત્યાં મનને શાંન્તિજ થાય 
કુદરતની આકૃપા નિરાળી, જેથી જીવને આનંદ થાય 
સ્નેહ પ્રેમની સાચીકેડી મળતાં,જીવનોજન્મ થઈ જાય 
ઉભરે આનંદ ભક્તિએ જ્યાં,ત્યાં પ્રભુકૃપાય મળી જાય
                     ………….. મળતી માયા પ્રેમથી જગમાં.
સરળ ચાલતા જીવનમાં ભઈ,ડગમગતાં જ્યાં દેખાય
સમજ જીવને આવે થોડી,આનેજ કળીયુગતા કહેવાય 
મળે માયાનો સંગાથ દેહને,મનને મુંઝવણ મળી જાય
કળીયુગની કેડી મળતાંતો,જીવ જગે ભવોભવ ભટકાય
                     …………..  મળતી માયા પ્રેમથી જગમાં.

=====================================

January 13th 2011

ઉંમર ચાલે

                         ઉંમર ચાલે

તાઃ૧૩/૧/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉંમર મારી આગળ ચાલે,ના પાછળ વળીએ જુએ
અટકીજાય જો એકપળ એ,તો જીવ દેહ છોડી હાલે
                   ………..ઉંમર મારી આગળ ચાલે.
મળતા જીવને દેહ જગે,ત્યારથી ઉંમર મળી જાય
દ્રષ્ટિ પડતાં દેહની દેહ પર,ત્યાં અવતરણ દેખાય
જન્મનો સીધો સંબંધ મૃત્યુથી,જે ઉંમરે અનુભવાય
ઉંમર કદીના પાછળ જુએ,જે સમયથી ચાલી જાય
                   ………..ઉંમર મારી આગળ ચાલે.
ના અટકાવે સાધુ સંત,કે ના પ્રભુનો માનવ જન્મ
અંત તેનો ઉજ્વળ છે,જેનું ભક્તિએ જીવન સંધાય
જીવને શાંન્તિમળે ઝડપથી,સ્વર્ગનાદ્વાર ખુલી જાય
આજને સંબંધ આવતી કાલથી,ઉંમર ચાલીજ જાય
                    ………..ઉંમર મારી આગળ ચાલે.

==============================

« Previous PageNext Page »