November 6th 2020

પકડ પ્રેમની

****

.             .પકડ પ્રેમની      
તાઃ૬/૧૧/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનકૃપા પરમાત્માની જગતપર,મળેલદેહને અનુભવે એ સમજાય
કર્મનીકેડી એ નિર્મળરાહ છે દેહની,જે ધર્મકર્મની કેડીથી મેળવાય            
.....પવિત્રકર્મની રાહએ નિર્મળપ્રેમની પકડ,એ જીવના દેહને સ્પર્શી જાય.
અનેકદેહથી આગમન જીવનુ,એ પાલનહારની અજબલીલા કહેવાય
આગમનવિદાય અવનીપર જીવનુ,જે અનેક માર્ગથી કર્મ આપીજાય
નિર્મળ પ્રેમની પકડ છે એ દેહની,જીવનમાં પાવનકર્મ કરાવી જાય
મળેલ માનવદેહને કુદરતની ક્ર્પામળે,એ પાવનકર્મની કેડીએ દેખાય
.....પવિત્રકર્મની રાહએ નિર્મળપ્રેમની પકડ,એ જીવના દેહને સ્પર્શી જાય.
સવારસાંજ એ કુદરતની લીલા,જગતપર નાકોઇથી કદી સમય પકડાય
માનવદેહને સમજણ પડે એ દેહને,જીવનમાં સમયસંગે ચાલતા સમજાય
મળે પ્રેમ પ્રેમાળ માનવીનો દેહને,જે જીવને પવિત્રરાહ આપી લઈ જાય
અવનીપરની આવનજાવન એ જીવની,પકડ પ્રેમની સમયે સમજાઈ જાય
.....પવિત્રકર્મની રાહએ નિર્મળપ્રેમની પકડ,એ જીવના દેહને સ્પર્શી જાય.
***********************************************************

 

October 9th 2020

આવતા રહેજો

    
.               આવતા રહેજો 
તાઃ૯/૧૦/૨૦૨૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ                                        

નિર્મળપ્રેમની રાહ પકડીને આવતા રહેજો,પાવનજીવનમાં સંગાથ મળી જાય
કલમની પાવનકેડીનો સંગ રાખતા,માતાની અનંતકૃપાથી જીવને શાંંતિ થાય
.....એવા મારા વ્હાલા કલમપ્રેમીઓ,હ્યુસ્ટનમાં પાવનકર્મથી કલમપકડી પ્રેમ પામી જાવ.
જીવને અનંતશાંંતિ મળે મળેલદેહની પાવનરાહે,મનને નાકોઇ મોહ અડી જાય
શ્રધ્ધાભાવથી કલમ પકડતા માનવીને,પરમકૃપાથી પ્રેમની પાવનરાહ મળી જાય
સમય સમજીને ચાલતા માનવીને,પરમાત્માની નિર્મળકૃપા જીવનમાં આવી જાય
પવિત્ર કલમની રાહ પકડતા કલમપ્રેમીઓને,માતાના પ્રેમનો અનુભવ પણ થાય
.....એવા મારા વ્હાલા કલમપ્રેમીઓ,હ્યુસ્ટનમાં પાવનકર્મથી કલમપકડી પ્રેમ પામી જાવ
પાવનકલમધારીને ના કોઇ તકલીફ અડે,કે ના કોઇ અભિમાનની કેડી પકડાય
નિર્મળ ભાવથી માતાની કૃપાએ કલમ પકડતા,પવિત્ર શબ્દોનુ સર્જન થઈ જાય
મારુતારુનો નાકોઇ સ્પર્શ અડે જીવનમાં,જે કલમપ્રેમીઓના સંગાથથી મેળવાય
મળેલ માનવ દેહને જીવનમાં શાંંતિ મળે,એ જ પવિત્ર માતાની કૃપાય કહેવાય 
.....એવા મારા વ્હાલા કલમપ્રેમીઓ,હ્યુસ્ટનમાં પાવનકર્મથી કલમપકડી પ્રેમ પામી જાવ
===================================================================

 

 
September 18th 2020

સાચીરાહ

.               સાચીરાહ        
તાઃ૧૮/૯/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરનુ આગમન જીવનુ,મળેલ માનવદેહ પર પ્રભુની કૃપા થાય
થયેલ કર્મનીકેડી એ જીવને સ્પર્શે,જે અવનીપર આવનજાવથીદેખાય
.....સમય સંગે ચાલતા માનવદેહને,જીવનમાં સત્કર્મની સાચી રાહ મળી જાય.
દેહ મળતા જીવને અવનીપર,કર્મની કેડીથી જીવવાનીય રાહ મેળવાય
અદભુતલીલા પરમાત્માની જગતમાં,જે અનેકરાહે દેહને પ્રેમઆપી જાય
મોહમાયાને દુર રાખીને પ્રેમ કરે,એજ નિર્મળપ્રેમની સાચીરાહ કહેવાય
મનને મળે અનંતશાંંતિ જીવનમાં,જે પાવનપ્રેમથી દેહને સુખઆપીજાય
.....સમય સંગે ચાલતા માનવદેહને,જીવનમાં સત્કર્મની સાચી રાહ મળી જાય.
દેહને સંબંધ સગાસંબંધીઓથી,જે મળેલદેહના પરિવારથી સમજાઈ જાય
સરળજીવનની રાહ શ્રધ્ધાપ્રેમથી કરેલભક્તિથી,દેહને જીવનમાં મળીજાય
નિર્મળપ્રેમ એ પરમાત્માની કૃપા જીવપર,જે મળે પાવનરાહ આપી જાય
થયેલકર્મનો સંબંધ છે જીવને જગતમાં,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળીજાય
.....સમય સંગે ચાલતા માનવદેહને,જીવનમાં સત્કર્મની સાચી રાહ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

September 1st 2020

અજબ શક્તિશાળી

   પ્રદૂષિત સપાટી અથવા પ્રાણીઓથી કોરોના વાયરસ ફેલાતો નથી - Sanj Samachar
.            .અજબ શક્તિશાળી
તાઃ૧/૯/૨૦૨૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી છે અવનીપર,જે કોરોના વાયરસથી ઓળખાય  
તેના અવનીપરના આગમનથીજ,ના જગતમાં કોઇથીય કદી છટકાય
.....એવી અજબલીલા કુદરતની કહેવાય,જેના આગમને કોઇથીય ના દુર રહેવાય.
કોરોના વાયરસની કાતર છે એવી,જે મળેલદેહના જીવનને કાપીજાય
તેના થયેલ આગમને જ જગતપર,થયેલ મંદીરના બારણ બંધ રખાય
ભક્તિનો સાગર માનવીને સવારસાંજ,મંદીર મસ્જીદ ચર્ચમાં લઈ જાય
કોરોનાના આગમનથી સમયના સંગે,ના કોઇથીય અવનીપર છટકાય
.....એવી અજબલીલા કુદરતની કહેવાય,જેના આગમને કોઇથીય ના દુર રહેવાય.
ભક્તિભાવથી જીવન જીવતા માનવીને,સમયે પરમાત્માની પુંજા કરાય
ઘરમાં રહીને શ્રધ્ધાભાવથી પુંજનઅર્ચન કરતા,પવિત્રકૃપા મેળવાઈજાય
મળેલ માનવદેહને સમયસંગે ચાલતા,નાઆફત તકલીફ કોઇ અડીજાય
નિર્મળભાવના એ જીવને પ્રેરણા કરે,જે દેહને સુખસાગામાં ફેરવી જાય
.....એવી અજબલીલા કુદરતની કહેવાય,જેના આગમને કોઇથીય ના દુર રહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


	
August 28th 2020

સુર્યનારાયણ

     જય સુર્યનારાયણ Videos premila parmar - ShareChat - ભારતનું પોતાનું ભારતીય સોશ્યલ નેટવર્ક
.              .સુર્યનારાયણ   
 
તાઃ૨૮/૮/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

દરરોજ સુર્યદેવના ઉદાય અસ્તથી,દુનીયાને સવારસાંજ મળી જાય
પવિત્રપાવનકૃપા જગતપર સુર્યદેવની,જે દેહને જીંદગી આપી જાય
....અવનીપરના આગમન વિદાયથી,મળેલદેહના જીવોને સુખશાંંતિ મળી જાય.
ભક્તિમાર્ગની પવિત્ર રાહે જીવતા,સવારમાં સુર્યદેવને અર્ચના થાય
સુર્યદેવના દર્શન કરી આંગણે,ઓમ હ્રીં સુર્યાય નમઃ મંત્ર બોલાય
પાવનરાહે જીવવાની રાહમળે જીવને,જે પરમાત્માની કૃપા કહેવાય
માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,કરેલ અર્ચનાએ જ મેળવાય
....અવનીપરના આગમન વિદાયથી,મળેલદેહના જીવોને સુખશાંંતિ મળી જાય.
મારૂતારૂ ના સ્પર્શે દેહને જીવનમાં,એ પાવનકૃપા સુર્યદેવની થાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જે જીવનમાં માનવતા મહેંકાવી જાય
જન્મમરણનો સંગાથ છે જીવને,એ થયેલ કર્મના સંબંધે પ્રેરી જાય
સવારસાંજનો સંબંધ છે સુર્યદેવને,જે અબજો વર્ષોથી પ્રસરી જાય
....અવનીપરના આગમન વિદાયથી,મળેલદેહના જીવોને સુખશાંંતિ મળી જાય.
===========================================================

	
August 1st 2020

મળ્યો નિર્મળપ્રેમ

   ડો . કમલેશ લુલ્લાનું બહુમાન અને ...

.           .મળ્યો નિર્મળપ્રેમ    
તાઃ૧/૮/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળ્યો નિર્મળપેમ નિખાલસ,સાહિત્ય રસીકોનો મને હ્યુસ્ટન લાવી જાય 
કલમની પવિત્રકેડી પકડીને ચાલતા,માતા સરસ્વતીની કૃપા મળી જાય
.....એજ કલમની પાવનરાહ,ગુજરાતી સાહિત્ય સરીતાથી કલમપ્રેમીઓ આપી જાય.
પરમકૃપા કલમપ્રેમીઓને રાહ આપે,જે ગુજરાતીઓના વર્તનથી દેખાય
અનેકલેખોની વર્ષોથી રચનાઓકરી,સંગે કર્મનીકેડીને પકડી ચાલી જાય 
સમયનો સંગ નિર્મળરાહે પકડી ચાલતા,કલમપ્રેમીઓને બોલાવી જાય
નિખાલસ ભાવથી મળતા સૌ હરખાય,જે સાહિત્યસરીતા વહાવી જાય
.....એજ કલમની પાવનરાહ,ગુજરાતી સાહિત્ય સરીતાથી કલમપ્રેમીઓ આપી જાય.
મનને મળે પ્રેરણા નિર્મળરાહે જીવતા,સમય સમયે કલમથી રચના થાય
કુદરતની આકૃપા કહેવાય માનવીપર,જે મળેલનામને કલમથી પ્રેરી જાય 
મળ્યો પ્રદીપને પ્રેમ હ્યુસ્ટનના કલમપ્રેમીઓનો,જે કૃપાનીવર્ષા કરાવી જાય
સમયસમયે કલમ પ્રસરતા જીવનમાં,અનેક કાવ્યોલેખો પણ લખાઈ જાય
.....એજ કલમની પાવનરાહ,ગુજરાતી સાહિત્ય સરીતાથી કલમપ્રેમીઓ આપી જાય.
===============================================================
June 27th 2020

સમજણનો સંગાથ

.            સમજણનો સંગાથ 
તાઃ૨૭/૬/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ      

ના કોઇનેય સમજણ અડે,કે ના કોઇ નાથીય કદી દુર રહેવાય
કળીયુગની કાતર છે અવનીપર,જેને કોરોનાનો વાયરસ કહેવાય
.....અદભુતશક્તિ અવીનાશીની અવનીપર,જે સમયસંગે જીવને દોરી જાય.
સમયને ના પારખે કોઇ કે નાકોઈ દેહથી,કદીયે દુર જઈ રહેવાય
પરમાત્માની આ લીલા છે અત્યારે,જે કોરોના વાયરસથી મેળવાય
સ્પર્શથાય વાયરશનો જે મળેલ દેહને,આફતસંગે મૃત્યુ આપી જાય
ઘરમાં રહીને પરમાત્માનુ પુંજન કરતા,દેહ કોરોનાથીજ બચી જાય
.....અદભુતશક્તિ અવીનાશીની અવનીપર,જે સમયસંગે જીવને દોરી જાય.
અજબશક્તિશાળી સુર્યદેવ છે જગતપર,જે સવારથી દર્શન દઈજાય 
શ્રધ્ધાભાવનાથી ઘરમાં ભક્તિકરતા,પરમાત્માની પરમકૃપા મળીજાય
કળીયુગમાં હાલ મંદીરો બંધ થઈગયા,એ વાયરસની અસર કહેવાય
મળેલ માનવદેહને કૃપાએ સમયનોસંગાથમળે,જે દેહને બચાવી જાય
.....અદભુતશક્તિ અવીનાશીની અવનીપર,જે સમયસંગે જીવને દોરી જાય.
===========================================================
May 19th 2020

પવિત્રજ્યોત

.             .પવિત્રજ્યોત           

તાઃ૧૯/૫/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપા પરમાત્માની અવનીપર,અનેક દેહના આવનજાવનથી દેખાય
સતયુગકળીયુગએ અજબલીલા કહેવાય,સમયસંગે ચાલતા એ સમજાય
......એજ પવિત્રરાહ દેહને મળતી જારાહય,જે દેહને કર્મનીકેડી એ દોરી જાય.
કર્મનો સંબંધ જીવને મળેલદેહને સ્પર્શે,જે યુગના સબંધથી ચલાઈ જાય
પવિત્રભુમી ભારત છે અવનીપર,જ્યાં પરમાત્મા અનેકદેહથી પ્રેરી જાય
કુટુંબનો સંબંધ છે મળેલદેહને,એ પુર્વ જન્મના દેહથીજ સમજાઈ જાય
સત્કર્મની રાહ મળે દેહને જીવનમાં,જે નિર્મળ ભક્તિ માર્ગથી મેળવાય
......એજ પવિત્રરાહ દેહને મળતી જાય,જે દેહને કર્મનીકેડી એ દોરી જાય.
પાવનરાહની આંગળી ચીંધવા જીવને.પવિત્રરાહ અનેકદેહ લઈ દઈ જાય
પવિત્ર દેવદેવીઓ એ પરમાત્માના દેહ,જે જીવનમાં પાવનરાહે દોરી જાય
કળીયુગમાં જલારામનુ આગમનથયુ,જે નિરાધારદેહને ભોજન અપાવીજાય
સંત સાંઇબાબા પરમાત્માનો દેહ,જે મળેલદેહને માનવતા સ્પર્શાવી જાય 
......એજ પવિત્રરાહ દેહને મળતી જાય,જે દેહને કર્મનીકેડી એ દોરી જાય.
-----------------------------------------------------------,
May 15th 2020

કાતર કળીયુગની

.           .કાતર કળીયુગની  

તાઃ૧૫/૫/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કળીયુગની કાતર છે અવનીપર,સમયસંગે મળેલ દેહને એ સમજાય
કુદરતની આ લીલા જગતને,અનેક કર્મોથી થયેલકર્મથીજ એ દેખાય 
.....જન્મ મળેલદેહને સત્કર્મ સંગે કુકર્મથી જીવનમાં સુખદુઃખ આપી જાય.
અનેકદેહનો સંબંધજીવને,અવનીપર પ્રાણી,પશુ,માનવીથી ઓળખાય
પરમાત્મની પાવનકૃપા પામવાદેહથી,સત્કર્મસંગે પરમાત્માની પુંજાથાય
સમય નાપકડાય જગતપર,સતયુગમાં કૃપામળે મળેલદેહને અનુભવાય
કળીયુગની કાતર કોરોના વાયરસથી,કરોડો દેહનેઆડાસરે મારી જાય
....આજ છે કળીયુગની ઝાપટ,જે શ્વાસ સંગે મોંને કાપડથી ઢંકાવી જાય.
જીવને સંબંધ છે અનેક કર્મનો,જે માનવદેહને જગતપર કર્મથી દેખાય
માબાપનો પ્રેમ જીવને સંતાન થતા,કૌટુંબીક સંબંધ દેહને આપી જાય
મળેલદેહને ઉંમરનો સંબંધ સ્પર્શે,પણ સમયસંગે શ્રધ્ધાએ ભક્તી કરાય
જીવનો સંબંધછુટે સતયુગ કળીયુગનો,જે દેહને મુક્તિમાર્ગ આપી જાય
....આજ છે કળીયુગની ઝાપટ,જે શ્વાસ સંગે મોંને કાપડથી ઢાંકાવી જાય.
==========================================================
March 24th 2020

કળીયુગની માયા

.            .કળીયુગની માયા        

તાઃ૨૪/૩/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી છે જગતપર,જે કળીયુગની માયા કહેવાય
નાસમય કોઇથીય પકડાય જીવનમાં,જે અનુભવે સમજાઈ જાય
......સ્પર્શ કરે મળેલદેહને અવનીએ,જે કળીયુગની માયા કહેવાય.
સરળ જીવનમાં આફતનો ઓડકાર થાય,જ્યાં સમયસંગે ચલાય
અજબલીલા છેકુદરતની જગતપર,જે સતયુગકળીયુગથી સમજાય
મળેલ દેહને સંબંધ છે સમયનો,જે જીવને કર્મથીજ સ્પર્શી જાય
માનવદેહ એજ પરમાત્માનીછે કૃપા,અનેકદેહથી છટકાઈ જવાય
......સ્પર્શ કરે મળેલદેહને અવનીએ,જે કળીયુગની માયા કહેવાય.
જીવને મળેલ નિર્મળરાહ જીવનમાં,જયાં નિર્મળભાવનાએ જીવાય
કર્મનો સંબંધ તો મળેલદેહને છે,એ સતયુગ કળીયુગથી મેળવાય
કળીયુગની હવા મળે દેહને,જે કોરોના વાયરસથી દુઃખ દઈજાય
પવિત્રભાવનાથી ભક્તિ કરતા,કળીયુગના વાયરસથી છટકાવાય
......સ્પર્શ કરે મળેલદેહને અવનીએ,જે કળીયુગની માયા કહેવાય.
====================================================

 

« Previous PageNext Page »