March 1st 2016

સંબંધની સાંકળ

.             . સંબંધની સાંકળ

તાઃ૧/૩/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળે અવનીએ જીવને,એજ કુદરતની લીલા કહેવાય
કરેલ કર્મને બાંધી રાખતા,આ માનવજીવન મળતુ  જાય
…………સંબંધની સાંકળ છે ન્યારી,જે જીવને અનુભવથી સમજાય.
કુટુંબનો સંબંધ મળે દેહને,જ્યાં માબાપની પ્રેમકૃપાથાય
ભાઇબહેન ને સગા સંબંધી,એ કર્મબંધનથી જ મળી જાય
મળે જીવનમાં સાથ સૌનો,જ્યાં સમય સાચવીને જીવાય
આજ કાલને ના આંબે કોઇ,જેને અનુભવથીજ અનુભવાય
…………સંબંધની સાંકળ છે ન્યારી,જે જીવને અનુભવથી સમજાય.
મળેલજીવનમાં દેહને સ્પર્શે,જે મિત્રનો નિર્મળપ્રેમ કહેવાય
આંગળીપ્રેમની પકડીચાલતા,સાચોપ્રેમ આભને આંબીજાય
સાહિત્ય સરીતા વહે,જ્યાં સરસ્વતી સંતાનનો સંબંધ થાય
પ્રેમ નિખાલસ ભાવે રાખતાં,સરીતા જગતમાં પ્રસરી જાય
…………સંબંધની સાંકળ છે ન્યારી,જે જીવને અનુભવથી સમજાય.

========================================

March 1st 2016

પકડેલ રાહ

.               . પકડેલ રાહ

તાઃ૧/૩/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનરાહ પકડતા જીવનમાં,નિર્મળ પ્રેમની વર્ષા થઇ જાય
મનને માનવતા  સ્પર્શે પ્રેમની,જ્યાં ભક્તિસાગર મળી જાય
…………એજ સાચી રાહ છે જીવનમાં,જે માનવતા મહેંકાવી જાય.
સારુ નરસુ એ કુદરતની લીલા,સમયને સાચવતા સમજાય
પવિત્ર આંગણુ પ્રેમથી કરતા,પરમાત્માની કૃપા આવી જાય
એ જીવનની જ્યોતબને,જે પ્રભુકૃપાએ જન્મસફળ કરી જાય
જીવને મળેલ માનવદેહ,પકડેલ ભક્તિરાહે મુક્તિપામીજાય
…………એજ સાચી રાહ છે જીવનમાં,જે માનવતા મહેંકાવી જાય.
માનવ જીવનમાં માગણી કરતાં,મળેલ  જીવન કથડી જાય
અપેક્ષા છે કળીયુગની કેડી,જે  જીવન લઘર વઘર કરી જાય
નિર્મળ રાહે ભક્તિ કરતાજ,જીવ પર  જલાસાંઇની કૃપા  થાય
પવિત્રપ્રેમની પકડેલ રાહ,અવનીપરના બંધનને તોડી જાય
…………એજ સાચી રાહ છે જીવનમાં,જે માનવતા મહેંકાવી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++

February 22nd 2016

આગમન થાય

.              . આગમન થાય

તાઃ૨૨/૨/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનમાં આનંદ અનેરો,જ્યાં આગમન પ્રેમથી થાય
વડીલનુ આગમન આશિર્વાદ,ને સંતાનનુ કુળ વધારી જાય ……….અજબકૃપા અવિનાશીની,જે જીવનમાં આગમનથી મળી જાય.
જીવને જન્મ મળે માનવીનો,જે માતાના પ્રેમથી જ મેળવાય
પતિનો પ્રેમ  જીવન સંગીનીને મળતા,સંતાનની પ્રાપ્તિ થાય કુદરતની આ સાંકળ નિરાળી,જે કર્મબંધનથી કુળ વધારી જાય
આ આગમન એ કુટુંબનીસાંકળ,જે માતાને સંતાનથીમળીજાય ……….અજબકૃપા અવિનાશીની,જે જીવનમાં આગમનથી મળી જાય. જન્મમૃત્યુએ બંધનજીવના,અવનીના આવનજાવનથી દેખાય
ઉંમરને ના આંબે  કોઈ જીવનમાં,બાળપણથી અંતે ઘરડા થાય જીવનની જ્યોત પ્રગટે ઉંમરે,જે હ્રદયના પ્રેમથી વરસતો જાય
મળે જ્યાં આશિર્વાદ વડીલના,જીવ પર સુખનુ આગમન થાય ……….અજબકૃપા અવિનાશીની,જે જીવનમાં આગમનથી મળી જાય. ==========================================

February 15th 2016

ક્યાંથી આવ્યા

.               . ક્યાંથી આવ્યા

તાઃ૧૫/૨/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યા ક્યાં જવાના,ક્યારે જવાના ના કોઇથી કહેવાય
અવનીપરનુ આગમન એ  દેહ છે,જે પ્રભુ કૃપા  એજ મેળવાય
…………અજબલીલા અવીનાશીની,જીવને જન્મમૃત્યુથી જ મળી જાય.
જીવનુ આગમન એ માબાપની કૃપા,દેહ મળતા સંબંધ થાય
દેહને મળેલ આશિર્વાદ જીવનમાં,નિર્મળ રાહ જ  આપી જાય
પુણ્યકર્મ એ કૃપા જગતપિતાની,જે સાચીભક્તિએ મળી જાય
પ્રેમ નિખાલસ પામતા,ઉજ્વળ જીવનની જ્યોત પ્રગટી જાય
…………અજબલીલા અવીનાશીની,જીવને જન્મમૃત્યુથી જ મળી જાય.
કર્મ એતો છે જીવનુ બંધન,જગતમાં ના કોઇ જીવથી છટકાય
સંતજલાસાઈંની નિર્મળરાહે,જીવને જીવનની રાહ મળી જાય
શ્રધ્ધાસબુરીને સાચવી લેતા,મળેલ માનવજીવન મહેંકી જાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં અન્નદાનની સાચીકેડી મેળવાય
…………અજબલીલા અવીનાશીની,જીવને જન્મમૃત્યુથી જ મળી જાય.

=========================================

February 9th 2016

અપેક્ષાના વાદળ

.                  .અપેક્ષાના વાદળ

તાઃ૯/૨/૨૦૧૬                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જળહળતી જ્યોત જીવનની,કરેલ સત્કર્મથી સ્પર્શી જાય
માનવદેહની શીતળકેડીએ,પરમાત્માની કૃપામળી જાય
……..ના અપેક્ષાના કોઇ વાદળ રહે,જ્યાં નિર્મળ જીવન જીવી જવાય.
દેહ મળે છે જીવને અવનીએ,જે કર્મના બંધનથી સંધાય
જન્મો જન્મના સંબંધ જીવના,લાગણી મોહથીજ બંધાય
દેહ મળે જીવને અવનીએ,ત્યાં દેહના સંબંધથી સમજાય
કુદરતની છે આ અજબલીલા,જે  જન્મોજન્મથી મેળવાય
………ના અપેક્ષાના કોઇ વાદળ રહે,જ્યાં નિર્મળ જીવન જીવી જવાય.
જન્મ મળે છે જીવને માબાપથી,મૃત્યુથી ના કોઇથી છટકાય
બંધન પ્રેમના સ્પર્શે છે  જીવને,જે નિર્મળ પ્રેમથી મળી જાય
ના જીવની કોઇ અપેક્ષા રહે,કે નાકોઇ માગણી પણ રહીજાય
એજ કૃપા પરમાત્માની,જે જીવની સાચીશ્રધ્ધાએ મળીજાય
………ના અપેક્ષાના કોઇ વાદળ રહે,જ્યાં નિર્મળ જીવન જીવી જવાય.

========================================

February 6th 2016

સુર્યચંદ્ર

.                  . સુર્યચંદ્ર

તાઃ૬/૨/૨૦૧૬                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યચંદ્રની અજબ શક્તિ છે,જે જીવને પાવનરાહ આપી જાય
આગમન વિદાય એ જ્યોત દીવસની,જે સવાર સાંજ કહેવાય
…………અવનીપર છે એ અજબશક્તિ,જે દીવસ અને રાત્રી કહેવાય.
સુર્યદેવનુ આગમન થતાં,અવનીપર પ્રભાત એને કહેવાય
પ્રભાત પારખી  ઉઠી જતાં,જગે દેહને સુર્ય સ્નાન મળી જાય
અજબ  શક્તિ છે એ દેવની,જે પ્રભાતે સ્નાનથીજ મેળવાય
ના દવા દુઆની જરૂર પડે દેહને.જે કુદરતની કૃપા કહેવાય
………….અવનીપર છે એ અજબશક્તિ,જે દીવસ અને રાત્રી કહેવાય.
સંધ્યાકાળની વિદાય થતાં,ચંદ્રદેવનુ આગમન આકાશેથાય
પ્રકાશ પામતા ચંદ્રદેવનો, જીવનમાં શીતળતા આપી જાય
પરકૃપાળુની આ બલિહારી,દીવસ રાતથીજ ઓળખાઈ જાય
મળે કૃપા સુર્યચંદ્રની જીવને,જે પ્રત્યક્ષ દર્શનથીજ મળી જાય
………….અવનીપર છે એ અજબશક્તિ,જે દીવસ અને રાત્રી કહેવાય.

=======================================

February 5th 2016

આજકાલ

.                     .આજકાલ

તાઃ૫/૨/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની આ અજબ કસોટી,જે સમયની સીડી એ દેખાય
ઉંમરના બંધન છે દેહને,જે જીવને આજકાલથી પરખાય
……..ના કોઇની તાકાત જગતમાં,કે આ કુદરતી લીલાને આંબી જાય.
મારૂ એ છે મમતાનો સંબંધ,દેહના બંધનથી અનુભવાય
માબાપના સંબંધસંતાનથી,અવનીપર આગમને દેખાય
નિર્મતાએ જીવન જીવતા,આશિર્વાદની વર્ષા વરસી જાય
સાચો સંબંધ છે સંસારનો,આજકાલના સંબંધથીસમજાય
……..ના કોઇની તાકાત જગતમાં,કે આ કુદરતી લીલાને આંબી જાય.
આજને સમજી જીવતા જીવનમાં,આવતીકાલ સુધરીજાય
ભુતકાળને સમજીને જીવતા,દેહની આજ પવિત્ર થઈજાય
કરેલકર્મ એબંધન જીવના,જીવને અનેકદેહથી બંધનથાય
પવિત્રરાહ પકડીને ચાલતા,દેહની આજ પવિત્ર થઈ જાય
……..ના કોઇની તાકાત જગતમાં,કે આ કુદરતી લીલાને આંબી જાય.

======================================

February 5th 2016

કોણ છે મારૂ

.                . કોણ છે મારૂ

તાઃ૫/૨/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનો બંધન છે જગતથી,જે જન્મ મરણથી દેખાય
મળે દેહ જીવને ત્યાં કોણ મારૂ,ને કોણ તારૂ એ બંધાય
………..એ અજબલીલા અવિનાશીની,કર્મના બંધનથી સંધાય.
સરળજીવનમાં ના માગણી કોઇ,ના ચિંતા સ્પર્શી જાય
સમયની શીતળ કેડી દેહને,નિર્મળ જીવન આપી જાય
માનવજીવન નાસ્પર્શે જીવને,સાચી ભક્તિએ સમજાય
અપેક્ષાના વાદળ છુટે,ત્યાં જન્મની જ્યોત પ્રગટી જાય
………..એ અજબલીલા અવિનાશીની,કર્મના બંધનથી સંધાય.
સવારસાંજને સમજી જીવતા,ઉજ્વળ પ્રભાત મળી જાય
પ્રગટે ભક્તિજ્યોત જીવનમાં,શાંન્તિનો સાથ મળી જાય
આવીઆંગણે શ્રધ્ધારહે,ત્યાં જીવનેપાવનરાહ મળી જાય
સદાયસ્નેહના વાદળવરસતા,પવિત્રકર્મ જીવનમાંથાય
………..એ અજબલીલા અવિનાશીની,કર્મના બંધનથી સંધાય.

+++++++++++++++++++++++++++++++++++++

February 1st 2016

આંખમાં પાણી

.                   . આંખમાં પાણી

તાઃ ૧/૨/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની આ અજબ છે લીલા,જે અનુભવથી જ સમજાય
માનવ જીવનમાં એ સ્પર્શે જીવને,જે નિર્મળ આંખોથી દેખાય
……….સમય સમયની આ શીતળ કેડી,માનવીને સંબંધથી સ્પર્શી જાય.
કર્મની શીતળ કેડીએ જીવને,જગતમાં માનવદેહ મળી જાય
અવનીએજ છે  કુદરતની કેડી,જ્યાં જીવને દેહથી લાવી જાય
અનેક દેહ એતો કુદરતની લીલા,જે દેહને આંખથી જ જોવાય
સાચી સમજણ મળે જીવને,જ્યાં નિર્મળ ભક્તિ શ્રધ્ધાએ થાય
……….સમય સમયની આ શીતળ કેડી,માનવીને સંબંધથી સ્પર્શી જાય.
માનવદેહને છે સંબંધ અનેક,જે સમાજના બંધને અનુભવાય
કુટુંબના બંધન એ જગતની સીડી,જે  કરેલ કર્મથી મળી જાય
અંતરનો પ્રેમ દેખાય જીવનમાં,જે આંખમાં પાણી આપી જાય
દેખાવથી એ દુર જ રાખે જીવને,ના કળીયુગ પણ સ્પર્શી જાય
……….સમય સમયની આ શીતળ કેડી,માનવીને સંબંધથી સ્પર્શી જાય.

==========================================

January 13th 2016

મળી ગઈ

.                .મળી ગઈ

તાઃ૧૩/૧/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની જ્યોત પ્રગટી ગઈ,જ્યાં ભક્તિ નિર્મળ થઈ
મળી ગઈ મને પ્રીત પ્રેમીઓની,જે કલમ પકડાઈ ગઈ
………એજ કૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીઓ લાવી અહીં.
સરળ જીવનની રાહ મળી,જ્યાં મનમાં સમજણ થઈ
કલમની નિર્મળ કેડી મળી,જ્યાં પ્રેમીઓ મળ્યા અહીં
આવ્યા હ્યુસ્ટન પ્રેમ લઈને,જે કલમથી દેખાય છે અહીં
ગુજરાતીની ગાથા બની ગઈ,જે નિર્મળતા આપી ગઈ
………એજ કૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીઓ લાવી અહીં.
પરમકૃપા જલાસાંઈની થઈ,જે નિર્મળરાહ બતાવતી ગઈ
મળી ગઈ પ્રેમની જ્યોત પ્રેમીઓને,જે સફળતા દેતીથઈ
માગણીનાકોઇ કલમપ્રેમીની,લાયકાતે જગતમાં પ્રસરીગઈ
અભિમાનની આંગળી દુર રહી,જ્યાં નિર્મળતા પકડાઈગઈ
……….એજ કૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીઓ લાવી અહીં.

+++++++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »