સંબંધની સાંકળ
. . સંબંધની સાંકળ
તાઃ૧/૩/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળે અવનીએ જીવને,એજ કુદરતની લીલા કહેવાય
કરેલ કર્મને બાંધી રાખતા,આ માનવજીવન મળતુ જાય
…………સંબંધની સાંકળ છે ન્યારી,જે જીવને અનુભવથી સમજાય.
કુટુંબનો સંબંધ મળે દેહને,જ્યાં માબાપની પ્રેમકૃપાથાય
ભાઇબહેન ને સગા સંબંધી,એ કર્મબંધનથી જ મળી જાય
મળે જીવનમાં સાથ સૌનો,જ્યાં સમય સાચવીને જીવાય
આજ કાલને ના આંબે કોઇ,જેને અનુભવથીજ અનુભવાય
…………સંબંધની સાંકળ છે ન્યારી,જે જીવને અનુભવથી સમજાય.
મળેલજીવનમાં દેહને સ્પર્શે,જે મિત્રનો નિર્મળપ્રેમ કહેવાય
આંગળીપ્રેમની પકડીચાલતા,સાચોપ્રેમ આભને આંબીજાય
સાહિત્ય સરીતા વહે,જ્યાં સરસ્વતી સંતાનનો સંબંધ થાય
પ્રેમ નિખાલસ ભાવે રાખતાં,સરીતા જગતમાં પ્રસરી જાય
…………સંબંધની સાંકળ છે ન્યારી,જે જીવને અનુભવથી સમજાય.
========================================