November 7th 2015

આસો માસ

Diwali rangoli. - Manogna Reddy/Getty Images.    Diwali rangoli. - Manogna Reddy/Getty Images.

.                      .આસો માસ

તાઃ૭/૧૧/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર તહેવારો તેડીને ચાલતા,હિન્દુ ધર્મને પાવન કહેવાય વર્ષનો અંત નજીક આવતા,દીપ પ્રગટાવીને ફટાકડા ફોડાય
…….એવા કારતક માસે શરૂ થતા વર્ષને,આસો માસથી વિદાય દેવાય. અનેક પ્રસંગને પ્રેમથી ઉજવતા,જીવથી પવિત્રપ્રેમ મેળવાય
આંગળી પકડી ચાલતા સંતાનને,સાચી રાહ જીવનમાં દેવાય
મળતો પ્રેમ જીવનમાં નિર્મળ,પરમાત્માની કૃપાને આપી જાય
શ્રધ્ધા  રાખી કૃપાની કેડી પકડતા,જલાસાંઈનો પ્રેમ મળી જાય ……દરેક માસે મળતા પવિત્ર પ્રસંગને પામતા,જીવને શાંન્તિ મળી જાય.
મળેલદેહને યાદ રાખવા,સગા સંબંધીથી જન્મ દીવસ ઉજવાય મળે સાચોપ્રેમ નિખાલસ જીવનમાં,જીવનો જન્મસફળ કરી જાય
આસો માસને યાદ રાખવા વર્ષમાં,નવરાત્રીને દીવાળી ઉજવાય એવો પવિત્ર હિન્દુ ધર્મ છે,જે ભક્તિરાહે જીવને મુક્તિ આપી જાય
……..એવા કારતક માસે શરૂ થતા વર્ષને,આસો માસથી વિદાય દેવાય. *******************************************************

November 6th 2015

દીપની જ્યોત

 

.                          .દીપની જ્યોત
તાઃ૬/૧૧/૨૦૧૫                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા પરમાત્માની થઈ,જ્યાં માબાપના સંસ્કાર સચવાઈ જાય
સ્વામીનારાયણનીઅસીમકૃપાએ,શ્રી મદનમોહન પવિત્રકર્મ કરી જાય
…..જે વડતાલ ગાદીધામને હ્યુસ્ટનમાં લાવી,સંગે દીવાળીનો આનંદ આપી જાય.
પત્ની જીગ્નાબેનનોસાથ મળે જ્યાં,ત્યાંશ્રધ્ધાએ પવિત્રકર્મ થઈ જાય
મળે વિનુલાલનો સાથ ભક્તિમાં,ત્યાં મીનાબેન પણ મદદ કરી જાય
ભક્તિ જ્યોત પ્રગટાવી હ્યુસ્ટનમાં,ત્યાં આચાર્યમહારાજ પણ રાજીથાય
વદતાલ ગાદી હ્યુસ્ટનમાં લાવવામાં.જીગ્નેશભાઈનો સાથ પણમેળવાય
……એ દીવાળીના પવિત્ર દીવસોમાંજ,ભક્તોને ભક્તિપ્રેમ દેવા પ્રેમે આવકારાય.
મહારાજશ્રીના આશીર્વચનથીઆજે,મઠીયાઘુઘરાલાડુ પ્રેમથી ખવડાવાય
શ્રધ્ધા સાચી મદનમોહનની આજે,સૌ હરીભક્તોને પ્રેમે લાવી છે અહીં
સ્વામીનારાયણની ધુન કરતાં પ્રેમથી,પ્રભુના પાવનપગલા આવી જાય
પ્રદીપને હૈયે આનંદ અનેરો આજે,સંગે પત્નિ રમા ભક્તિ કરી હરખાય
………એ જ કૃપા પરમાત્માની છે,જે ભક્તોને ઉજ્વળ જીવનની રાહ આપી જાય.
***********************************************************************************************
.                      . હિન્દુ ધર્મનો પવિત્ર પ્રસંગ એ દીવાળી કહેવાય.હ્યુસ્ટનમાં આ પવિત્ર પ્રસંગ નિમિત્તે વડતાલ   ધામના શ્રી સ્વામીનારાયણ ભગવાનના મંદીરના ભક્તોને આજે ભેગા કરી સાચા ભક્તશ્રી મદનમોહન અને બીજા સેવા ભાવી ભક્તોના પ્રેમ અને ભક્તિને સાચવી સૌ પ્રેમથી  ભેગા થઈ આજે દીવાળીનો આનંદ ઉજવી રહ્યા છે.તે પ્રસંગને યાદગીરી રૂપે આ લખાણ સેવાભાવી વડતાલ ધામના હરીભક્તો અને સ્વામીનારાયણ સંસ્થાના આદરણીય વ્યક્તિઓને  જય શ્રી સ્વામીનારાયણ સહિત ભેંટ.

લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ અને પરિવાર સહિત ભેંટ.હ્યુસ્ટન   તાઃ૬/૧૧/૨૦૧૫

November 3rd 2015

જન્મ દીવસની ભેંટ

.                        જય શ્રી કૃષ્ણ   

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                        .જન્મ દીવસની ભેંટ

તાઃ૨/૧૧/૨૦૧૫                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ પ્રેમની જ્યોત લઈને,આવ્યા પ્રેમ પારખી લઈ
જન્મ દીવસનો પ્રેમ લેવા,પુ.આરતીબેન પધાર્યા અહીં
……એવા વ્હાલા મોટીબેનને, જન્મદીનની શુભેચ્છા દઈ વંદન કરીએજઈ.
ભાવનગરમાં જન્મ લઈને,માબાપનો પ્રેમ સાચવતા તહીં
ઉજ્વળ જીવનની રાહ મળી,જ્યાં બનેવી થયા ભરતભાઈ
સુરેખાબેનને આનંદ અનેરો,હ્યુસ્ટનમાં બહેનબનેવીને જોઈ
આશીર્વાદ મળે જ્યાં બહેનના,પાવનરાહે સુખ મળ્યુ અહીં
……એવા વ્હાલા મોટીબેનને, જન્મદીનની શુભેચ્છા દઈ વંદન કરીએ જઈ.
મળેલ કૃપા શ્રીરાધેકૃષ્ણની,જ્યાં આધ્યાત્મિક જીવન જીવાય
વ્હાલી દીકરી શૈફાલીના જન્મથી,માબાપને ખુબ આનંદ થાય
બીજી દીકરી અમીના આગમને,અંતરમાં આનંદની વર્ષા થાય
ઉજ્વળ રાહે જીવતા સંતાનને જોઇ આરતીબેનને આનંદ થાય
…….. એવા પ્રેમાળ મોટીબહેન, પ્રભુકૃપાએ સુખશાંન્તિથી વર્ષો જીવી જાય.
==============================================

મારા વ્હાલા મોટીબહેન શ્રીમતી આરતીબેનનો જન્મ નવેમ્બર ૨ ૧૯૫૦ના રોજ
ભાવનગરમાં થયો. તેમનો અનંત અને નિખાલસ પ્રેમ મને જીવનમાં ખુબજ શાંન્તિ
આપે છે. જે મારો અનુભવ છે.આ લખાણ જન્મ દીવસની યાદરૂપે નાની બેન સુરેખા
અને તેના પરિવાર તરફથી વંદન સહિત ભેંટ.
લી.સુરેખાબેન     (હ્યુસ્ટન)               તાઃ૨/૧૧/૨૦૧૫.

October 24th 2015

ગઝલ સમ્રાટનુ સન્માન

Gulam.

.                      . ગઝલ સમ્રાટનુ સન્માન  .         

તાઃ૨૪/૧૦/૨૦૧૫                           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ગુલામભાઈની ગઝલ છે એવી,જાણે સાહિત્યના વાદળ ગાજતા ભઈ
અજબ કલમનીકેડી પકડી ચાલતા,ગઝલ સમ્રાટ બની ગયા છે ભઈ
…એવા કલમપ્રેમી શ્રી ગુલામભાઈ,સરસ્વતી સંતાનને મળવા હ્યુસ્ટન આવ્યા ભઈ.
શેર શાયરી એ કૃપા છે માતાની,જે તેમની ચાલતી કલમે મેળવાય
શબ્દેશબ્દને પકડીચાલતા સર્જક શ્રી ગુલામઅબ્બાસ નાશાદ કહેવાય
મળે માતાનો સાચોપ્રેમ જીવનમાં,એ સાહિત્યની લાયકાતે મેળવાય
પરમકૃપાના પાત્ર જીવનમાં બનતાં,જગતમાં કલમપ્રેમીથી ઓળખાય
…એવા કલમપ્રેમી શ્રી ગુલામભાઈ,સરસ્વતી સંતાનને મળવા હ્યુસ્ટન આવ્યા ભઈ.
માયાના વાદળ ના અડકે જીવનમાં,કે ના મોહની કોઇ કેડી દેખાય
સરળજીવનની રાહે ચાલતાં,જગતમાં શેર શાયરીના સર્જક કહેવાય
પ્રદીપને હૈયે આનંદ અનેરો,કલમની સાચીકેડી દેવા પ્રેમે મળી જાય
એજ કૃપા મા સરસ્વતીની આજે,જે કલમપ્રેમીઓને સંગ કરાવી જાય
…એવા કલમપ્રેમી શ્રી ગુલામભાઈ,સરસ્વતી સંતાનને મળવા હ્યુસ્ટન આવ્યા ભઈ.

************************************************************
માતા સરસ્વતીની અસીમ કૃપા પામીને કલમની પવિત્ર કેડીએ ચાલતા પુજ્ય શ્રી ગુલામભાઈ અબ્બાસ નાશાદ  હ્યુસ્ટનના કલમપ્રેમીઓના પ્રેમને પારખી અત્રે પધાર્યા છે તે માટે તેમનો અંતરથી   આભાર સહિત  હ્યુસ્ટનની યાદ રૂપે સપ્રેમ ભેંટ
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ  સહિત  હ્યુસ્ટનના મા સરસ્વતીના સંતાનના વંદન. તાઃ૨૪/૧૦/૨૦૧૫.

October 20th 2015

માતાના પગલાં

Ma Ambe……....

.                      . માતાના પગલાં

તાઃ૨૦/૧૦/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય અંબે મા જય જય દુર્ગે મા,જય જય કાળકા મા
પ્રેમ ભાવથી ગરબે ધુમતી,નારીઓ માને વંદન કરીજાય
…..એવા નવરાત્રીના પવિત્ર દીને,ગરબે ઘુમી માતાને રાજી કરાય.
તાલી તાલે રમતી સહેલીઓ,સંગે ભક્તોનાતાલ મળી જાય
ડાંડીયાની અનોખી રેલીએ,ભક્તો ગોવાળીયાઓ બની જાય
ગોપીઓ સંગે તાલ દેતા અજબ ઢોલ નગારાય વાગી જાય
ડગલે પગલે માને પુંજતા,હૈયે અનંત આનંદ મળી જાય
…..એવા નવરાત્રીના પવિત્ર દીને,ગરબે ઘુમી માતાને રાજી કરાય.
આરાસુરથી મા અંબે આવ્યા,ને કાસોરથી માતા મહાકાળી
અજબ કૃપાની કેડી સંગે લઈને,માતા દુર્ગા પણ આવી જાય
બહુચરામાની પ્રેમનીરાહે,ભક્તોને અનંત આનંદ મળી જાય
ખોડીયારમાતાની જ્યાંમળી કૃપા,ત્યાં પ્રેમથી ગરબા ગવાય
…..એવા નવરાત્રીના પવિત્ર દીને,ગરબે ઘુમી માતાને રાજી કરાય.

**************************************************

October 13th 2015

નવરાત્રીનો રંગ

Mataji krupa

 

 

 

.

.

.

.

.

.

.

.                          .                               નવરાત્રીનો રંગ

તાઃ૧૩/૧૦/૨૦૧૫                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ગરબે ઘુમતા,નવરાત્રીમાં કૃપા તારી થઈ જાય
નિર્મળ જીવનની જ્યોત પ્રગટતા,હૈયે આનંદની વર્ષા જાય
……….ગરબે ઘુમતા તાલીઓના તાલે,માડી તારો અનંતપ્રેમ મળી જાય.
અંબે માની અજ્બ શક્તિ છે,જે આ  જીવનને પાવન કરી જાય
ગરબે ઘુમતા જયઅંબેમા ભજતા,માનો અનંતપ્રેમ મળીવાય
ડાંડીયા રાસની રમઝટે રમતા,ભક્તો પર માતાની કૃપા થાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતાં,મા અંબાની અસીમકૃપા થઈ જાય
……….ગરબે ઘુમતા તાલીઓના તાલે,માડી તારો અનંતપ્રેમ મળી જાય.
ૐ ક્રીમ કાલીયે નમઃના સ્મરણથી,મા કાળકા રાજી થઈ જાય
અજબ શક્તિશાળી માકાલી,ભક્તો પર અનંત કૃપા કરી જાય
નવરાત્રીની નવરાત્રીએ ગરબે ઘુમતા,જીવપર મા કૃપા થાય
ગરબે ઘુમતા ડગલે પગલે,ભક્તિથીમાને અંતરથી રાજી કરાય
……….ગરબે ઘુમતા તાલીઓના તાલે,માડી તારો અનંતપ્રેમ મળી જાય.

—————————————————————————–

 

 

October 9th 2015

દશેરાની જ્યોત

.                      .દશેરાની જ્યોત

તાઃ૯/૧૦/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિ પામી ભક્તિથી,એજ શ્રધ્ધા સાચી કહેવાય
ભોલેનાથની કૃપા પામતા,રાવણ લંકાનો રાજા થઈ જાય
………એ અજબલીલા અવિનાશીની ના માનવ મને સમજાય.
ભક્તિભાવથી પ્રભુને  રાજીકરતા,કૃપા માનવ પર થઇજાય
આશીર્વાદની એક જ કેડીએ,અજબ શક્તિને એ પામી જાય
ભોલેનાથની ભોળી ભાવનાએ,રાજા થઈને રાવણ હરખાય
સમય ઉંમરના પકડાય કોઇથી,એતો સમયે સમજાઇ જાય
………એ અજબલીલા અવિનાશીની ના માનવ મને સમજાય.
મળેલ સાચા આશિર્વાદ ભોલેનાથના,નાકોઇથી તેને અંબાય
કળીયુગ કેરી એક જ ટકોરે ,રાવણની બુધ્ધિ પણ ભટકી જાય
પરમાત્મા રામ થઈ આવ્યા,ને સીતાજીનુ હરણ કરાવી જાય
બુધ્ધિ બગડેલ રાવણની લંકામાં જ,પ્રભુ રામથી દહન થાય
………એ અજબલીલા અવિનાશીની ના માનવ મને સમજાય.

=====================================

August 21st 2015

મમ્મી મારી

…………….     .  મમ્મી મારી

 તાઃ૨૨/૮/૨૦૧૫                      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મમ્મી મારી મધુર પ્રેમ લઈને,હ્યુસ્ટન મળવા આવી ગઈ
ઉંમરને ના આંબે  કોઇ જગતમાં,મા ચોરાણુ વર્ષની થઈ
………એજ અમારો પ્રેમ માબાપથી,ખેંચી લાવ્યો પ્રેમથી અહીં.
આવ્યા આંગણે પ્રેમ લઈને,સૌને અનંત પ્રેમ આપ્યો અહીં
જલાસાંઇની અસીમ કૃપાએ,નિર્મળજીવન એ જીવે છે અહીં
ભણતરની ઉજ્વળકેડી પ્રદીપની,જ્યાં પિતાથી રાહ ચીંધાય
મળી ભક્તિરાહ જીવનમાં,જ્યાં માતાના સંસ્કારને સચવાય
……….એજ અમારો પ્રેમ માબાપથી,ખેંચી લાવ્યો પ્રેમથી અહીં.
હ્યુસ્ટન આવી આશિર્વાદ દીધા,જે અમારા નસીબ કહેવાય
રમા,રવિ,દીપલ,હિમાને વ્હાલકરે,ને વિરને પ્રેમકરી જાય
નિશીતકુમારને આશિર્વાદઆપે,જ્યાં એચરણને સ્પર્શી જાય
દીકરા પ્રદીપને હરખતોજોઇ,કમળાબાને અનંત આનંદથાય
………..એજ અમારો પ્રેમ માબાપથી,ખેંચી લાવ્યો પ્રેમથી અહીં.

============================================
.        .મારા મમ્મી કમળાબા અમારો પ્રેમ પારખી અમારે ઘેર પધારી ઘર
પવિત્ર કર્યુ તે અમારા ધન્યભાગ્ય.મારાપુત્ર રવિના પુત્ર વિર જે કુટુંબની
ચોથી પેઢી થઈ તેને પ્રેમથી વ્હાલ કરી આશિર્વાદ આપી અમને પવિત્ર રાહે
લઈ જાયછે તેમાટે મારા માબાપનો ખુબજ આભાર.મારા ભાઈ બહેનોનો પ્રેમ
મળે છે તે માટે પણ  તેમને પ્રેમથી વંદન સહિત જય જલારામ,જય સાંઇબાબા.
લી. પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર,હીમા સહિત વિરના વંદન.

August 8th 2015

પ્રેમના પગલા ને પાવન કેડી

                     Raisa                     

 

 

 

 

 

 

 

 

 

 

.

.                        શ્રી રઈશભાઈ મણીયાર

.                 ..પ્રેમના પગલા  ને  પાવન  કેડી

તાઃ૮/૮/૨૦૧૫.                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

હ્યુસ્ટન આવ્યા પ્રેમને પકડી,મળી ગયા સરસ્વતી સંતાન
કલમને પકડી જ્યોત પ્રગટાવી, મેળવી રહ્યા છે પ્રેમ અપાર
………..એવા વ્હાલા રઈશભાઈને મળીને,પ્રદીપને અનંત આનંદ થાય.
ઉજ્વળ રાહ પકડી જીવનમાં,જ્યાં કલમની કેડી નિર્મળ થાય
પ્રેમ પ્રસરાવી જગતમાં દેતા,અનંત કલમ પ્રેમી મળી જાય
નિર્મળતાનો સંગ રાખતા જીવનમાં,નાઅભિમાન કોઇ અથડાય
આવ્યા હ્યુસ્ટન કલમને પકડી, અમારુ સાચુ ગૌરવ કહેવાય
……….એવા વ્હાલા રઈશભાઈને મળીને, હ્યુસ્ટનના કલમપ્રેમી હરખાય.
માન મળે ને સન્માન થાય,એ જ માતાની કૃપા કહેવાય
અભિમાનને આંબે કલમની કેડી,ત્યાંજ માનવતા સહેવાય
ના મોહ અડે કે માયા મળે,જ્યાં કલમપ્રેમીઓ મળી જાય
સરળતાનો સંગ રાખતા જીવનમાં,સફળતા  મળી જાય
……….એવા વ્હાલા રઈશભાઈને મળતા, સાહિત્ય સરીતા વહેતી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

.        .માતા સરસ્વતીની  અસીમકૃપા પામી જગતમાં ગુજરાતી ભાષાની ઉજ્વળ કેડીને પ્રસરાવી સૌ કલમપ્રેમીઓને રાહ બતાવી નિર્મળ જીવન જીવતા શ્રી રઈશભાઈ મણીયાર અમારા હ્યુસ્ટનમાં આવી કલમ પ્રેમીઓને માતાની કૃપાથી કલમની કેડીની ઉજ્વળતા બતાવી આનંદ કરાવ્યો તે પ્રસંગની યાદ રૂપે અર્પંણ.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓ તરફથી ભેંટ.

July 30th 2015

ગુરૂ પુર્ણિમા

sai-baba1

 

 

 

 

 

 

 

 

.                   .ગુરૂ પુર્ણિમા

તાઃ૩૦/૭/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર જીવનની રાહ મળે,જ્યાં ગુરૂની કૃપા થઈ જાય
માનવતાની મહેંક પ્રસરે જગે,જ્યાં ગુરૂને વંદન થાય.
……..એજ કેડી સંસ્કારની જીવનમાં,જે જન્મ સફળ કરી જાય.
ભણતરથી ર્ઉજ્વળ રાહ મળે,જ્યાં ગુરૂજીને અનુસરાય
દીધેલરાહને પકડી ચાલતા,મા સરસ્વતીની કૃપાથાય
ડગલે પગલે સફળતામળે,એ સાચી  લાયકાત કહેવાય
ઉજ્વળજીવન જીવતા,જીવનમાં સંગાથપણ મળીજાય
……..એજ કેડી સંસ્કારની જીવનમાં,જે જન્મ સફળ કરી જાય.
માનવદેહ એ કૃપા પ્રભુની,જ્યાં નિખાલસ જીવન જીવાય
ભક્તિમાર્ગની કેડીમળે,જ્યાં સંત જલાસાઇને ગુરૂ કહેવાય
ગુરૂ પુર્ણિમાના દીવસે અંતરથી,સાચા સંતને વંદન થાય
મળે માર્ગ મુક્તિનો જીવને,જે ગુરૂદેવની કૃપાએ મેળવાય
……..એજ કેડી સંસ્કારની જીવનમાં,જે જન્મ સફળ કરી જાય.

===========================================

« Previous PageNext Page »