લગ્ન તિથી
. લગ્ન તિથી
તાઃ૧૦/૫/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવનની રાહ મળી,જ્યાં લગ્ન જીવન સચવાય
નિશીતકુમારનો સંગમળતા,દીપલનો જન્મ સાર્થક થાય
. …………………ઉજ્વળ જીવનની રાહ મળી.
શ્રીબ્રહ્મા,વિષ્ણુ,મહેશનાશરણે,જીવને ભક્તિરાહ મળી જાય
સવારસાંજના ધુપદીપથી,જીવનમાં કર્મ પાવન થઇ જાય
મળે માબાપનો પ્રેમ અંતરથી,નાઆધી વ્યાધીય અથડાય
સરળતાની કેડી મેળવતા,જીવનમાં સુખશાંન્તિ મળી જાય.
. ……………….ઉજ્વળ જીવનની રાહ મળી.
અંતરમાં આનંદ ઉભરાતા,દેહની આંખો ભીની થઈ જાય
મળી જાય આશિર્વાદ વડીલના, રાહ ઉજ્વળ મળી જાય
જલાસાંઇની સાચી ભક્તિએજ,આજ્ન્મ પાવન થઈ જાય
આર્શિવાદની ઉજ્વળ કીરણે,માબાપનાહૈયા ખુબ હરખાય
. ……………ઉજ્વળ જીવનની રાહ મળી.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++
અમારી વ્હાલી દીકરી ચી.દીપલ અને ચી.નિશીતકુમારની આજે લગ્ન તિથી છે.તે નિમીત્તે
અમો સંત પુજ્ય જલારામ બાપા,સંત પુજ્ય સાંઇબાબા અને શ્રી સ્વામિનારાયણ ભગવાનને
પ્રાર્થના કરીએ કે તેમને તન,મન અને ધનથી શાંન્તિ આપે અને સદા તેમની રક્ષા કરી જન્મ
સાર્થક કરે.
લી.પપ્પા,મમ્મી,ભાઇ રવિ તથા અ,સૌ.હિમાના જય જલારામ.