ક્યાંથી ક્યાં
. . ક્યાંથી ક્યાં
તાઃ૫/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથી આવ્યો આ માનવી,ને ક્યારે ક્યાં એ પહોંચી જાય
મળે જ્યારે લાયકાત એને,ત્યારેજ તેની ઓળખાણ થાય
. …………………ક્યાંથી આવ્યો આ માનવી.
અનેક દેહો મેળવી જીવ અવનીએ,કર્મબંધનમાં જકડાય
ક્યારે મળશે દેહ અવનીએ જીવને,ના કોઇનેય સમજાય
મળે કૃપા જલાસાંઇને જીવને,જે મળતા દેહ થકી દેખાય
અંત આવે દેહનો અવનીએ,જેને મૃત્યુ થયુ એમ કહેવાય
. ……………………ક્યાંથી આવ્યો આ માનવી.
મારી તારીની માયા લાગે,જીવનો મુક્તિમાર્ગ છુટી જાય
અવનીપરના બંધનને વળગતા,એજન્મ મૃત્યુથી બંધાય
ના આરો કે ઓવારો મળે જગે,એ જ કર્મબંધન છે કહેવાય
જન્મ મરણનો સંબંધ છુટે જીવને,પ્રભુકૃપા મળી સમજાય
. ……………………ક્યાંથી આવ્યો આ માનવી.
+++++++++++++++++++++++++++++++++++++