શ્રી શનિદેવ
. શ્રી શનિદેવ
તાઃ૩૧/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શનિદેવની સાચી ભક્તિએ,જીવપર અસીમકૃપા થઇ જાય
માગણીની ના અપેક્ષા રહેતા,મળેલ જન્મ સફળ થઈ જાય
. …………………શનિદેવની સાચી ભક્તિએ.
અણધારી આફતને આંબીને,કળીયુગમાં જીવને બચાવી જાય
શાંન્તિનો સહવાસ જીવને દઈને,પાવનકર્મ પણ કરાવી જાય
આવી દ્વારે ઉભા રહેતા પ્રેમથી,ભુતપલીતને એ ભગાડી જાય
નિર્મળ જીવનની સાંકલ મળતા,જીવનો જન્મસફળ થઈજાય
. ………………….શનિદેવની સાચી ભક્તિએ.
સુર્યનારાયણની સાચી અર્ચના,પુત્ર શનીદેવથી મળી જાય
ૐ શં શનેશ્ચરાય નમઃ થી,જીવથી અસીમ કૃપાય મેળવાય
મનને શાંન્તિ મળે ભક્તિથી,જીવનમાં ના વ્યાધી અથડાય
સુખશાંન્તિના વાદળ વરસતા,પ્રદીપનુ જીવન પાવનથાય
. …………………શનિદેવની સાચી ભક્તિએ.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@